કઍ લોહરાસ્પ (મન) વિચારોના ભગવાન

કઍ લોહરાસ્પ એક પ્રબુદ્ધ રાજા હતા અને તેમની પાસે અપાર્થિવ પ્રક્ષેપણની અનોખી ભેટ હતી, જેનો અર્થ છે કે તે એક જ સમયે બે સ્થળોએ જોઇ શકાય છે. આ આપણને સ્ટાર ટ્રેકથી થોડા હજાર વર્ષ આગળ બતાવે છે! તે એક ખૂબ જ વિકસિત આત્મા હતા જેણે મન પર નિયંત્રણ મેળવવા માટે પોતાની માથ્રવાની શક્તિનો ઉપયોગ કર્યો. તેમણે સર્વ વિચારોના ભગવાન તરીકેનો હોદ્દો આપવામાં આવે છે, અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણા વિચારો પર સકારાત્મક અસર પડે છે.
તેમના ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું (તે ચિત્રમાં લોકપ્રિય રીતે જોવા મળે છે જ્યાં જરથોસ્ત સાહેબ અને પવિત્ર અગ્નિ ત્રણ અલગ અલગ સ્તંભોમાં જોવા મળે છે.), મનમાં શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. નકારાત્મકતા અને હતાશાની અસમાન તરંગો તેમના મંત્રના પાઠ દ્વારા શાંત થઈ જાય છે. (નીચે પ્રમાણે સાત વખત જાપ કરવો)
‘સલીમ મીથ્રા ના રડી, શહેનશાહ સાહેબ કઍ લોહરાસ્પ શાહ બીન અરાવન્દ’
“Salim Mithra na Radi, Shehenshah Saheb Kae Lohrasp Shah Bin Aravand”
આ એક લાઈનની ટૂંકી પ્રાર્થના તે લોકોને મદદ કરે છે જે મનના કોઈ પણ દુ:ખથી પીડાય છે. તે એવા બાળકો પર કામ કરે છે જેઓ પોતાના કામ પર ધ્યાન આપી શકતા નથી અથવા તોફાની છે. અથવા પુખ્ત વયના લોકો જે સ્વાભીમાનથી પીડાય છે, તેમજ જેઓ કોઈપણ પ્રકારની માનસિક અશાંતિનો સામનો કરે છે.
આ પ્રાર્થના ફક્ત તે લોકો માટે જ નથી કે જેઓ તબીબી રીતે હતાશ છે, તે બધા પર કાર્ય કરે છે જેઓ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અથવા જેઓ નકારાત્મકતામાં ડૂબેલા જોવા મળે છે. તેથી ઘણીવાર, આપણને સલાહ આપવામાં આવે છે કે આપણા બાળકો અથવા કોઈ પ્રિયને ઉપચાર માટે કોઈ સલાહકાર (કાઉન્સેલર) પાસે લઈ જાઓ. હું તમને ઉપચાર સાથે આ પ્રાર્થના પણ કરી જોવાની વિનંતી કરૂં છું. આ સ્પંદનોથી ખરેખર સુધારો થાય છે! વ્યક્તિ સાજું થવા લાગે છે.

Similar Posts

  • Let Me Speak Thy Words, Ahura Mazda

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Zarathushtra, Thou Ahura Mazda sayeth, was the first of mortals who heard Thy words. He, Thy prophet, spoke Thy words, unheard by mankind, to our forbears at…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 August – 02 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા….

  • રૂસ્તમની બાનુ તેહમીના

    સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ…

  • શિરીન

    ‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના…