પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

અસલી એસિર્યનો, બહાદુર બેબિલોનિયનો કે રણશૂર રોમનોને બાજુએ મૂકતા, પ્રાચીન કાળની પ્રજાઓમાં જે પ્રજા પૂરાતન તવારિખના પારસી અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે તે પ્રજા પારસી પ્રજા છે.

Untitled-1 copyઅગર જો અસલી એસિર્યનોની યાદગાર હુન્નરમંદી આજે હયાત છે તો પણ તે પ્રજાને આપણે નાશ પામેલી જોઈએ છીએ. અગર જો પુરાતન રોમન કે ગ્રીક પ્રજાના વંશજો આજે હયાત છે તો પણ તેમનો ધર્મ નાબૂદ થયો છે અગર જો પ્રાચીન કાળના ‘વિદ્યા હુન્નરના સામાન્ય શત્રુ’ દાખલ ગણાતા હન કે તુરાનીઓ, ગોથ કે વન્ડલોએ જમીનદોસ્ત કીધેલાં શહેરોનાં ખંડિયરો આજે આપણું ધ્યાન ખેંચ છે તો પણ તે પ્રજાઓની ધન-નસલ આ ધરતી પર જણાતી નથી. ફકત પારસી પ્રજા જ એક એવી પ્રજા છે કે જેને જમાનાની ગરદીશ ગરદાપેચ કરી શકી નથી. જેનો સેંકડો આફતો કે હજારો વિપત્તીઓ નાશ કરી શકી નથી; જેને ચળકતી શમશેરના જોરેમંદ ઝપાટા જેર કરી શકયા નથી, કે તેજી તલવારના તજ‚બાઓ તમામ કરી શકયા નથી; તે તેજ પ્રસિધ્ધ પ્રજા છે કે જેણે એક વાર તમામ દુનિયામાં દોર અને દમામ ભોગવ્યો હતો, જેના તેજી તીરોના જબરા જખ્મોએ હજારો જિગરો ચાક કીધા હતા અને જેના ભાલાએ

2 copyભલભલા શેરનરોના સીનામાં ધાસ્તી ઉપજાવી હતી. તે તેજ પ્રજા છે કે જેની ધરતી ધ્રુજાવનારી ધમાધમી આપણને અચંબો પમાડી અજાયબીના ઉંડા ગારમાં ગરકાવ કરે છે, જેની જગપ્રસિધ્ધ જોરેમંદી અને જશવંતી જલેહમંદ ફત્તેહો દરેક સાચા પારસીના જિગરો ખુશાલીથી ખીલવી દે છે. તે તે જ પ્રસિધ્ધ
પારસી પ્રજા છે કે જેને આપણે સદા દાનાઈના દરિયામાં ડૂબકી મારતી, ખોદાઈ ખ્યાલોમાં ખીલી રહેલી, સચ્ચાઈ અને ધાર્મિક જિંદગીના એક સાચા નમુના તરીકે પોતાને રજૂ કરતી જોઈએ છીએ. એ પુરાતન પ્રજાના ધર્મ કે વિદ્યા હુન્નર, જાહોજલાલી કે દોર દમામનું બ્યાન કરવા આજે આપણે માંગતા નથી પણ આજે આપણને એ પ્રજાએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગોનો એક સંક્ષેપ સાર ઉપજાવી કાઢવાનો છે.

Similar Posts

  • કાસની રાણી સોદાબે

    એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા…

  • |

    સુખી સંસાર!

    રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 June, 2018 – 08 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની કૃપાથી મનમાં શાંતિ રહેશે. તમે જે પણ ડિસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમે તમારા બધાજ કામ સફળ બનાવશો. મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી ઘરની વ્યક્તિને જરાબી નારાજ થવા નહીં દો. 25મી જૂન સુધી થોડી રકમ બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. 101નામ…

  • નાતાલનો સાચો અર્થ સમજવો!

    બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને…

  • અપડેટ: કોવિડ રોગચાળાથી પ્રભાવિત જરથોસ્તીઓને ટેકો

    – ટ્રસ્ટીઓ અને ટીમ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા – કોવિડથી પ્રભાવિત જરથોસ્તીઓના કેટલાક કેસો પ્રાપ્ત થવાનું ચાલુ હોવા છતાં, બીજી તરંગ (એપ્રિલ 2021 પછી) એક હદ સુધી શમી ગઈ છે. જો કે, તેના પગલે શરૂ થયેલી મુશ્કેલીઓ અવિરત ચાલુ છે, આરોગ્ય, નાણા વગેરેના કારણે વિવિધ ક્ષેત્રના સમુદાયના સભ્યો રોગચાળાની શરૂઆત (માર્ચ 2020) થી, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ, દાતાઓ…

  • પપ્પાનો પ્યાર

    સંદેહીએ મધ્યરાત્રિએ જ પોતાનું એમ.કોમ. પરીક્ષાનું પરિણામ જાણી લીધું હતું. એને ખબર હતી કે પિતા અમીત છ વાગ્યે એને જગાડવા આવશે અને કહેશે કે ‘બેટી સંદેહી! આજે તો જલ્દી ઉઠી જા! જરા મને કહે તો ખરી, તારા કેટલા ટકા માકર્સ આવ્યા છે? આમ છતાં એ ઉંઘી જવાનો ડોળ કરી પથારીમાં પડી રહી… સાડા છ વાગ્યા…