જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ પકડીને નીસ્તી-ગેતીમાં શરીર ‚પે દેખાવ દે છે, ત્યારે તેને ‘વોહુન’ કહે છે. આ બન્ને તત્વોમાંથી તેઓ દરેકનાં દોરો નીકળે છે, જેઓ અંતકરશનાં દશમાં ચખ્રમાં એકમેકને મળી જઈને ‘મન’ નામની ચીજને ઉભી કરે છે. ત્યારે આ મનની ગતિ હમેશાં બે પ્રકારની હોય છે. તે ભલીગોસ્પંદી હોય તેમજ બૂરી ખ્રફસ્ત્રી પણ હોય. આપણો દરેકનો આ તો જાતિ અનુભવ છે કે કોઈક વખત આપણને ઘણા જ ઉમદા નેક અને ભલા વિચારો આવે છે, જ્યારે બીજી વખત નહિ ધારેલા બૂરા નુકસાનકારક વિચારો મનની અંદર આવે છે. આનું કારણ મનની અંદર થતા ગવ અને વોહુનના દોરોનું છે.

આપણા જેવા સાધારણ ઈન્સાનનાં તનમાં ‚વાન પોતે તો ઘણું ઘણું બચપણના પહેલા ૧૬ મહિના લગીથી તે ૪૮ મહિના લગી સચેત રહી શકે, પણ પાંચમા સાલથી આ ખાકી અનાસરી શરીરની ‘સમીયત’ (ઝેરી ખસ્તલ) વધયે, ‚વાનના હોશ ઉપર ‘બંદ-દરોશ’ની બેડી પડે છે, જેથી શરીરનાં રાજ્યનો કારોબાર ‚વાન મનને સોંપી તેને પ્રેસિહન્ટ નેમે છે અને તેને તાકીદ કરે છે કે ‘તારે વહીવટ કરતી વખતે કેબિનેટનાં બન્ને સાઈડનાં સભાસદોનું (ગવને લગતાં ગોસ્પંદી તત્વોનું તેમજ વોહુનને લગતાં ખ્રફસ્ત્રી તત્વોનું) મત લઈ પછી બેઓદાંગની પાસેથી તે માટેની બહાલી મેળવીને જ જિંદગીમાં વર્તવું. આવી સલાહ આપી ‚વાન પોતે ગફલતીની નિંદમાં પડે છે અને મન બધો વહીવટ કરે છે. બુરામાં બુરાં માણસને વટીક કંઈબી ખોટું કામ કરતાં અંતકરણમાં જે ડંખ થાય છે, તે મનની આવી કુદરતી બનાવટને લીધે છે. માટે આપણે ઈન્સાનોએ આ અંત:કરણના ડંખને સમજતા થઈને ખોટાં કામો કરવાથી જિંદગી દરમ્યાન બાઝ રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે નહીં અને મન વોહુનને લગતા ખ્રફસ્ત્રી સભાસદોની સલાહ અનુસાર જ વર્તયા કરે ગવને લગતા ગોસ્પંદી સભાસદોની સલાહ માન્ય ન રાખે, તો પછી તેઓ પોતાનું મત આપતા બંધ પડે છે, અને મન ઈન્સાનને બુરાઈ તરફ જ સદા દોરવ્યા કરે છે. આવી કંઈક વિગત મનને લગતી છે.

Similar Posts

  • અમદાવાદ પારસી પંચાયતે ઉજવેલો સફળ ગંભાર

    અમદાવાદ પારસી પંચાયત(એપીપી)એ તા. 7મી જાન્યુઆરી, 2018 ના રોજ પ્રોફેસર ફિરોઝ અને સુનામાઈ દાવરની સ્મૃતિમાં ગંભારનું આયોજન કર્યું હતું. આ પહેલ અને નાણાકીય દાન તેમની દીકરી પ્રોફેસર આરમઈતી દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જશનની પવિત્ર ક્રિયા લાલકાકા હોલ, પારસી સેનેટોરિયમ ગ્રાઉન્ડસ, અમદાવાદમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ચાર મોબેદ દ્વારા થયેલી હમબંદગી સાથે કરવામાં આવી…

  • ભોપાલ પારસી અંજુમને નવરોઝની ઉજવણી કરી

    ભોપાલ પારસી અંજુમને તા. 12મી ઓગસ્ટ 2017ને દિને પારસી નવા વર્ષની ઉજવણી કરી. છ કુટુંબોએ સાથે મળીને હોટલમાં જઈ આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ રમતો રમી તથા મજા ભરેલી પ્રવૃતિઓ કરી નવરોઝ ઉજવી હતી. આ પ્રસંગે ભોપાલ પારસી પંચાયતના પ્રમુખ રોહિન ગાંધી, સેક્રેટરી ગેવ ધનજીભોય અને ખજાનચી (કર્નલ રિટાયર્ડ) ફિરોઝ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st July – 06 August, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો….

  • હસો મારી સાથે

    એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને…

  • આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

    કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    17 March, 2018 – 23 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તબિયતમાં સારા સારી રહેશે. દરેક બાબતમાં એકટીવ રહેશો. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોજીટ સેક્સનું એટ્રેકશન વધી જશે. તમને ગમતી વ્યક્તિ તમારા મનની વાત સમજી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. લગ્ન કરવા…