પારસીઓના નામ કેવી રીતે પડયા?

હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. જે વખતે જન્મ થયો હોય તેને પાંચમે દહાડે કોઈ જોશીને તે ઘડી પળ દેખડાવવામાં આવે છે. બીજું શું થાય છે તે આગળ જોઈએ. છઠ્ઠીના લેખ લખાવાની રાતે હિંદુ રીત મુજબ એક થાળીમાં શાહીનો ખડિયો, કલમ, કંકુ, નાળિયેર એ રીતે મૂકીને સુવાવડી બાઈના ઓરડામાં મૂકે છે. જોશી જન્મના વખત ઉપરથી જન્મેલું બચ્ચું કયા ગ્રહ કે રાશિના ચક્રમંડળમાં આવે છે તે જુએ છે અને તે જ ગ્રહ કે રાશિને અનૂકુળ અક્ષરોવાળુ નામ બચ્ચાનું રાખવા કહે છે. ૧૬-૧૭-૧૮ ને ૧૯મી સદીની શ‚આતમાં પારસીઓ પોતાના દેશ, વેશ અને ખેશથી એટલા બધા અંજાણ થઈ પડયા હતા કે ૧૬મી ૧૭મી અને ૧૮મી સદીમાં તો તેઓ હિન્દુજ નહીં થઈ ગયા એજ અજાયબ ઉખ્યાણું રહી ગયું છે! તેઓ પોતાનો ઈરાની પોશાક ભુલી ગયેલા, ઈરાની ભાષા ભુલી ગયેલા, ઈરાની વડવાઓનાં નામો ભુલી ગયેલા અને ઈરાની રાહરસમો ભુલી ગયેલા. માત્ર ધર્મે તેઓ જરથોસ્તી છે એટલું ચીવટપણે વળગી રહેલા. જ્યારે જોશી ‘ન’ અક્ષર ઉપરથી નામ રાખવા કહે ત્યારે તેઓને ઘણું તો નશરવાનજી કે નવરોજી નામ યાદ આવે! તેમાં ભોગ ચોઘડીયે જો બચ્ચાનાં બાપનું નામ નશરવાનજી હોય અને કાકાનું નામ નવરોજી હોય તો થઈ ચૂકયું. હયાત સગાનું નામ તો બનતાં સુધી પડાય જ નહીં. નહીં તો રખે પેલો સગો મરી જાય(૧) ત્યારે આવી સ્થિતિમાં જોશી સુચવી દેશે કે નરસિંહભાઈ નામ રાખો! નાનજીભાઈ નામ રાખો! વગેરે. કારણ કે તે વેળા જોશી ઘણે ભાગે હિન્દુ જ એટલે તે બાપડા બતાવી બતાવીને હિન્દુ નામ બતાવે, તેઓને પારસી ઈરાની પાદશાહ પહેલવાનોના નામની ખબર હોય જ શાની? ત્યારે એમ કરતાં હિન્દુ નામો પેઠાં અને પારસી નામોની સંખ્યાની હદ ઘણી સાંકડી હોવાથી હિન્દુ નામોને જ પારસીઓ વળગી રહ્યા; કારણ કે શિરીન પણ ભારી ઈરાની નામો તો

Similar Posts

  • શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

    આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    પાદશાહે જ્યારે જાણ્યું કે તે કોઈ બેગાનો ધણી છે, ત્યારે જવાબ દીધો કે ‘એવી બેટી કે જે નહીં જણાયેલા આદમીને પોતાના ખાવિંદ તરીકે પસંદ કરીને પોતાના ખાનદાન ઉપર નામોસી લાવે, તેવી બેટી કોઈને ત્યાં નહોતી. જો હું તે બેગાના મર્દ ને મારી છોકરી આપુ તો મારા ખાનદાનના નામ ઉપર નામોસી જોઉં. તેણીનું અને જે ધણીને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 July, 2018 – 13 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા 24મી જુલાઈ સુધી ચાલશે તેથી તમારે બ્લડપ્રેશર જેવી માંદગીથી સંભાળવું પડશે. નાની બાબતમાં મગજનું બેલેન્સ ગુમાવી દેશો. રોજના કામમાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતી કરવાની…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

  • ડબ્લ્યુઝેડસીસીની 2020ની ગ્લોબલ કોન્કલેવ

    આપણા સમુદાયની સેવા માટે જાણીતા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત ડબ્લ્યુઝેડસીસી – વલ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ તેના 4-દિવસીય (2 જાન્યુઆરીથી 5, 2020 સુધી) 19 વર્ષ પૂરા થયાની ખુશાલીમાં મહારાષ્ટ્રના લોનાવલામાં ‘ગ્લોબલ કોન્કલેવ 2020’ની ઉજવણી થઈ હતી. લગભગ 200 સભ્યો અને અતિથિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજે દિવસે નવસારીના વડા દસ્તુરજી, કેકી રાવજી મેહરજીરાણાની આગેવાની હેઠળ…

  • જીન ગુમ થઈ ગયો!

    ‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન…