30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો:

કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે આ સમયે આપણે કેરિયર બનાવવાની સીડીઓનાં ચક્કરમાં હેલ્થને બિલ્કુલ ઇગ્નોર કરી દઇએ છીએ. જ્યારે જેટલુ જરૂરી કેરિયર છે, તેટલું જ જરૂરી આપણી હેલ્થ પણ છે. એવું એટલા માટે, કારણ કે જો આપણું શરીર જ આપણો સાથ નહીં આપે, તો ભલા માણસ આપણે કામ કઈ રીતે સારૂ કરી શકીશું અને કેરિયરમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કેવી રીતેઆપી શકશું.
તેથી જો આપ પણ 30નાં તબક્કાને સ્પર્શનારા છો કે 30 ક્રોસ કરી ચુક્યા છો, તો પોતની ફિટનેસ તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દો. આજે અમે આપને કેટલીક એવી સ્વસ્થ ટેવો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને ઉંમરનાં 30મા તબક્કાએ પણ અપનાવવાથી આપ ફિટ એન્ડ ફાઇન બની શકો છો.
આરોગો વધુમાં વધુ લીલી શાકભાજીઓ: કોશિશ કરો કે આપ ખાવાની પ્લેટમાં પ્રોસેસ્ડ ફૂડનાં સ્થાને તાજી અને લીલી શાકભાજીઓને વધુ મહત્વ આપો, કારણ કે આ જ ફ્રેશ અને લીલી શાકભાજીઓ મેટાબોલિક બિમારીઓને ઓછું કરી ઉંમર વધારવામાં મદદ કરે છે. સાથે જ એવું કરવાથી બોડી વેટની નિયમિતતા પણ જળવાઈ રહે છે.
ચેક કરતા રહો વજન: આપણા ખાવા અને વેટ ગેનિંગ વચ્ચેનાં કનેક્શનને જાણવાની સૌથી શ્રેષ્ઠ રીત છે કે આપણએ સમયાંતરે વજન કરાવતા રહીએ કે જેથી આપને જાણ રહે કે ક્યારે અને કેટલુ વજન વધ્યું છે. 30ની ઉંમરમાં આવ્યા બાદ આ સૌથી હેલ્ધી હેબિટ બની રહે છે, કારણ કે તેના વડે આપ વેટ પર નજર રાખી પોતાનાં ડાયેટમાં ચેંજિસ કરી શકો છો.
બોડીને પણ સંભાળો: સામાન્યત: કેટલાક લોકોને કોઇકને કોઇક પ્રકારનાં ખાવાની વસ્તુથી એલર્જી હોય છે. એવામાં જરૂરી છે કે કે જમતી વખતે યાદ રાખો કે આપને શેનાથી એલર્જી છે અને શેનાથી નથી, કારણ કે સ્વાદનાં ચક્કરમાં ખાવાથી આપને જ નુકસાનથઈ શકે છે. એવું કરવાથી એક બાજુ ઇમ્યુન સિસ્ટમ બગડે છે, તો બીજી બાજુ વેટ પણ વધવાનાં ચાંસિસ વધુ હોય છે.
રસોઈ બનાવતા શીખો: અનુમાનિત છે કે ઘરનું બનેલું ખાવાથી લગભગ 100 કેલોરીઝ બચાવી શકાય છે. તેથી જેટલુ વહેલું શક્ય હોય, રસોઈ બનાવતા શીખી લો. સાથે જ તેનો બીજો ફાયદો એ પણ થશે કે પાક કળા આવતાઆપ પોતે જ સ્વસ્થ અને પૌષ્ટિક રસોઈ બનાવી શકો છો.
ફ્રિઝમાં રાખો પૌષ્ટિક સામાન: ઘણા બધા અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણને ભૂખ લાગે છે, તો પોતાની આજુબાજુ મૂકેલી ખાવા-પીવાની વસ્તુઓ શોધવા લાગીએ છીએ. એવામાં આપનું ફ્રિઝ આપની બહુ મદદ કરી શકે છે, કારણ કે ફ્રિઝ જ એવો સ્ટોર પ્લેસ છે કે જ્યાં આપ વસ્તુઓને થોડાક લાંબા સમય માટે ફ્રેશ રાખી શકો છો. તેથી ફ્રિઝમાં હંમશા હેલ્ધી વસ્તુઓને સ્ટોર કરવાની ટેવ પાડી લો.
મસાલા પણ છે કમાલનાં: જો આપ તળેલું કે સેકેલું ખાવાનાં શોખીન છો અને તેનાથી દૂર જવું શક્ય નથી, તો આપ મસાલાઓની મદદ લઈ શકો છો, કારણ કે મસાલા એક તરફ આપણા ટેસ્ટ બડ્સને જીવિત રાખે છે, તો બીજી તરફ તેમનાં કેટલાક આરોગ્યલાભો પણ છે.જેમ કે તજ, જેનાથી આપણું બ્લડ પ્રેશરલેવલ રેગ્યુલર રહે છે, તો હળદર એંટી કેંસર પ્રોપર્ટીઝ માટે જાણીતી છે.
બન્યા રહો એક્ટિવ: ઓબેસિટી, ટાઇપ 2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને અહીં સુધી કે મૃત્યુનું પણ મુખ્ય કારણ છે સુસત જીવનશૈલી. તેથી જીવનશૈલીમાં કંઇક ને કંઇક નવું કરવાની કોશિશ કરતા રહો અને એક્ટિવ રહો કે જેથી આપ આ તમામ બીમારીઓથી બચી શકો.
હેલા ઉઠવાનો બનાવો નિયમ : અર્લી ટૂ બેડ એન્ડ અર્લી ટૂ રાઇઝ… આ વાક્ય જીવનશૈલીમાં જેટલુ વહેલુ બની શકે, તેટલુ વહેલું જોડી લો, કારણ કે જલ્દી ઉઠવાથી એક તરફ લાઇફસ્ટાઇલમાં શિસ્ત જળવાઈ રહેશે, તો બીજી તરફતેનાથી આપને એક્સરસાઇઝ અને રિલેક્સ કરવાનો પુરતો સમય મળી શકશે.

Similar Posts

  • A Question Of Leadership

    There are several problems facing the Parsi community today – religious, social, political and economic. One could say the community is faced with first-class problems and second-class leadership. The question is, are we condemned to it or can we upgrade it? Let’s face some home truths first… As a community, we have many generals and…

  • Greatness, Grace and Goodness Personified
    Happy Birthday, Shri Ratan Tata!

    [otw_shortcode_info_box border_type=”bordered” border_style=”bordered” border_color=”#294ccc” background_color=”#a3d7ff”]The tallest feather in the Parsi cap standing today, a national treasure revered globally, Shri Ratan Tata is the ultimate exemplification of Philanthropy, Nation Building and Statesmanship. One of India’s greatest philanthropists, Ratan Tata – the unparalleled pride of the Parsi and Zoroastrian Community in India and worldwide – is known…

  • SPORTS ROUNDUP 4th January 2019 to 10th January 2020

    CRICKET Rajasthan Royals Appoint Ish Sodhi: Indian Premier League franchise; Rajasthan Royals; have appointed New Zealand leg-spinner; Ish Sodhi; as their Spin Consultant for this year’s 2020 edition. Sodhi was part of their squad in 2018 and 2019 before being released; ahead of last month’s IPL auction. He will work closely with bowling coach Sairaj…

  • Cyrus Vajifdar Ordained Navar

    11-year-old Cyrus Rustom Vajifdar, resident of Cusrow Baug (Mumbai), was ordained Navar on 31st December, 2022, at the Sethna Agyari (Tardeo) under the guidance of Er. Khushravi Darayus Palia. The son of proud parents, Khursheed and Rustom Vajifdar and grandson of Nazneen and Khurshed Vajifdar and Neville and (late) Bapsy Mistry, Cyrus’ ordainment (done between…

  • શિરીન

    સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું…

  • Your Religious Queries Answered

    Why Do Zoroastrian Families Go Vegetarian For Three Days After Death?   Noshir Dadrawala, scholar in Zoroastrian religion and culture, responds to queries sent in by readers seeking answers to various religious and cultural queries Query From Parsi Times reader, Hutokshi Driver: “When there is death in a Zoroastrian family, why do family members abstain…