પારસીઓના નામ કેવી રીતે પડયા?

હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. જે વખતે જન્મ થયો હોય તેને પાંચમે દહાડે કોઈ જોશીને તે ઘડી પળ દેખડાવવામાં આવે છે. બીજું શું થાય છે તે આગળ જોઈએ. છઠ્ઠીના લેખ લખાવાની રાતે હિંદુ રીત મુજબ એક થાળીમાં શાહીનો ખડિયો, કલમ, કંકુ, નાળિયેર એ રીતે મૂકીને સુવાવડી બાઈના ઓરડામાં મૂકે છે. જોશી જન્મના વખત ઉપરથી જન્મેલું બચ્ચું કયા ગ્રહ કે રાશિના ચક્રમંડળમાં આવે છે તે જુએ છે અને તે જ ગ્રહ કે રાશિને અનૂકુળ અક્ષરોવાળુ નામ બચ્ચાનું રાખવા કહે છે. ૧૬-૧૭-૧૮ ને ૧૯મી સદીની શ‚આતમાં પારસીઓ પોતાના દેશ, વેશ અને ખેશથી એટલા બધા અંજાણ થઈ પડયા હતા કે ૧૬મી ૧૭મી અને ૧૮મી સદીમાં તો તેઓ હિન્દુજ નહીં થઈ ગયા એજ અજાયબ ઉખ્યાણું રહી ગયું છે! તેઓ પોતાનો ઈરાની પોશાક ભુલી ગયેલા, ઈરાની ભાષા ભુલી ગયેલા, ઈરાની વડવાઓનાં નામો ભુલી ગયેલા અને ઈરાની રાહરસમો ભુલી ગયેલા. માત્ર ધર્મે તેઓ જરથોસ્તી છે એટલું ચીવટપણે વળગી રહેલા. જ્યારે જોશી ‘ન’ અક્ષર ઉપરથી નામ રાખવા કહે ત્યારે તેઓને ઘણું તો નશરવાનજી કે નવરોજી નામ યાદ આવે! તેમાં ભોગ ચોઘડીયે જો બચ્ચાનાં બાપનું નામ નશરવાનજી હોય અને કાકાનું નામ નવરોજી હોય તો થઈ ચૂકયું. હયાત સગાનું નામ તો બનતાં સુધી પડાય જ નહીં. નહીં તો રખે પેલો સગો મરી જાય(૧) ત્યારે આવી સ્થિતિમાં જોશી સુચવી દેશે કે નરસિંહભાઈ નામ રાખો! નાનજીભાઈ નામ રાખો! વગેરે. કારણ કે તે વેળા જોશી ઘણે ભાગે હિન્દુ જ એટલે તે બાપડા બતાવી બતાવીને હિન્દુ નામ બતાવે, તેઓને પારસી ઈરાની પાદશાહ પહેલવાનોના નામની ખબર હોય જ શાની? ત્યારે એમ કરતાં હિન્દુ નામો પેઠાં અને પારસી નામોની સંખ્યાની હદ ઘણી સાંકડી હોવાથી હિન્દુ નામોને જ પારસીઓ વળગી રહ્યા; કારણ કે શિરીન પણ ભારી ઈરાની નામો તો

Similar Posts

  • હસો મારી સાથે

    ઘરમાં બાયું, બહાર વાયુ, આમાં ક્યાં જાય ભાયું!! *** મુંબઈ સુધી મેઘરાજાની સવારી આવી ચૂકી છે, માટે બહાર નીકળો ત્યારે એકાદ નાની થેલી લઈને બહાર નીકળવુ કેમકે મોબાઈલ ને થતી ‘શરદી’ જલ્દી નહી મટે. દવા અને સારવાર ખૂબ મોંઘી છે. *** હું શું કહું છુ, આપણે આ શેઠ બ્રધર્સને કહીને દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ’…

  • Your Moonsign Janam Rashi This Week –
    17 February, 2018 – 23 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચાઓ ઓછા કરવાનો વિચાર કરશો ત્યાં ડબલ ખર્ચ થઈ જશે. તેમછતાં તમને અફસોસ નહીં થાય. ઓપોઝિટ સેકસની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો. લગ્ન થઈ ગયેલા હશે તો ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. રોજબરોજના…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો…

  • ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા માટે એસજેએએમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોડર્સ

    પારસી સ્પોટર્સ આઇકોન્સ – સુપ્રસિદ્ધ ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા – ને સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ) દ્વારા લાંબા સમય સુધી રમતના વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એસજેએએમની કાર્યકારી સમિતિએ ઓગસ્ટ 2022માં મહારાષ્ટ્ર સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન (એમએસએલટીએ) ખાતે તેની મીટિંગ દરમિયાન આ વર્ષની સન્માન સૂચિ પર…

  • હસો મારી સાથે

    નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો? આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો… *** પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો…

  • જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

    ડિસેમ્બર 2013માં શરૂ કરાયેલી જીયો પારસી યોજના, ઓગસ્ટ, 2019ના અંતમાં પારસી સમુદાયમાં 200 બાળકોને સફળતાપૂર્વક તાજેતરની ગણતરીમાં ઉમેરવામાં આવે છે. ટીમ જીયો પારસીના સતત પ્રયત્નોથી પ્રજનનની સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, તમામ સમુદાયમાં જાગૃતિ અને સફળતા પ્રાપ્ત થઈ છે. બોમ્બે પારસી…