|

ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ તરીકે મેહેરબાની દેખાડવી જોઈએ.”
તેની એ વર્તણુંકથી તેનો પોતાનો બેટો ગુશ્તાસ્પ નારાજ થતો. તે ચીંતા રાખતો, કે જેમ કએખુશરૂએ પોતાના બપાવા કૌસનાં ખાનદાનના નબીરાઓનો હક બાજુએ મેલી બીજી શાખાના શાહાજાદાને રાજ આપ્યું, તેમ રખેને મારો બાપ લોહોરાસ્પ મારો હક મેલી દઈ, કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓ તરફ તે મારા કરતાં વધુ મેહેરબાની દેખાડે છે, તેઓને રાજ આપે. એવી ચિંતાથી, જ્યારે લોહોરાસ્પ, કૌસનાં ખાનદાનીઓ તરફ સભ્યતા ખાતર પણ મેહરબાની દેખાડતો, ત્યારે ગુશ્તાસ્પ તે નાપસંદ કરતો, અને બાપ તરફથી પોતાનો ગેરઈનસાફ થતો માનતો, જો કે લોહોરાસ્પનાં મનમાં રાજગાદી ઉપરથી ગુશ્તાસ્પનો હક દૂર રાખવાનો કાંઈ પણ વિચાર નહિ હતો.
એક દિવસ પાદશાહ લોહરાસ્પે પોતાના મહેલના બાગમાં ખુશીખુશાલીની એક મિજલસ – હાલના શબ્દોમાં બોલીએ તો એક ગાર્ડન પાર્ટી બોલાવી હતી. ત્યાં શરાબનો દોર ચાલતો હતો. શાહના બેટા ગુશ્તાસ્પે શરાબ જરા વધારે લીધો હતો. તેની ખુરમીમાં તેને પોતાની ઉપલી ચીંતાનો ખ્યાલ આવ્યો. તેને લાગ્યું કે પાદશાહ તેનાં કરતાં કૌસનાં ખાનદાનીઓ તરફ વધારે મેહેરબાની દેખાડે છે, તેથી તેણે શરાબની ખુમારીમાં ત્યાં ને ત્યાંજ બાપ પાસે રાજ્યગાદીની તેની હૈયાતીમાંજ નીચે મુજબ માંગણી કીધી –
(ક્રમશ)

Similar Posts

  • World Heritage Day Celebrated in Navsari

    There was much celebration and activity in the air in Navsari, Gujarat, on 18th April, 2023, which marked ‘World Heritage Day’. Known as our ‘dharam ni tekdi’ or the religious/cultural capital of the Parsi community, Navsari indeed houses a number of heritage structures which highlight the glorious legacy of our community. To further boost and…

  • માલપુઆ

    માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે. સામગ્રી: મેંદો 1 કપ, માવો 1 કપ, દૂધ 2 કપ, દેશી ઘી 8 ચમચી,…

  • સર રોન કલિફા હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સ લિસ્ટમાં નાઈટેડ

    બ્રિટિશ ઉદ્યોગસાહસિક – સર રોહિન્ટન મીનુ અથવા રોન કલિફા ઓબીઈને નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં યોગદાન માટે હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સની યાદીમાં નાઈટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડિજિટલ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં જાણીતા વ્યૂહાત્મક અને ઓપરેશનલ લીડર, સર રોન કલિફા હાલમાં નેટવર્ક ઇન્ટરનેશનલ (એક એફટીએસઈ કંપની)ના અધ્યક્ષ તેમજ ફ્યુચરલર્નના અધ્યક્ષ છે. તે ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો…

  • Divine Comedy

    In literature, art and cinema, death has been depicted as a terrible thing… the final end, although in reality, it is merely a release from the burden of the physical body and the madness of the world. Every religious tradition recognises that to reach the final truth, one must pass through death. This is the…