પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

અસલી એસિર્યનો, બહાદુર બેબિલોનિયનો કે રણશૂર રોમનોને બાજુએ મૂકતા, પ્રાચીન કાળની પ્રજાઓમાં જે પ્રજા પૂરાતન તવારિખના પારસી અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે તે પ્રજા પારસી પ્રજા છે.

Untitled-1 copyઅગર જો અસલી એસિર્યનોની યાદગાર હુન્નરમંદી આજે હયાત છે તો પણ તે પ્રજાને આપણે નાશ પામેલી જોઈએ છીએ. અગર જો પુરાતન રોમન કે ગ્રીક પ્રજાના વંશજો આજે હયાત છે તો પણ તેમનો ધર્મ નાબૂદ થયો છે અગર જો પ્રાચીન કાળના ‘વિદ્યા હુન્નરના સામાન્ય શત્રુ’ દાખલ ગણાતા હન કે તુરાનીઓ, ગોથ કે વન્ડલોએ જમીનદોસ્ત કીધેલાં શહેરોનાં ખંડિયરો આજે આપણું ધ્યાન ખેંચ છે તો પણ તે પ્રજાઓની ધન-નસલ આ ધરતી પર જણાતી નથી. ફકત પારસી પ્રજા જ એક એવી પ્રજા છે કે જેને જમાનાની ગરદીશ ગરદાપેચ કરી શકી નથી. જેનો સેંકડો આફતો કે હજારો વિપત્તીઓ નાશ કરી શકી નથી; જેને ચળકતી શમશેરના જોરેમંદ ઝપાટા જેર કરી શકયા નથી, કે તેજી તલવારના તજ‚બાઓ તમામ કરી શકયા નથી; તે તેજ પ્રસિધ્ધ પ્રજા છે કે જેણે એક વાર તમામ દુનિયામાં દોર અને દમામ ભોગવ્યો હતો, જેના તેજી તીરોના જબરા જખ્મોએ હજારો જિગરો ચાક કીધા હતા અને જેના ભાલાએ

2 copyભલભલા શેરનરોના સીનામાં ધાસ્તી ઉપજાવી હતી. તે તેજ પ્રજા છે કે જેની ધરતી ધ્રુજાવનારી ધમાધમી આપણને અચંબો પમાડી અજાયબીના ઉંડા ગારમાં ગરકાવ કરે છે, જેની જગપ્રસિધ્ધ જોરેમંદી અને જશવંતી જલેહમંદ ફત્તેહો દરેક સાચા પારસીના જિગરો ખુશાલીથી ખીલવી દે છે. તે તે જ પ્રસિધ્ધ
પારસી પ્રજા છે કે જેને આપણે સદા દાનાઈના દરિયામાં ડૂબકી મારતી, ખોદાઈ ખ્યાલોમાં ખીલી રહેલી, સચ્ચાઈ અને ધાર્મિક જિંદગીના એક સાચા નમુના તરીકે પોતાને રજૂ કરતી જોઈએ છીએ. એ પુરાતન પ્રજાના ધર્મ કે વિદ્યા હુન્નર, જાહોજલાલી કે દોર દમામનું બ્યાન કરવા આજે આપણે માંગતા નથી પણ આજે આપણને એ પ્રજાએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગોનો એક સંક્ષેપ સાર ઉપજાવી કાઢવાનો છે.

Similar Posts

  • લગ્નજીવન

    અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો….

  • નીમચ ડીસીએ સંપત્તિ વેચવાના એફપીઝેએઆઈના પ્રસ્તાવને નકારી કાઢયો

    નીમચ (મધ્યપ્રદેશ)માં તેની મિલકતો અંગે સમુદાયમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને, સ્થાનિક નાયબ કલેકટર (ડીસી) એ ફેડરેશન ઓફ પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન્સ ઓફ ઈન્ડિયા (એફપીઝેડએઆઈ) દ્વારા બનાવેલી મિલકતો વેચવાના પ્રસ્તાવને નકારી કાઢવાનો આદેશ આપ્યો છે. બીપીપી પેટાકંપની. આ વિકાસ સ્થાનિક અખબારમાં મિલકતોના વેચાણ અંગેની જાહેરાત પ્રકાશિત થયાના બે વર્ષ પછી થયો છે. કલેકટરે નિરીક્ષણ કર્યું હતું…

  • નિવૃત્ત પિતા

    ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે…

  • સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!

    ‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’ ‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં…

  • હસો મારી સાથે

    પત્ની પતિને: તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ: ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જો. *** આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે….વિજય માલ્યા નવહજાર કરોડનો દાગીનો છે. *** કૃષ્ણને 16,108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 June – 09 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે ઘરમાં કોઈ સારા કામકાજ કરવામાં સફળ થશો. કામકાજનું પ્રેશર ઓછું રહેશે. ચંદ્ર તમારા મનને શાંતિ આપશે. હાલમાં ડીસીઝન લેવામાં મુશ્કેલી નહીં આવે. ધનની કમી નહીં આવે. મનને શાંત રાખીને બીજાની મુશ્કેલીઓ ઓછી કરશો. હાલમાં 34મુ નામ…