શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

શાહ ઝેનાનને જોયું કે તે પોતાના ભાઈની અરજ વધારે વાર થોભાવી શકતો નથી ત્યારે તેને જે કાંઈ કૌતુક મહેલની બારીથી જોયું હતું તે સઘળું વિગતવાર પોતાના ભાઈને કહી સંભળાવ્યું. શેહરીયારે કહ્યું કે ‘પ્યારા બીરાદર તમોએ કહ્યું તે હું બોલ બોલે ખરૂં માનું છું પણ આ બીના એટલી તો અગત્યની છે કે તે મને મારી નજરે જોવી જોઈએ અને મને મારી ખાતરી કરી લેવી જોઈએ.’ શાહ ઝેનાને કહ્યું કે ‘પ્યારા બીરાદર તે કામ તમે ઘણીજ આશાનીથી કરી શકશો. શિકાર કરવાનો બીજો એક દિવસ મુકરર કરો અને આપણે શિકાર કરવા ગયા પછી તમે અને હું મારા ઓરડામાં છુપી રીતે પાછા આવી રહીશું અને મેં જે કૌતુક જોયું હતું તે બીજે દિવસે તમો નજરો નજર જોઈ લેજો. આ ગોઠવણ સુલતાનને પસંદ પડી તેથી જલદીથી ફરીથી શિકાર કરવા જવાનો એક દિવસ મુકરર કીધો અને જે જગા મુકરર કરવામાં આવી તે જગા પર તેજ દિવસે તંબુ મારવાની ધામધુમ મચી રહી.

બીજે દિવસે બન્ને પાદાશાહ બીરાદરો બહાર પડયા અને પોતાના મુકામ કરવાની જગા પર કેટલોક વખત સુધી થોભી રહ્યા. તેઓએ ત્યાર પછી પોતાનો વેશ બદલી નાખ્યો. શહેરમાં પાછા આવ્યા અને તેઓ શાહ ઝેનાનના ઓરડામાં દાખલ થયા. તેઓ જઈને બારીએ બેસે શું કે તેવામાં પેલો છુપો દરવાજો ઉઘડી ગયો અને રાણી પોતાની બાંદીઓ તથા ગુલામો સાથે બાગમાં દાખલ થઈ. ફરીથી રાણીએ મશૌદને પોકાર મારી બોલાવ્યો અને સુલતાનની ખાતરી થઈ કે તેના ભાઈએ જે હકીકત કહી તે તદ્દન ખરી હતી!

પોતાની ખરાં જીગરથી ચાહેલી સુલતાનાની આવી નીચ બેવફાઈ જોઈ શાહ ઝેનાનને અતિ ઘણો ધિકકાર લાગી આવ્યો. તેણે વિચાર્યુ કે આવી મોટી પાદશાહી જાહોજલાલી છતાં આવી બેવફાઈ સુલતાનાએ કીધી ત્યારે દુનિયામાં વફાઈનું નામજ નહીં હશે! તે પોકારી ઉઠયો કે ‘અફસોસ! જ્યારે મારા જેવા મોટા શહેનશાહને તેની મોહરદાર બેવફા થઈ ત્યારે બીજા ગરીબોની ઓરતો કેવી રીતે પોતાના ધણીને વફાદાર રહેતી હશે? પ્યારા બીરાદર જેમ આવી બેવફાઈથી તમારૂં જીગર ચાક થયું તેમ મારૂં પણ થયું છે પણ તમો તો ફકત તે ગુન્હાગારો પર કીનો લઈ પોતે દુ:ખી થયા અને તેજ પ્રમાણે હું પણ કીનો તો સહેલથી લઈ શકુ પણ હવે દુનિયાદારીના વહેવારમાં રહેવાનો મારો બિલકુલ વિચાર નથી તેથી હું કીનો પણ લેતો નથી કારણ આવી જાહોજલાલી છતાં ઓરત જાતમાં વફાદારી નહીં રહી તો આ સંસારને જળાવી મુક! અને ચાલ બીરાદર મારી સાથે આપણે આ બહોળું રાજપાટ અને મોટી જાહોજલાલી છોડીને તે ખોદાવંદતાલાની બંદગીમાં મશગુલ રહેવા માટે ફકીરી અવતાર લઈ આજને આજ ગુપચુપ અત્રેથી જંગલ બિઆબનમાં ચાલ્યા જઈએ.

શાહ ઝેનાને જવાબ દીધો કે ‘પ્યારા બીરાદર હું તમારી સાથે આવવાને તૈયાર છું પણ એટલી શરત કરવા માગું છું કે જો આપણને એવા લોકો મળે કે જે આપણા કરતા વધારે બદબખ્તીમાં ગિરફતાર હોય તો આપણે આપણા વતનમાં પાછા ફરીએ.’ સુલતાને તે વાત કબુલ કીધી અને છુપાછુપ તે જગાથી તેઓ બહાર નીકળી ગયા.

 (ક્રમશ)

Similar Posts

  • Caption This – 4th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 8th March 2023. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • The Significance Of Navratri And Dassehra

    According to Hinduism, our Earth passes through various cycles, as per mankind’s mental conditioning and consequent actions (karma). These cycles (Yugas) are, Sat-Yug, Treta-Yug, Dwapar-Yug and Kal-Yug (which we are passing through now). Lord Ram was the seventh incarnation of God Vishnu in the Treta-Yug. Since every Yug is a struggle between the forces of…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 5; Lucky Card: Hierophant): Daily prayers cleanse the soul and soothe the mind, so ensure that you partake of the same. Finances would be stable. You are empowered by…

  • |

    Don’t Leave Me Alone!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Shirin Merchant is India’s pioneering Canine Behaviourist and Trainer. For the past 25 years, she has worked hard to ensure that dogs in India are trained using reward-based methods.  [/otw_shortcode_info_box] A year ago, when the pandemic struck, it changed our lives and those of our dogs’ too. We were all stuck at…

  • વિશ્ર્વમાં હકારાત્મકતા વધારો

    ધ્યાન પ્રાર્થના દ્વારા તમારા મનને શાંત કરીને તમારા તણાવ અને તમારા બોજને મુક્ત કરો. આ બધું દાદાર અહુરા મઝદા પર સંપૂર્ણ વિશ્ર્વાસ અને આસ્થા સાથે છોડી દો અને જ્યારે તમે આમ કરો છો, ત્યારે તમે તેની સાથે જોડાઈ રહ્યા છો. તેના સમય અને તેના માર્ગો પર વિશ્ર્વાસ કરવાનું યાદ રાખો. નિરાશ ન થાઓ, ખુલ્લા દરવાજા…