હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

અનેક દેશાગમનોમાં હોરમઝદ બંદર પરથી એક દેશાગમન ગુજરાતમાં થયેલું તે કોઈબી સહેલાઈથી જોઈ શકે છે. આ દેશાગમન તો એક ધુરંધર મોબેદ સાહેબ જેવણ દહયુપતીના દરજ્જાના હતા તેવણની સરદારી હેઠળ થયું હતું. નૈર્યોસંઘ સાહેબ કાંઈ સાધારણ મોબેદ હતા નહીં. તેવણની સાથે મોટા અમલદારો હતા અને તેઓએ જોયું કે ઈરાન દેશમાં જરથોસ્તી દએન તેના પુરા આકારમાં રહેશે નહીં, માટે તેવણ પાણીની ઉપરથી આલાતોને પોતાના અમલને જોરે અવાવ થયા વગર લાવ્યા હતા. આજે આવા મોટા દહયુપતના દરજ્જાના મુવેદને વગોવવાની કોઈ સરકશી કરે છે કેમ કે તેવાઓને આલાત શું છે, દએનની યસ્ન શું છે, દહયુપતનો દરજ્જો શું છે તે ભાગ્યેજ ખબર હોય. ભલેને તેઓ ગમે તે બોલે તે વખતે વટલેલ ઈરાનીઓબી પોતાના કદીમ દિનવાલાઓને એવીજ રીતે વગોવતા હતા માટે તેનો કંઈ મુઝાએકો નથી. પણ ઉપરની બાબદ ઉપરથી કોઈબી સહેલાઈથી જોઈ શકશે કે એક ખાસ દેશાગમન હોરમઝદ બંદરથી ગુજરાતમાં થયેલું હતું કે જેની વીગત કીસ્સે સંજાણમાં ભાંગી તૂટી જેવી બાપ દીકરાથી બોલાતી આવેલ મોટા ફેરફાર સાથની રહી છે. ભલે ને તે કીસ્સે સંજાનમાં ઘણી નહીં બનવા જેવી વીગતો હોય પણ એક વાત સિધ્ધ એ છે કે બાપદાદેથી ચાલતી આવતી મૂળ વાતનું તે ફરજંદ છે જેમાં એ સત્ય છે કે આપણે ઈરાન દેશથી દરિયા માર્ગે હિન્દમાં દીનને ખાતર આવેલા છીએ.
વળી હોરમઝદ બંદર આગળ જરથોસ્તીઓ નાસતા આવે છે અને ત્યાંથી નાસી છૂટે છે તે વાતબી અરબ ઈતિહાસમાં છે. કીસ્સે સંજાણવાળોબી આપણને હોરમઝદ બંદર આગળથી દરિયા માર્ગે ચાલી જતા વર્ણવે છે. બાલાધુરી નામનો ઈતિહાસકાર કહે છે કે અબુ મુસા નામના અરબ સરદારે કેરમાન જીતીને છેક ‘અલફુફ’ લગીના પરવત આગળથી મઝદયસ્નીઓને હાંકી કાઢયા. પછી કહે છે કે નાસી છૂટેલા મઝદયસ્નો હોરમઝદ બંદર આગળથી નસાડયા. હોરમઝદ બંદર પછી દરીયો આયો અને દરીયામાં વહાણો ઘણા હતા માટે તેઓ નાસે કયાં? જમીન તરફ તો અરબ લશ્કર હતું માટે તેઓને નાસવાની જગા દરીયોજ હતી. ત્યારે અરબ ઈતિહાસ અને પારસી કીસ્સે સંજાન બેઉ આ બાબદને એક સરખી રીતે વર્ણવે છે કે હોરમઝદ બંદર આગળથી પારસીઓ દરિયા મારફતે નાસી છુટયા હતા.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • પારસી ટાઈમ્સ 11 વર્ષનું થાય છે!

    પારસી ટાઈમ્સ અગિયારનું થઈ રહ્યું છે, જે આપણી પારસી અને ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ સંખ્યા છે. અંકશાસ્ત્રમાં, અગિયાર નંબરને આધ્યાત્મિક વૃદ્ધિ દર્શાવતી મુખ્ય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. અગિયાર નંબરમાં સંખ્યાત્મક એકનો સમાવેશ થાય છે જે બે વાર દેખાય છે, જે નવી શરૂઆત અને તકોનું પ્રતીક છે. આ સંખ્યા ઉચ્ચ ઉર્જા, અંતર્જ્ઞાન, ઉત્સાહ અને…

  • The Farohar

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#051c3b” css_class=”boxed”] Dr. Nusly P. J. Pocha is a Family Physician commanding 52 years of successful practise. A Consultant Specialist in Aviation Medicine (having trained with USA’s FAA), he is the only Senior Aviation Medicine Examiner in South Asia, designated by the FAA; and a Consultant to various international airlines and Consulate-Generals…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08th February – 14th February, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા લાંબો સમય ચાલવાની છે. તમારા મોજશોક પૂરા કરી શકશો. અધુરા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. થોડા સમયબાદ ઈનવેસ્ટમેન્ટ કરવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની…

  • ZAC Holds Sports Day

    ZAC (Zoroastrian Association of California) held its 12th Annual Sports Day event on 12th June, 2022. Like last year, the event aimed at not just raising funds but also awareness of the unfortunate plight of some of our less-privileged community members, locally and globally. The funds collected will be judiciously dispersed by their ‘Welfare Sub-committee’ to…

  • DMGCT A’bad Celebrates Republic Day

    The DMGCT (Dhunjishaw and Manijeh Gamir Charitable Trust) Ahmedabad, celebrated India’s 72nd Republic day on 26th January, 2021, at the Parsi Sanitorium compound at Navrangpura, Ahmedabad, for the seventh year, with great gusto and joy and good food. This year, in keeping with the restrictions of the coronavirus pandemic, the event was organized with a…