|

જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો..
તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ ખૂબ જ સારી હશે. તેમ જ તમે નિદાન પણ સારું કરી શકશો. તમે સ્વતંત્ર વિચાર ધરાવનાર હશો. બીજાનો પ્રભાવ તમારા પર નહીં પડે. તમે તમારા વિચારો મુજબ પ્રગતિ કરશો. તમારું જનરલ નોલેજ ખૂબ જ સારું હશે, જેથી તમારી સારી છાપ પડશે. વિરુદ્ધ જાતિની વ્યક્તિને આકર્ષિત કરી શકશો. પ્રેમ માટે તમે સ્વતંત્ર વિચાર ધરાવતા હશો. પ્રેમમાં તમે ચંચળ રહેશો. જો તમારા લગ્ન ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે થઈ જશે તો તમારા જીવનસાથી સાથે મતભેદ થતા રહેશે. માનસિક ત્રાસ તમને વધુ રહેશે. ડોક્ટરો તમારી બિમારીનું નિદાન કરવામાંં ઘણી વખત નિષ્ફળ જશે. દાંત, ડોક, હરસ-મસા તેમજ ગરમીથી થતા રોગોથી સંભાળવું પડશે. તમને ઠંડી ઋતુમાં દાંત અને માથાનો દુ:ખાવો થશે.
શુભરંગ: બ્લુ, શુભ નંગ: પાંચુ
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૬, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૩૨, ૩૩, ૪૧, ૫૦, ૫૧, ૫૯, ૬૦, ૬૮, ૭૭.

Similar Posts

  • ‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

    પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે…

  • પ્રશ્ર્ન છે ફકત પસંદગીનો!!

    જેરી એક હોટલનો મેનેજર હતો. તે સૌનો ઘણો માનીતો હતો કારણ કે તે હમેશા સારા મૂડમાં જ જોવા મળતો. કોઈની સાથે પણ ગુસ્સે થવાને બદલે દરેક સાથે તે સમજાવટથી કામ લેતો. જ્યારે જ્યારે જેરી પોતાની નોકરી બદલતો ત્યારે તે હોટલના ઘણા વેઈટર પણ તે હોટલ છોડી તેની સાથે બીજી હોટલમાં કામ કરવા જતા, કારણ કે…

  • પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

    પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

  • જવ કેટલા ઉપયોગી છે?

    જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી…

  • મને તમારી દીકરી બનાવશો?

    અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ…