અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

લખનાર – મિનોચહેર એરચશાહ દાદરાવાળા

વહાલાં યાદગાર વતન, ઈરાનની ઝળકતી તવારીખના સોનેરી સફાઓ. પૂરાતન પારસી યોદ્ધાઓના સુંદર સાહસિક કર્મો અને કીર્તિવંત કારકીર્દીના અનેક યાદગાર અહેવાલોથી ઝમકી અને ચમકી રહ્યા છે. ઈરાન ગોયા જેહાંનને જીતનાર અને અદલ ઈનસાફ અને દયાથી રાજ્ય કરનાર યોદ્ધાઓ અને ધરતિ ધ્રુજાવનાર વીર નરોનો મૂલ્ક છે. એ જબરા યોદ્ધાઓની જગપ્રસિદ્ધ જયથી એક વખતે ટિબેટનાં જંગલોથી તે એ એટલાંટિક મહાસાગરના કોસ્ટાઓ સૂધીના અને રશિયા તથા સાઈબીરિયાના ભિત્તરથી તે ઈથિઓપિયા તથા સાહરાનાં રેતાળ રણો સૂધીના દેશો અને અતરાફો ઉપર પ્રતાપિ પારસીઓનો કિર્તીવંત કાવિયાની ઝુંડો ફરકી રહ્યો હતો. આવાં જગત-રાજ્યને ટેકવી રાખનારા, અનેક યાદગાર યોદ્ધાઓ, પારસી પ્રજા વચ્ચે પ્રકાશી ગયા છે જેઓમાંના ફકત એકજ શૂરવીરની નોંધ આજે આપણે લઈશું.

બહાદુર બોગીઝની ટુંક નોંધ તવારિખનો પિતા હીરોડોટસ અને જગપ્રસિદ્ધ ગ્રીક ઈતિહાસકર્તા થીયુસીડાઈડીઝે પોતાના ગ્રંથોમાં લીધી છે. આ નોંધ જોકે અત્યંત ટુંકી છે, તે છતાં તે બહાદુર સરદારની રયોમંદ જીંદગીના ફકત એકજ બનાવ ઉપરથી પૂરાતન પારસીઓના શૂરાતન અને દેશહિતકાર અને દેશાભિમાનનો ઝાંખો ખ્યાલ આપણને આવે છે.

ગ્રીસ ઉપરની મહાત્મા ક્ષયાર્થી

(ઝર્ક્ષીસ)ની મહાભારત ચઢાઈના છેવટના તબક્કા દરમ્યાન જ્યારે પારસીઓ ગ્રીસ, મેસીડોનિયા, પીઓનિયા તથા (દેરિસક્રસ, બાઈઝેનશીયમ અને ઈઓન સિવાયનું) આખું થ્રેસ છોડ ી બેઠા, ત્યારે થ્રેસના પારસીઓના કબજામાં બાકી  રહેલાં શહેરો પણ સર કરી લઈ તેઓને યુરોપ ખંડ છોડી, સદાબરા જવાની ફરજ પાડવા માટે નામીચા એથીનિયન યોદ્ધા કુશળ કાઈમને પ્રથમ ઈઓન ઉપર ચઢાઈ કીધી. આ શહેર થ્રેસના મુલ્કમાં સ્રિમોન નદી ઉપર આવેલું હતું. તેનો હોકમ બહાદુર બોગીઝ  હતો.

(ક્રમશ)

Similar Posts

  • બહમન મહિનાનું સ્વાગત – શાણપણની ઉજવણી

    બહમન (પહલવી વહમન)નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અવેસ્તામાં, બહમનને સંસ્કૃત વાસુ માનસની જેમ વોહુ (સારા) મન તરીકે ઓળખવામાં આવે છે. વોહુ મન દ્વારા જ શાણપણ પ્રાપ્ત કરી શકાય છે. તેથી, બહમનના આ પવિત્ર મહિનામાં ચાલો શાણપણની ભાવના અથવા સાર ઉજવીએ. અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડની પ્રકૃતિ એવી છે કે તે ન તો…

  • દહીં પાપડી ચાટ

    સામગ્રી: 24 પાપડી (ચપટી પૂરી), 2 મધ્યમ બાફેલા બટાકા, 1/2 કપ પલાળેલ મગની દાળ, દોઢ કપ દહીં, 1 ચમચી જીરા પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી દાડમના દાણા, 1 ચમચી ખાંડ, 1/4 કપ લાલ મરચું અને લસણની ચટણી, 1/4 કપ લીલી ચટણી, 1/4 કપ ગળી ચટણી, 1/2 ચમચી ચાટ મસાલો, સેવ જરૂરિયાત મુજબ…

  • ઈશ્ર્વર પર ભરોસો

    એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • ગણપતિ બાપ્પા મોર્યા!!!

    ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી. આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ…

  • ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

    ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો….