જો તમારો જન્મ જૂનની ૨૫મી તારીખે થયો હોય તો…

તમને ધન મેળવવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડશે. કોઈ પણ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નહીં થાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. બીજાની વાત તમે સહેલાઈથી માની લેશો. તમારા વિચારો ખૂબ  જ નાજુક હશે. તમે વારસાગત કામ કરી શકશો. તમે સાહિત્યના શોખીન હશો તેમ જ ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની વાતોમાં વિશેષ રસ રહેશે. લાંબા પ્રવાસનો શોખ વધુ રહેશે. તમે પાણીની આજુબાજુ રહેવાનું વધુ પસંદ કરશો. સ્વભાવે તમે ડરપોક પણ હશો. કૌટુંબિક જીવનમાં મતભેદ પડશે. અન્ય વ્યક્તિઓને તમારી સાથે ગેરસમજ વધારે થશે. તમારે બચત કરવી જ‚રી છે. તમારે વૃધ્ધાવસ્થા માટે પૈસાનો વિચાર કરી યોજના કરવી પડશે. તમે સામી વ્યક્તિ પર ઝડપથી વિશ્ર્વાસ નહીં મૂકો. તમારી સાથે જો કોઈ નિખાલસભાવે વાત કરશે તો તે તમને વધુ પસંદ પડશે. જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હશે. તમને ખોટા વિચારો વધારે આવશે. અંગત વ્યક્તિ જ તમને બદનામ કરશે. તમે ઘણીવાર ખૂબ જ ચિંતા કરશો. પેટના દુખાવાથી, લોહીના દબાણથી, હાઈપ્રેશરથી સંભાળવું પડશે.

શુભરંગ: દૂધિયો, શુભ નંગ: પાંચુ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦.

– નુપુર

Similar Posts

  • આદિલ સુમારીવાલા સાથે વાર્તાલાપ

    ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ માટેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય / જ્યુરી સભ્ય પીટી: પ્રથમ, અમને જણાવો કે તમે રોગચાળો દ્વારા સમયનો સદઉપયોગ કઈ રીતે કર્યો જ્યારે મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતીે? આદિલ: અમે રોગચાળા દરમિયાન 49 દેશોમાં 2,50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. શરૂઆતમાં, અમારા અભ્યાસક્રમોનો હેતુ…

  • હસો મારી સાથે

    ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું. પાણી એકદમ હળવું છે. પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે એટલે પાણીથી હળવું તેલ છે. તેલ ઉકળતું હોય એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે એટલે એ સૌથી હળવાં કહેવાય. માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો. *** કોઈ વધારે દારૂ પીતા હોય એમને બૂમ ના પાડશો….

  • ઈરાનના રાજકુંવરે બંગાળની રાજકુંવરીનું મન હરી લીધું!

    બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!! શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો. રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • શિરીન

    ‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’ ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિ‚ધ્ધ જતા પણ અપાવી દેતો….

  • જાણો આ ઋતુમાં તમારા રસોડામાં સૂંઠ કેમ હોવી જોઈએ

    શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. પરંતુ અમે તમને સુકા આદુના સેવનના ફાયદા જણાવતા પહેલા જણાવી દઈએ કે સૂંઠ શુ છે. સુકા આદુના પાવડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક…