અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

ગયા અંકથી ચાલુ

આ શૂરવીર સરદારને પ્રથમ કાઈમને શહેર છોડી, એશિયા ખાતે કુચ કરી જવાને અર્જ કરી પરંતુ પોતાને સોંપવામાં આવેલું શહેર જંગ મચાવ્યા વિના શત્રુઓને શરણ કરીને  જગમશહુર ઈરાનની પ્રતિષ્ઠા કોઈપણ અંશે ઘટાડે, તેટલો તે હિચકારો હતો નહિ. એથીનિયનોનાં જબરાં બળ સામે ટકવું મૂશ્કેલ હતું. તે બિના તે દેશભિમાની વીર નર સારી પેઠે જાણતો હતો; તો પણ પ્રસિદ્ધ, પ્રતાપિ પારસીઓનાં બુલંદ નામને ખાતર છેવટ સૂધી યુદ્ધ કરીને પોતાની કીર્તિ અમર કરી, પનોતા પારસીઓની કીર્તિની સુંદર કલ્ગીરમાં કેટલાંક વધુ પીછાં ઉમેરવાનો તેણે મક્કમ નિશ્ર્ચય કર્યો. તેનાં શૂરાતન આગળ એથીનિયનો ફાવી શક્યા નહિ અને જ્યાંસૂધી ભૂખમરાના દુષ્ટ દૈત્યે તેને અધમૂઓ કરી મૂક્યો નહિ ત્યાંસૂધી તે શત્રુઓ સાથ બાથોબાથ લડ્યો. છેવટે કિલ્લામાં અનાજનો એક પણ દાણો બાકી રહ્યો નહિ. આથી પણ તે જવામર્દે હિંમત ખોહિ નહિ. દુશ્મનોને શરણ થવા જેટલું બાયલાપણું ત્હેનામાં હતું નહિ. પોતાના પ્યારા પ્રાણની પણ તેને દરકાર હતી નહિ. તેજ પ્રમાણે બહાદુર પાકદામનની, નેકખુ, ખુબસુરત પારસી બાનુુઓ ઝનુની, બદખાહ, શત્રુઓના હાથમાં સપડાય તે પણ તેનાથી સાંખી શકાયું નહિ. માટે છેવટે તે રણશૂર વીર નરે એક જબરી ચીતા સળગાવીને પોતાનાં કમનસીબ બાળકો, પ્યારી મહોરદાર, હીંમતવાન દાસીઓ અને બહાદુર ગુલામોને કત્લ કરીને તેમાં નાખ્યાં. પોતાના કમબખ્ત  પણ બહાદુર વહાલાંઓને ઘાતકી ગ્રીકોની ગુલામગીરીમાંથી એ રીતે બચાવી, તે અઝીઝ પારસી શેર નરે કિલ્લામાંનો સઘળો ખજાનો એકઠો કરીને સ્ત્રિમોન નદીમાં હોમાવી દેવડાવ્યો, કે જેથી તે હરીફોને હાથ જવા પામે નહિ. છેવટે પોતાની બહાદુરી અને વિખ્યાતીની વાત ચોમેાર ફેલાવીને તે નામાંકિત નરે બળતી ચેહમાં ઝોંકાવ્યું અને પોતાના પ્યારો  પ્રાણ પારસી શાહાનશાહતની સેવામાં જગપ્રસિદ્ધ પારસી યોદ્ધાઓની પ્રતિષ્ઠા જાળવવા તે જેહાંન મશહુર યોદ્ધાએ અર્પણ કરીને દુશ્મનને શરણે જવાના તરીકાને જગત સન્મૂખ તેણે તીરસ્કારને પાત્ર ઠેરવ્યો.

પ્યારા બોેગીઝના સાહસકર્મની તારીફ હવે ઈરાનમાં પ્રસરવા લાગી. તેના હયાત વારસો હવે ઈરાની શાહાનશાહતમાં પૂંજાવા લાગ્યા. તવારિખનવેશ હીરોડોટસ પારસીઓનો કટ્ટો વેરી હોવા છતાં બહાદુર બોગીઝને માટે સ્તુતિ કરી ગયો છે, ત્યારે તે વીરલાના વારેસો – હાલના પારસીઓ – પોતાની પવિત્ર ફરજ બજાવવામાં પાછળ હઠે એમ હું ધારતો નથી. તે નામાંકિત નરનું નામ નામધરણમાં લેવાવું જોઈએ. વળી તેના જેવા દિલશેર, મહાન શખ્સની પવિત્ર યાદ દરેક સાચા પારસીના જીગરમાં ફરવરદીગાનના પવિત્ર દિવસો ઉપર તાઝી રખાવી જોઈએ! વહાલા પારસીઓ! તમે જો કીર્તિવંત બહાદુર વડવાઓના વારેસ ગણાઓ છો, તે વડવાઓની ઝળકતી કારકીર્દિનો અભ્યાસ કરવાને ઉતાવળે બિદાર બનો! ઈરાન સરઝમીનનો યાદગાર ઈતિહાસ વાંચી તેની ઉપર ખુબ ગોર અને મનન કરીને તમે મગરૂર થાઓ. તે વતનની દાઝ, તે પવિત્ર ભૂમીના યાદગાર યોદ્ધા અને શાહાનશાહોની યાદ અને તમારા પારસી ખવાસ અને કયાની ખમીર, તમોને હમેશાં હોંશ અને હીશમતથી ભરપૂર રાખે એવી હું દુઆ કરૂં છું!

અશો બોગીઝનાં ફરોહરને માન સાથે યાદ કરીને હું રૂખસદ લઉં છું.

Similar Posts

  • |

    ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

    દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય . હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th January – 17th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ એક જગ્યાએ સ્થિર નહીં રહે.  તમારા વિચારો નેગેટિવ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા કે મિત્રો નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. કોઈની સાચી સલાહ આપશો તો તમારાથી…

  • શિરીન મર્ચન્ટને ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા!

    પારસી ટાઇમ્સની પેટ પૂજા કોલમના લેખિકા અને શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર અને એમને તાલીમ આપનાર અગ્રણી શિરીન મર્ચન્ટને 20મી જાન્યુઆરી, 2018 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી દ્વારા યજમાનિત થયેલ, શિરીનને માનનીય રાષ્ટ્રપતિ રામનાથ…

  • શિરીન

    ‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’ ‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’ શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો. પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 March – 10 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા જશે. ખર્ચ પર કાબુ મુકવામાં સફળ નહીં થાવ. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. ચાલુ કામની અંદર પ્રમોશન અથવા નાણાકીય ફાયદો થશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જજો. દરરોજ ‘બહેરામ…

  • ‘તિરંગા નો પાંચમો રંગ’

    ‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’ પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો. બધા હસવા લાગ્યા, ‘તિરંગામાં ત્રણ જ રંગ હોય ને?’ ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો. પ્રવીણ સરે, એને પૂછયું ‘તારો જવાબ અલગ છે?’ એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી ‘પાંચ.’ અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ. પ્રવીણ સર પણ થોડું…