સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે
1) તનની 2) મનની 3) રવાનની બંદગી
ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે ભણનાર મેળવી શકે છે અને આથી પોતાનું ઉરવાન જે એક જાતના બાતેની અંધકારમાં ચાલુ ફસેલું છે. યાને દાદાર હોરમજદ તરફ ભાન-ભુલું થયેલું છે, તે ભાન-ભુલાપણાંમાથી ધીમે ધીમે દૂર થઈ જે ઉરવાનની પોતાની વૃધ્ધિ કરવાની નેમ માટે તેણે જન્મ લીધો છે તે પાર પડે છે. અને ઉરવાન પોતાનું ઉંચ મીનોઈ ભાન (બઓદાંગ) મેલવી સડસડાટ વધુ ઉંચ ભુવનોમાં જાગ્રત થતું જાય છે જેથી દુજખ યાને ફરીથી હ્યાં આ દુનિયામાં જનમ-મરણના ચકરાવામાં સપડાતું નથી. આપણા ઉરવાનની વૃધ્ધિને લગતા દીની કાયદાઓ પ્રમાણે એક માણસ જો ચોકકસ હદની દીની તરીકતો પતમાન પર રહી યાને સમતોલપણું જાળવી (યાને ખાસ જોઈતાં જરૂરીયાતી મરક જ ઉપર સાબેત કદમ રહી) જમાના મુજબ પાળી અશોઈથી ચાલી ચાલુ જીંદગી ગુજારે તોજ તેને આ દુનિયામાં પાછો ફેરો ખાવો પડતો નથી, યાને દુજખ થવું પડતું નથી. નહીં તો તેને જરૂર આ દુનિયામાં તેના બાતેની બદ આચારવિચાર અને રહેણી કરણીથી બંધાયેલી અસ્વચ્છ અઈપીના પ્રમાણ પ્રમાણે પાછા અને પાછા ફેરા ખાવા પડે છે, પછી તે ઉરવાન પારસી, હીંદુ, મુસલમાન વગેરે કોઈબી બીજા ધર્મને લગતું હોય. આપણા ગયા ભવના તેમજ આ ચાલુ ભવના પોતીકા અચાર વિચાર અને રહેણીકરણીને લીધેજ તમામ સુખો તેમજ તરેહવાર દુ:ખ આફતો આ દુનિયામાં દરેકને ભોગવવા પડે છે. આ જન્મ-મરણની હાલતને ખાતર તો દુનિયાની તમામ ચલવળો કુદરતી કાયદે ચાલી રહી છે.

Similar Posts

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…

  • Daman Doongerwadi Inaugurates New Bungli

    . Shree Daman Vapi Parsi Jarthosthy Anjuman (DVPJA) commemorated the inauguration of a new bungli at the Daman Doongerwadi, with a jasan on 31st March, 2018. Donated by Kairus Dadachanji in memory of his loving father, Shavak Phirozesha Dadachanji, the jasan ceremony was performed by Vada Dasturji of Udvada Khurshed Dastoor, Panthaki Noshir Sahiar, and…

  • શિરીન

    ‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’ ‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’ ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો. તે…

  • તમારા માટે કામ કરે તેવી એનર્જી તમે જ બનાવો

    દવાના પિતા સમાન હિપોક્રેટસના વાકયો કુદરતી રીતે સારા થવાની શક્તિ આપણા પોતાનામાં છે. આપણી બીમારીને દૂર કરી હકારાત્મક શક્તિથી મજબૂતાઈ આપવાની જવાબદારી તે આપણી ને આપણી પોતાની જ છે. કેશ્મિરા શૉ રાજ જે રેકી એકસ્પર્ટ, તાઈચી માસ્તર અને ટેરોટ ક્ધસલ્ટન્ટ આપણી સાથે, તમારામાં રહેલી ઉર્જાથી તમે તમારા દર્દને દૂર કરવામાં સફળતા કેવી રીતે મેળવી શકો…

  • કરિશ્માહ મહેરજીએ ગોલ્ડ મેડલ જીત્યો

    એલેકઝાન્ડરા ગર્લ્સ ઈંગ્લિશ ઇન્સ્ટિટ્યુશનની નવ વર્ષીય કરિશ્માહ મેહરજીએ તાજેતરમાં પુણેમાં ઝીગઝેગ સ્કેટિંગ મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને 7 ઓક્ટોબર, 2018ના રોજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીના સ્કૂલના વિદ્યાર્થીઓના જૂથ સાથે પ્રદર્શન કર્યા પછી, ટીમે એક કલાકના સમયગાળામાં બેલેન્સ ગુમાવ્યા વિના, ઝિગ-ઝેગ શૈલીમાં સ્કેટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. કરિશ્માહના કોચ અકબર શેખ હેઠળ ટ્રેનિંગ…