|

જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો..
તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ ખૂબ જ સારી હશે. તેમ જ તમે નિદાન પણ સારું કરી શકશો. તમે સ્વતંત્ર વિચાર ધરાવનાર હશો. બીજાનો પ્રભાવ તમારા પર નહીં પડે. તમે તમારા વિચારો મુજબ પ્રગતિ કરશો. તમારું જનરલ નોલેજ ખૂબ જ સારું હશે, જેથી તમારી સારી છાપ પડશે. વિરુદ્ધ જાતિની વ્યક્તિને આકર્ષિત કરી શકશો. પ્રેમ માટે તમે સ્વતંત્ર વિચાર ધરાવતા હશો. પ્રેમમાં તમે ચંચળ રહેશો. જો તમારા લગ્ન ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે થઈ જશે તો તમારા જીવનસાથી સાથે મતભેદ થતા રહેશે. માનસિક ત્રાસ તમને વધુ રહેશે. ડોક્ટરો તમારી બિમારીનું નિદાન કરવામાંં ઘણી વખત નિષ્ફળ જશે. દાંત, ડોક, હરસ-મસા તેમજ ગરમીથી થતા રોગોથી સંભાળવું પડશે. તમને ઠંડી ઋતુમાં દાંત અને માથાનો દુ:ખાવો થશે.
શુભરંગ: બ્લુ, શુભ નંગ: પાંચુ
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૬, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૩૨, ૩૩, ૪૧, ૫૦, ૫૧, ૫૯, ૬૦, ૬૮, ૭૭.

Similar Posts

  • |

    ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

    24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા…

  • પારસી ન્યુઝ

    ડુંગરવાડીને શબવાહીનીનું દાન 12 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ, પારસી અને ઈરાની જરથોસ્તીઓના શબનેે નિવાસસ્થાન / હોસ્પિટલોથી ડુંગરવાડી, મુંબઇ લઈ જવા માટે એક નવી શબવાહિની (ટાટા વિંગર બીએસવીઆઈ હાઈ રૂફ) દાનમાં આપવામાં આવી હતી. શબવાહિની મરહુમ શ્રી જમશેદ ખુરશેદ શેઠના (બોર્ડ ઓફ કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેકટર)ની પ્રેમાળ સ્મૃતિમાં દાન કરવામાં…

  • સવારના પહોરમાં ઉંઘમાંથી ઉઠયા પછી પાળવાના દીની ફરમાનો

    દરેક નાના મોટા જણે સવારના પહોરમાં ઝળકયું થતા સુરજ ઉગવાની 72મીનીટ અગાઉ યાને ઉશહેન ગેહની હોશબામ થવાની અગાઉ યા બને તેમ જલદી બીછાનાપર ઉઠી, ત્યાજ જમીન પર તુરત ઉભા રહીને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં મોંહ કરી જમીન પર હાથ લગાડી આરમઈતીને નમસ્કાર કરીને એક અષેમ વોહુ ભણવી અને તે વખતે મનમાં એવો…

  • સફળ કેમ થશો?

    રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક વખત ભીખ માંગતા માંગતા તે…

  • મહેનત રંગ લાવી!

    ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

  • જે વિચારશો તે બનશો

    એક સંસ્કૃત કહેવત આ પ્રમાણે છે: ‘યદ ભવમ, તદ ભવતિ,’ અથવા ‘દુનિયા તમારી જેમ છે અને તમે જે વિચારો છો તે બની જશો.’ સજીવ અને નિર્જીવ વિશ્વમાં, આપણે સતત લયના દાખલાઓ શોધીએ છીએ, જેમાં દરેક વસ્તુ ઉર્જાના સતત સ્પંદનોની સ્થિતિમાં અસ્તિત્વમાં છે. મન એ આપણી વિચાર-શક્તિનો સંગ્રહ છે અને આપણે જે વિચારીએ છીએ, તે થાય…