દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

Similar Posts

  • ભૂતપૂર્વ બી.પી.પી.ના ટ્રસ્ટી જમશીદ કાંગાનું નિધન

    ભૂતપૂર્વ બીપીપી ટ્રસ્ટી, ભૂતપૂર્વ બોમ્બે મ્યુનિસિપલ કમિશનર, જમશીદ જી. કાંગા, 25મી જૂન, 2020ના વહેલી સવારમાં નિધન પામ્યા હતા. તેઓ એક સીધા અને ગતિશીલ આઈએએસ અધિકારી હતા, જે સમુદાય અને દેશની સેવાનો નિશ્ર્ચિત ટ્રેક રેકોર્ડ ધરાવતા હતા. તેમની વ્યાવસાયિક શ્રેષ્ઠતા તેમના પ્રત્યેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી મેળ ખાતી હતી. તેઓ તેમની નમ્રતા, અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 January, 2019 – 25 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ…

  • જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

    6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ, કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી, મુખ્તાર અબ્બાસ નકવીએ, ‘જીયો પારસી’ યોજના અંતર્ગત, ભારતના પારસી યુગલોમાં જન્મેલા 233 બાળકો વિશે, લોકસભાને માહિતી આપી હતી, જેનો હેતુ પારસી સમુદાયમાં ઘટતી સંખ્યાને પકડવાના પગલાઓને અમલમાં મૂકવાનો હતો. નકવીના જણાવ્યા અનુસાર, આ યોજના પર અત્યાર સુધીમાં 14 કરોડનો ખર્ચ થયો છે. ટીએમસીની માલા રોયના એક પ્રશ્ર્નના…

  • હસો મારી સાથે

    ટીનાની કામવાળી: શેઠાણી મને 10 દિવસની રજા જોઈએ છે. ટીના : જો તું આટલી લાંબી રજા પર જતી રહેશે,તો શેઠનો નાસ્તો કોણ બનાવશે, ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે, તેમને સમયસર દવા કોણ આપશે. કામવાળી : જો તમે કહો તો હું શેઠને પણ મારી સાથે લઇ જાઉં. *** પતિ (દૂધ પીધા પછી): આ કેવું…

  • ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી !!!.

    આ નાનકડા ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી છોકરો છોકરી જોવા એક નાના એવા ગામડામાં ગયો… છોકરી ચા નો કપ લઇને શરમાતી શરમાતી આવી..એ દરમ્યાન છોકરો પોતાના મોબાઇલમાં કોઇની સાથે વાતો કરી રહ્યો હતો.. છોકરો: હા હા… વાંધો નહી રીલાયન્સ પેટ્રોના 5000 શેર આ ભાવમાં કાઢી નાખો…અને તેની સામે રીલાીયન્સ પાવરના ખરીદી લો….અને બીજું આપણા…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો…