દીની દોરવણી: ‘ફરજ’ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી, પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં, સાચ્ચું વમાસું, સાચ્ચુ બોલું, સાચ્ચાં કામો કરૂં, કોઈને દુ:ખ દેઉં નહિ; એ સર્વ અલબતે ભલી જીંદગીના કામો છે, પણ તે પુરતાં નથી, તે સંપુર્ણ નથી, તે જીંદગીને સંપુર્ણ બનાવતાં નથી. તે શાંત નેકીઓનાં કામો છે. તે સાથે આપણે ચપળ નેકીનાં કામો કરવાં જોઈએ. ચોક્કસ હદમાં માળા લઈ ખુદાની જપ કરવી, એ એક ભલું કામ છે પણ આપણે પોતે માળા લઈ જપ કરી શાંત બેસી રહેવું નહિ, પણ ચપળ બની આપણી આજુબાજુ ઘણાઓને પણ ચોક્કસ હદે ‘માળા જપતાં’ કરવાં જોઈએ.  જ્યારે હું કહું છું કે ‘માળા જપતાં કરવાં’ એટલે એમ નહિ કે તેઓને ફકત ‘રામ રામ’ પોકારતા કરવા, પણ મતલબ આ કે જ્યાં અહુરમજદનો ડર નહિ રખાતો હોય ત્યાં અહુરમજદનો ડર રખાતો કરવો.

આપણે પોતે ભલા છિએ, સાચ્ચું વમાસ્યે, બોલ્યે અને કર્યે છીએ, તેથી આપણે સ્વર્ગમાં જઈશું. એવો શાંત વિચાર અધુરો ને ભુલભર્યો છે. અલબતે એમ કરવાથી આપણે બેહેશ્તમાં એક પ્રકારની ચહડતી હાલતમાં જઈશું, પણ યાદ રાખવું કે બેહેશ્તના ચહડતી હાલતના પણ દરજ્જા છે. માટે જોકે  આપણે બેહેશ્તમાં જઈશું, તો પણ ચહડતાં બેહેશ્તમાં, વધુ સંપૂર્ણ બેહેશ્તતમાં જઈશું નહિ. આપણે બીજાંઓને પણ ભલાં કરવાં, તેઓને પણ સાચ્ચું વમાસ્તા અને બોલતાં અને ભલાં કામો કરતાં કરવાં. એમ કરવાથી આપણે ચહડતાં બેહેશ્તમાં જઈશું.

આજે આપણે રાહનુમાએ સભાનાં આમંત્રણથી ભેગા મલ્યા છીએ, ત્યારે ‘રાહનુમાઈ’ના સંબંધમાં એ બાબતનો વિચાર કરો. આપણી સર્વની ફરજ છે કે આપણે પોતે ભલા થવું, એટલું જ નહિ, પણ ભલાઈના માર્ગમાં બીજાંઓની રાહનુમાઈ કરવી. આપણાં  એક પુસ્તકમાં એક અસરકારક દાખલો મલે છે કે, એક ધણી પોતાની ભલી વર્તણુંકથી બહેશ્તમાં જતો હતો, પણ ત્યાં તેની ધણીયાણીએ તેના કપડાંની દામાન પકડી તેને અટકાવ્યો, એવું કહીને કે “દુનિયામાં તું જ એકલો ભલે માર્ગ ચાલ્યો! તે શા કાજે રાહનુમાઈ કરી, મને પણ ભલે માર્ગે ચલાવી નહિ?”

દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

ત્યારે આપણ સર્વએ ફકત સાંત નેકીઓ જે નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ ‘બે દુનિયા’ યા ‘બે જીંદગી’ માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે ‘આ દુનિયા અથવા આ જીંદગી’ બીજી માટે બોલીએ છીએ કે “બીજી દુનિયા અથવા બીજી જીંદગી” મરણ પછીની જીંદગી માટે આપણે સાધારણ રીતે બીજી જીંદગી તરીકે બોલીએ છીએ. એ જ પ્રમાણે શારીરિક જીંદગી અથવા આત્મિક જીંદગી માટે બોલીએ છીએ. પારસી પુસ્તકોમાં એ આત્મિક જીંદગી, મીનોઈ જીંદગી તરીકે પણ બોલાય છે. આત્મિક અથવા મીનોઈ જીંદગીએટલે આપણી પાંચે ઈન્દ્રિયોથી ભોગવાતી, હાડમંડ યા શારીરિક જીંદગીથી જુદી, આત્મા યા રવાનના સંબંધની જીંદગી, કે જે સાથે શરીર કરતાં મનને વધારે કામ છે. ત્યારે આવી મીનોઈ જીંદગીનાં ચહડતા તબક્કા માટે આપણે આ ગેથીમાં આવી રીતે જીવવું જોઈએ કે જાણે આ દુનિયા તરફ જોતાં આપણે મુએલા પડ્યા હોઈએ. પણ અહુરમજદ તરફ જોતાં, તેની મીનોઈ જીંદગી તરફ જોતાં, જીવતા હોઈએ. (We may die to the world so that we my live to God).  એમ કરવા માટે દુનિયાને તર્ક કરવાની નથી કે બાયડી છોકરાંને તજવાનાં નથી. દુનિયામાં રહીને એવી જીંદગી ગુજારવાની કોશેશ કરવી જોઈએ. આ દુનિયાના સંબંધો આપણે તોડવાના નથી, પણ તે સંબંધો ઉપર વડપણ  (Mastery)  મેળવવાનું છે. આ દુનિયામાં જ રહીને જાણે દુનિયાથી એક રીતે છુટા રહેવાનું છે. દુનિયાથી છુટા રહેવું, એટલે આપણા પગ ઉપર વધુ આધાર રાખતા રહેવું. આ જીંદગીમાં તમો તમારે જ આધારે રહો તેવી રીતે જીંદગી ગુજારો. આ જીંદગી બાદ તમારી બીજી જીંદગીમાં પણ તમો કોઈ બીજાંને આધારે યા બીજાની દયા ઉપર, તેનાં કીધેલાં ઉપર આધાર રાખી શકશો, એવો ખ્યાલ દૂર કરો.

સંપુર્ણ જીંદગી માટેના ત્રણ સંબંધો યા ફરજો

આપણે જોયું કે સંપૂર્ણ, ધાર્મિક, મીનોઈ યા ખરી નીતિવાન જીંદગી ગુજરવા માટે આપણે આપણા ‘સંબંધો’ જાળવવા જોઈએ. આપણે જોયું કે એ સંબંધો ત્રણ પ્રકારના છે. તે સંબંધો ઉપરથી ઊભી થતી ફરજો પણ ત્રણ પ્રકારની છે.

  1. અહુરમજદ તરફની ફરજ.
  2. આપણી આજુબાજુની જગત – માણસ ભાઈબંદો, જાનદાર પેદાયશ વગેરે તરફની ફરજ.
  3. આપણા પોતાના આત્મા યા રવાન તરફની ફરજ.

જગતના કર્તા તરફ, કુદરતના ખાવિંદ તરફ, સર્વનાં પેદા કરનાર અહુરમજદ તરફ ફરજ બજા લાવવી, એ સર્વનો ધર્મ છે. અહુરમજદની પરસ્તેશ એ શબ્દોમાં અહુરમદજની પોતા તરફની ફરજ સમાય છે. અહુરમજદની પરસ્તેશમાં નીચલી બાબતો સમાય છે.

  1. અહુરમજદની સેતાયશ યા સ્તુતિ કરવી.
  2. અહુરમજદનો ઉપકાર માનતા રહેવું.
  3. અહુરમજદની મરજીને તાબે થવું. તે આપણાથી નારાજ ન થાય તે માટે કાળજી રાખવી.
  4. અહુરમજદ આગલ અર્જ ગુજારી તેની પાસે આપણી મોરાદો માગવી. એ મોરાદોમાં પાયા સમાન મુખ્ય મોરાદ આ છે કે, અહુરમજદ આપણને સારી હેદાયત બક્ષે.
  5. અહુરમજદ પાસે આપણી તકસીરો માટે, આપણી ફરજ બજા લાવવાની ખામીઓ માટે માફી ચાહવી.

અહુરમજદ તરફ એ ફરજો બજા લાવવાથી આપણે આપણી બીજી ફરજો – આપણી આજુબાજુનાંઓ તરફની ફરજો, આપણા પોતાનાં રવાન તરફની ફરજો – બરાબર બજા લાવવાને શક્તિવાન થઈએ છીએ.

(ક્રમશ)

Similar Posts

  • અનિદ્રામાં પાણી

    સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય…

  • પ્રિત કરે પુકાર

    દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી…

  • એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

    સમુદાય માટે મુખ્ય ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, સમુદાયના આદરણીય સભ્યો ભારતમાં પારસી/ઈરાની જરથોસ્તી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ના સભ્યો કેરસી કૈખુશરૂ દાબુને મળ્યા. પ્રતિષ્ઠિત સામુદાયિક હસ્તીઓમાં એડવોકેટ બરજોર આંટીયા, એડવોકેટ નેવિલ દાબુ, દિનશા તંબોલી – ચેરમેન – ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ, એરવદ ડો. રામિયાર પરવેઝ કરંજિયા –…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 March – 01 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…

  • મેટ્રો 3ની અપડેટ

    ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…

  • નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

    2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00…