સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે
1) તનની 2) મનની 3) રવાનની બંદગી
ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે ભણનાર મેળવી શકે છે અને આથી પોતાનું ઉરવાન જે એક જાતના બાતેની અંધકારમાં ચાલુ ફસેલું છે. યાને દાદાર હોરમજદ તરફ ભાન-ભુલું થયેલું છે, તે ભાન-ભુલાપણાંમાથી ધીમે ધીમે દૂર થઈ જે ઉરવાનની પોતાની વૃધ્ધિ કરવાની નેમ માટે તેણે જન્મ લીધો છે તે પાર પડે છે. અને ઉરવાન પોતાનું ઉંચ મીનોઈ ભાન (બઓદાંગ) મેલવી સડસડાટ વધુ ઉંચ ભુવનોમાં જાગ્રત થતું જાય છે જેથી દુજખ યાને ફરીથી હ્યાં આ દુનિયામાં જનમ-મરણના ચકરાવામાં સપડાતું નથી. આપણા ઉરવાનની વૃધ્ધિને લગતા દીની કાયદાઓ પ્રમાણે એક માણસ જો ચોકકસ હદની દીની તરીકતો પતમાન પર રહી યાને સમતોલપણું જાળવી (યાને ખાસ જોઈતાં જરૂરીયાતી મરક જ ઉપર સાબેત કદમ રહી) જમાના મુજબ પાળી અશોઈથી ચાલી ચાલુ જીંદગી ગુજારે તોજ તેને આ દુનિયામાં પાછો ફેરો ખાવો પડતો નથી, યાને દુજખ થવું પડતું નથી. નહીં તો તેને જરૂર આ દુનિયામાં તેના બાતેની બદ આચારવિચાર અને રહેણી કરણીથી બંધાયેલી અસ્વચ્છ અઈપીના પ્રમાણ પ્રમાણે પાછા અને પાછા ફેરા ખાવા પડે છે, પછી તે ઉરવાન પારસી, હીંદુ, મુસલમાન વગેરે કોઈબી બીજા ધર્મને લગતું હોય. આપણા ગયા ભવના તેમજ આ ચાલુ ભવના પોતીકા અચાર વિચાર અને રહેણીકરણીને લીધેજ તમામ સુખો તેમજ તરેહવાર દુ:ખ આફતો આ દુનિયામાં દરેકને ભોગવવા પડે છે. આ જન્મ-મરણની હાલતને ખાતર તો દુનિયાની તમામ ચલવળો કુદરતી કાયદે ચાલી રહી છે.

Similar Posts

  • Film Review: Zero

    ‘Reach for the moon and the stars will fall in your lap,’ seems to be the philosophy followed by SRK and the people responsible for bringing the film to its title ‘Zero’. In a runtime of two-and-a-half-hours plus, Zero undergoes a series of transformations – possibly more than the number of titles thought of by the…

  • દશેરામાં શમી પૂજનનું મહત્વ

    દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક…

  • શિરીન

    ‘શું બોલ્યો?’ ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો. ‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’ ‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ…

  • Tata Projects To Build New Parliament Building

    On 16th September, 2020, Tata Projects Limited won the bid to construct the new Parliament building – a part of the Central Vista Redevelopment Project, in the nation’s capital. It will be constructed at a cost of ₹ 861.90 crore, as per officials. The Tatas beat Larsen and Toubro, who had submitted a bid of ₹ 865 crore. The Central…

  • A’bad Holds Successful Parsi Matri-Meet

    Meet On 27th and 28th October, 2018, Ahmedabad held a Parsi Zarthosti Matrimonial Meet at Hotel Nalanda, which witnessed an overwhelming turnout of over one hundred and ten hopeful participants from not just A’bad, but also from Mumbai, Surat, Hyderabad, Secunderabad, Pune, Navsari and Jamshedpur. Conceptualized by Ahmedabad Parsi Punchayet Trustee (APP), Kety Daruwalla, and…

  • ‘YATHA AHU VAIRYO’ – As Explained By Zarathushtra

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times shares excerpts from one of the all-time-classics – ‘In Search Of My God’ – which celebrates Zoroastrian history, religion and culture. What better way to rediscover the splendor of our great religion than by enriching the comprehension of our glorious roots and exploring the brilliance of the greatest of all religions……