કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા પલંગ પર તે સિધિની જગાએ તે સુતો અને પોતાની બરછી ચાદર હેઠળ છુપાવી અને તેણે જે વેર લેવાની ધારણા રાખી હતી તે પાર પાડવાની રાહ જોતો પડી રહ્યો.
થોડીવાર પછી તે જાદુગર ઓરત મહેલમાં આવી લાગી. તેણીએ પહેલું કામ એ કીધું કે જે દિવાનખાનામાં તેણીએ પોતાના ધણીને રદ કરી બેસાડેલો હતો ત્યાં તે ગઈ. પહેલા તો તે શાહને તેને નાગો કીધો અને ધિકકાર ભરેલા ઘાતકીપણાથી તેના બદન પર સરેશ્તા પ્રમાણેના ફટકા માર્યા. તે ગરીબ શાહે પોતાના રૂદનના પોકારથી આખ્ખું મકાન ભરી નાખ્યું અને તેની પર દયા કરવાને ઘણીજ કાકલુદીથી વિનંતી કરવા લાગ્યો પણ તે કરપીણ જાદુગર, જ્યાં સુધી એકસો ફટકા મારી નહી રહી ત્યાં સુધી અટકી નહીં. તે બોલીકે ‘તે મારા યાર પર કાંઈપણ દયા કીધી નહીં તેથી મારી દયાની તારે ઉમેદ રાખવા નહીં. પોતાનું કરપીણ કામ કરી રહ્યા પછી તેણીએ તે શાહજાદાના બદન પર ચામડાનો ઝભો નાખ્યો અને તેની ઉપર સોનેરી કિનખાબનો જભો નાખ્યો. તેને મેલી તે ‘માહેતમ મહેલ’માં ગઈ અને ત્યાં દાખલ થતાંવાર પોતાના રૂડનો રડવા શરૂ કીધા અને પોતાના દુષ્ટ યારના પલંગ આગળ આવી બોલવા લાગી કે ‘અફસોસ છે કે મારા સરખી મોહોબત ધરાવનાર માશુકની શાંતિ ભરેલી ખુશાલીનો ભંગ કરવો એ કેવું નિર્દયપણું છે? ઓ કરપીણ શાહજાદા! જ્યારે મારા કીનાનો જોર તને બતાવું છું ત્યારે તું મને ઠપકો આપી કહે છે કે ‘હું ઘાતકી છું.’ પણ મારા વેર કરતા તારૂં ઘાતકીપણું વધારે થયું નથી શું? રે કંગાળ શાહજાદા! હું જે રાક્ષસની પુજા કરતી હતી તે શખસનો જાન લગભગ કબજ કરી તે મને મારી નાખી નથી?’ તે પોતાના યાર તરફ જોઈને કહેવા લાગી કે ‘ઓ મારી જીંદગીના ચેરાગ! તું શું આ પ્રમાણે હમેશ ચુપકીદી અખત્યાર કરી રહેશે? મને તારા મહોબતના મધુર વચન એકવાર ફરીથી સંભળાવ્યા વિના મને મારી નાખવાનો શું ઠરાવ કરી રાખ્યો છે? હું વિનંતી કરી કહું છું કે તું એક બોલ તો બોલ?’ ત્યારે સુલતાન જાણે ભર ઉંઘમાંથી જાગી ઉઠ્યો હોય તેમ દેખાડી તથા સિધી લોકોની ભાષાની નકલ કરી બોલ્યો કે ‘સર્વે શક્તિવાન સાહેબ તો ખોદાજ છે!’ તે જાદુગર સ્ત્રી જે કદી પણ એવી આશા રાખતી ન હતી કે તેનો યાર એક હરફ પણ બોલશે અને જ્યારે તે આટલા સખુનો બોલ્યો તેની ખુશાલીના હરખમાં તે ચીસ પાડી બોલવા લાગી કે ‘મારા ખાવિંદ તું મને ઠગે છે કે શું? જે હું સાંભળું છું તે શું ખરૂ છે? જે બોલે છે તે ખરેખર તુંજ છે?’ સુલતાને જવાબ દીધો જે ‘ઓ ઘાતકી ઓરત! શું તને જવાબ દેવો ઘટે છે?’ તે રાણી બોલી કે ‘તું શું મને ઠપકો આપે છે?’ તે સુલતાને જવાબ દીધો જે ‘તારો ખાવિંદ, જેને તું દરરોજ આટલી બધી ઘાતકી રીતે રિબાવે છે તેથી તે એટલો તો રડે છે, એટલા તો આસુ પાડે છે, એટલી તો બુમ પાડે છે કે નહીં રાત્રે કે નહીં દિવસે મને ઉંઘ આવતી. (ક્રમશ)

Similar Posts

  • તમે બીજાના કેટલા ઉપયોગમાં આવો છો?

    એક વખત એક માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું…

  • Chomp & Cheers Presents Chef Delzad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Delzad K Avari is a Le Cordon Bleu, London Alumni. His love for cooking was evident from a very young age. Having completed the Grand Diploma in cuisine and patisserie from the London campus, post his Hotel Management degree from Mumbai’s Sophia Polytechnic. His expertise has been honed with rich and varied experiences…

  • Avabai Petit Wins Football Tourney

    In the crucial semi-finals of the Under 16, Division-II of ‘Football Tournament’ organised by the Mumbai School Sports Association (MSSA), the Bai Avabai Framji Petit Girls High School (Bandra) outplayed Gokuldham High School (Goregaon) by 2-0. The finals was nerve wrenching with both teams goal-less at half time. However, Petit’s Alla Kolhaa’s scored a lone…

  • Kudos Parinaz Jal!

    On 23rd November, 2020, Netflix’s original series – ‘Delhi Crime’, an Indian Television series, was announced as ‘Winner Of The Best Drama Series’ at the 48th International Emmy Awards, making it India’s very first web series to win an International Emmy. A proud part of this project, was our very own Parinaz Jal, who worked…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16th January – 22nd January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમને નાના કામમાં પણ અડચણ આવતી રહેશે. તમારા કરેલ કામોમાં તમારા દુશ્મન નાની ભુલ ને મોટી બતાવી પરેશાન કરશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. કોઈની ભલી દુવા તમને બચાવી લેશે. રાહુના પ્રકોપમાંથી બહાર આવવા પરવરદેગારનું નામ…