હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

અનેક દેશાગમનોમાં હોરમઝદ બંદર પરથી એક દેશાગમન ગુજરાતમાં થયેલું તે કોઈબી સહેલાઈથી જોઈ શકે છે. આ દેશાગમન તો એક ધુરંધર મોબેદ સાહેબ જેવણ દહયુપતીના દરજ્જાના હતા તેવણની સરદારી હેઠળ થયું હતું. નૈર્યોસંઘ સાહેબ કાંઈ સાધારણ મોબેદ હતા નહીં. તેવણની સાથે મોટા અમલદારો હતા અને તેઓએ જોયું કે ઈરાન દેશમાં જરથોસ્તી દએન તેના પુરા આકારમાં રહેશે નહીં, માટે તેવણ પાણીની ઉપરથી આલાતોને પોતાના અમલને જોરે અવાવ થયા વગર લાવ્યા હતા. આજે આવા મોટા દહયુપતના દરજ્જાના મુવેદને વગોવવાની કોઈ સરકશી કરે છે કેમ કે તેવાઓને આલાત શું છે, દએનની યસ્ન શું છે, દહયુપતનો દરજ્જો શું છે તે ભાગ્યેજ ખબર હોય. ભલેને તેઓ ગમે તે બોલે તે વખતે વટલેલ ઈરાનીઓબી પોતાના કદીમ દિનવાલાઓને એવીજ રીતે વગોવતા હતા માટે તેનો કંઈ મુઝાએકો નથી. પણ ઉપરની બાબદ ઉપરથી કોઈબી સહેલાઈથી જોઈ શકશે કે એક ખાસ દેશાગમન હોરમઝદ બંદરથી ગુજરાતમાં થયેલું હતું કે જેની વીગત કીસ્સે સંજાણમાં ભાંગી તૂટી જેવી બાપ દીકરાથી બોલાતી આવેલ મોટા ફેરફાર સાથની રહી છે. ભલે ને તે કીસ્સે સંજાનમાં ઘણી નહીં બનવા જેવી વીગતો હોય પણ એક વાત સિધ્ધ એ છે કે બાપદાદેથી ચાલતી આવતી મૂળ વાતનું તે ફરજંદ છે જેમાં એ સત્ય છે કે આપણે ઈરાન દેશથી દરિયા માર્ગે હિન્દમાં દીનને ખાતર આવેલા છીએ.
વળી હોરમઝદ બંદર આગળ જરથોસ્તીઓ નાસતા આવે છે અને ત્યાંથી નાસી છૂટે છે તે વાતબી અરબ ઈતિહાસમાં છે. કીસ્સે સંજાણવાળોબી આપણને હોરમઝદ બંદર આગળથી દરિયા માર્ગે ચાલી જતા વર્ણવે છે. બાલાધુરી નામનો ઈતિહાસકાર કહે છે કે અબુ મુસા નામના અરબ સરદારે કેરમાન જીતીને છેક ‘અલફુફ’ લગીના પરવત આગળથી મઝદયસ્નીઓને હાંકી કાઢયા. પછી કહે છે કે નાસી છૂટેલા મઝદયસ્નો હોરમઝદ બંદર આગળથી નસાડયા. હોરમઝદ બંદર પછી દરીયો આયો અને દરીયામાં વહાણો ઘણા હતા માટે તેઓ નાસે કયાં? જમીન તરફ તો અરબ લશ્કર હતું માટે તેઓને નાસવાની જગા દરીયોજ હતી. ત્યારે અરબ ઈતિહાસ અને પારસી કીસ્સે સંજાન બેઉ આ બાબદને એક સરખી રીતે વર્ણવે છે કે હોરમઝદ બંદર આગળથી પારસીઓ દરિયા મારફતે નાસી છુટયા હતા.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • ‘WAIST’ Management

    The Community’s Leading  Men’s Fashion Designer & Consultant  “That’s not my waist size! I’m certain it is 3 to 4 inches lesser!” That’s a line I regularly hear from my customers! Most of us know specific measurements (in inches and/or cms) when it comes to detailing the right lengths of our trousers… preferably just touching…

  • હસો મારી સાથે

    હસો મારી સાથે બા: મેં આજે ટોકીઝ માં પા પિકચર જોયું .. બાપુ: ડોબી ગઈ હતી તો આખું જોવું તું ને પા કેમ જોયું? *** ગણિત શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે? ચિન્ટુ: સર, સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપીને સમજાવોને . ગણિત શિક્ષક: ધારો કે, તારી પાસે બે રોટલી છે, તું બંને રોટલી…

  • મીનો રામ યઝદ અને લગ્ન

    હા, ભગવાનની શાંત સ્મૃતિમાં પણ તમે એક સાથે રહેશો. પરંતુ તમારી એકતામાં જગ્યાઓ થવા દો અને સ્વર્ગના પવનને તમારી વચ્ચે નૃત્ય કરવા દો. એક બીજાને પ્રેમ કરો, પણ પ્રેમને બંધન ન બનાવો. તેના બદલે તમારા આત્માના કાંઠે વચ્ચે ફરતો સમુદ્ર બનવા દો. -કાહલિલ જીબ્રાન લગ્ન પર. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં ઘરો અને ફર્નિચર…

  • |

    How To Treat Your Skin Allergy

    Nearly a quarter of the Indian population suffers from some skin allergy or the other. Skin allergies occur when your immune system overreacts, resulting in itchy and red rashes on your skin. Allergens are responsible for triggering this immune response to substances that are generally harmless. People with allergies suffer from skin irritation from the…

  • Parsi And Irani Zoroastrians – A Historical Perspective

    Both – Parsi and Irani Zoroastrians are ethnically of Persian (Iranian) origin. Parsis who came to India about 300 years after the fall of the Sasanian Empire (i.e., around the tenth century A.D.) trace their ancestry back to the province of Khorasan, known in ancient times as Parthia. The city of Mashad is situated in…

  • Kayaan Beats All Odds!

    Breaking all odds, 13-year-old Kayaan Anklesaria, was declared top athlete at the World Children’s Winners Games 2017 – a programme where young cancer survivors compete internationally in a series of sports. Kayaan had been diagnosed with brain tumour at the age of eleven. Having to undergo a series of chemotherapy sessions, radiation and surgery, Kayaan,…