શિરીન

‘શું બોલ્યો?’

ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો.

‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’

‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ તલાટી.’

ને તે જ ઘડીએ મોલી કામા તેઓને શોધતી ત્યાં આવી લાગી કે સભ્યતાને ખાતર ફિરોઝ ફ્રેઝરે તેને છોડવો જ પડયો.

મોલી કામાના કટોકટ ઘડીએ ત્યાં આવ્યાથી સામ તલાટીને વધુ જ હિંમત આવી ગઈ ને તેને તુમાખીથી જણાવી દીધું.

‘હવે મોલી પોતે અત્રે હોવાથી તું તેણીને પૂછી શકશે, ને ફિરોઝ ફ્રેઝર આજે મેં મારી આંખોએ તેણીને કોઈ લોફર જેવા મરદ સાથ એક ખાલી ઘેરમાંથી બહાર નીકળતાં જોઈ ને તું ધારેછ એટલી કંઈ તેણી નિર્દોષ નથી.’

‘મોઢું સંભાળીને વાત કરજે સામ તલાટી.’

‘હું સોગંદથી ખ‚ં છે તે કહું છું. ને જો એ શિરીન વોર્ડને તારાથી છુપાવ્યું હોય તો તેણી તુંને ઠગી રહીછ, ફિરોઝ ફ્રેઝર.’

એ સાંભળી ફિરોઝ ફ્રેઝરનો ચહેરો હદથી જયાદા રાતો મારી જઈ, હોઠો બીદી તેને ઝનૂનથી કહી સંભળાવ્યું.

‘ફકત એક લેડીનું માન હું હાલમાં જાળવી રહ્યોછ, કારણ મીસ કામાન હાજરીમાં હું તારા જેવા હલકટના દીલ પર આવી શકતો નથી. નહીં તો સામ તલાટી તારો તોટો પીસી તારા હાડકાનો ખુરદે ખુરદો હું હમણાં કરી નાંખતે.’

કે એ સાંભળી સામ તલાટીએ પણ તુચ્છકારથી જણાવી દીધું.

‘ફિરોઝ ફ્રેઝર, તું મને હમણાં જુઠો માનેછ પણ જ્યારે કુધ તું પોતે તારી આંખોએ તેઓને સાથે જોય, ત્યારે મને યાદ કરી તારાં મનમાં જ વિચારી લેજે કે એ તારી શિરીન વોર્ડન કેટલી બધી ઈનોસન્ટ છે તે.’

‘ભવિષ્યમાં કંઈબી બોલે તો ખૂબ સંભાળીને બોલજે, સામ તલાટી.’

ને પછી મોલી કામાને એક નમન કરી ઝપાટાબંધ ફિરોઝ ફ્રેઝર ત્યાંથી વિદાય થઈ ગયો.

અલબત્ત, સામ તલાટીએ કહેલો એકબી બોલ તે માની શકયો જ નહીં કારણ સર્વને માહિત હતું કે કેટલો બધો જૂઠો, નીચ ને બદમાશ મરદ હતો.

ને બીજીબી એક ચીજ ફિરોઝ ફ્રેઝરને ખબર હતી કે સામ તલાટી ઘણાં વરસોનો પોતાની મીઠી શિરીનનાં પ્યારમાં હોવાથી ફકત અદેખાઈને માર્યો તેણી સામે જુઠા તહોમત મૂકીને ‘ડરબી કાસલ’ના શેઠને ઉશ્કેરી મુકવા માંગતો હતો.

અને બીજી ઘડીએ ફિરોઝ ફ્રેઝરે તે વાત પોતાનાં મનમાંથી કહાડી નાખી, કલબનાં બીજા મેમ્બરો સાથ ભળી પણ ગયો.

પણ અફસોસ, તે છતાં ને તે જ ઘડીએ વહેમનાં એક નાના કીડાએ ફિરોઝ ફ્રેઝરનાં જિગરમાં પ્રવેશ લઈ પોતાની જગ્યાં ત્યાં લઈ લીધી.

આતવારનો તે દિવસ પણ આવી પુગો કે જે શિરીન વોર્ડનનાં જીવનનાં તખતા ઉપર સર્વથી નેહસ્ત તરીકે લખાઈ ચૂકો.

ફિરોઝ ફ્રેઝર ને સામ તલાટીની મુલાકાતને પણ વચ્ચે ચાર દિવસ પસાર થઈ ગયા, ને તે દરમ્યાન શિરીન વોર્ડન પોતાનાં વહાલાને ખાસ એકાંતમાં મળી શકીજ નહીં.

સેનચરી કલબની મીટીંગનાં બીજે દિવસે ફિરોઝ ફ્રેઝર પોતાનાં અગત્યનાં કંઈ કામસર માયસોર ઉપડી ગયો ને છેક આતવારની સવારે પાછો બેંગ્લોર આવી પુગ્યો.

શિરીન વોર્ડન પણ તે દરમ્યાન સાંજના પોતાની બે કલાકની છૂટીમાં પોતાના વહાલાઓને ‘વોર્ડન વિલા’માં મળી આવતી. એક સાંજે ફરી ઘણે વખતે તેણી તે ટેકરી ઉપર આવેલાં ‘દુ:ખીઓના મંદીર’ની મુલાકાતે જઈ પૂગી.

તેણીને ઘણે દિવસે ને આટલી ખુશાલ જોતાં તે ગુ‚જી પણ પહેલાં એક પળ વિચારમાં પડી ગયા, પછી તેમને પૂછી લીધું.

(ક્રમશ)

Similar Posts

  • ‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

     ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે. જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા…

  • રોન્ગ નંબર

    ‘નવા વર્ષના શુભ દિવસે આજે મળવા આવી શકશે?’ ફોનમાં આ વાકય સાંભળતાજ છાતીમાં આનંદનો ફુવારો ફૂટતાં ચેરાગ લીલોછમ થઈ ગયો એના ભાગ્યની કંકોતરી ફરી કોઈ સુવર્ણ અક્ષરે લખી ગયું મહાતાબે આ પ્રશ્ર્ન પૂછવાની જરૂરજ નહોતી પણ નિકટતા અનુભવાતી હોય તો જ આ રીતે પ્રશ્ર્ન પૂછાય ‘અરે, ના પાડવાનો સવાલ જ પેદા થતો નથી.માત્ર પોતે પૂછવાનું…

  • દેવલાલી અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી

    દેવલાલીની બાઈ રતનબાઈ જમશેદજી એદલજી ચીનોઈ અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સાંજે 5.00 કલાકે કરવામાં આવી હતી. 16 વર્ષના એરવદ રૂઈન્ટન મહેન્તી સાથે તેમના પિતા એરવદ નોઝર (અગિયારીના પંથકી), એરવદ ફ્રેડી દસ્તુર અને એરવદ નવરોઝ મીનોચહેરહોમજી આ ચાર લોકો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક (ગેસ્ટ…

  • કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

    એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….

  • વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

    છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…