ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે?

એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું ફીલફીલના લાકડાંનું થિયેટર બાંધી ત્યાં પોતાના ગુજરાતી ખેલો કરતી હતી. ઝોરાસ્ટ્રિયનવાળાઓબી એ જ નાટકશાળામાં પોતાનો ‚સ્તમ સોહરાબનો ઓપેરા અને સંસારી ફારસ કરવા ઘણાજ ખંતી હતા, કેમ કે પારસી કોમનો મોટો ભાગ, તે વખતે કોટ, ધોબીતળાવ અને બહારકોટમાં વસતો હોવાથી, તે મોટા ભાગની આમદ ઉપર મોટી વકી રાખતા હતા. એ એક જનેમ ધ્યાનમાં રાખી, નાટક ઉત્તેજકવાળું થિયેટર, જે એસ્પ્લેનેડ થિયેટરને નામે ઓળખાતું હતું. તેના થોડાક આડા દહાડા, ‚સ્તમ સોહરાબનો ઓપેરા કરવા માટે દર રાતના ‚ા. ૩૦ને હિસાબે ભાડે લીધા હતા. થોડા દહાડા એટલે શનિ અને બુધવારની રાત સિવાય, સઘળા દહાડા, કેમ કે એ દહાડા ઉપર નાટક ઉત્તેજક મંડળી પોતાના નાટકો કરતી હતી. ઝોરાસ્ટ્રિયન સોસાયટીવાળાઓ મંગળની રાતે, અને શુક્રવારની રાતે ‚સ્તમ સોહરાબ કરતા હતા. થોડાક અઠવાડિયામાં તો કામ ઠીક ગબડયું પણ અંતે એક દહાડો ‚સ્તમ બામજીની મોહકાણમાં ગડબડની શ‚આત થઈ હતી.

પરદાનું દોરડું કાપી નાખવા એક નીકળેલો પારસી

‘એ શાની શું તાકાત, કે એવો ફારસ કરે!’

રતિ મડમના ફારસમાં મરહુમ ‚સ્તમ બામજી એક મોબેદનો પાર્ટ કરતા હતા. આ ખેલાડી મેં આગળ લખ્યું છે તેમ ઘણો જ ઉમંગી હતો. તેણે રતિ મેડમના ફારસમાં પોતાનો મોબેદનો પાર્ટ કરતા, એકાદ ફ્લુકનો ઉપયોગ કીધો હતો અને કહેવામાં આવે છે કે એક દિનશાહ હારવર નામનો પારસી તેથી ઘણો જ ઉશ્કેરાઈ ગયો હતો. તે પારસી પોતાના  જેવા બે એક જણ સાથ ખેલની બપોરના નાટકશાળાના મેનેજર અને સુથારને આવી દમદાટી કરી ગયો હતો કે જેવી રીતે ફારસમાં પેલા ‚સ્તમ બામજીએ ગઈ વખતે કીધું હતું, તેવું જો આજે રાતે કરશો તો હમો તેજ વખતે સ્ટેજ ઉપર આવી પરદાના દોરડા કાપી નાખશું. એ સા-ની શું તાકાત કે એવો ફારસ કરે!’

આ સનાનના સમાચાર રાતના સ્ટેજ મેનેજરે હમને જણાવ્યા. મરહુમ પેસ્તનજી કાંગા, જેવણ કોટમાં જ રહેતા હતા, અને જેવણ તે વખતના મશહુર પંજાબી ઉસ્તાદ ‘અમદુ’ની તાલિમમાં નિયમીત કસરત કરવા જતા હતા. તેવણ આ દિનશાહ હારવરનું નામ સાંભળી હસી પડયા. અને બામજીને સ્ટેજ ઉપર પોતાનું કામ કરવા હિંમત આપી. ‚સ્તમ સોહરાબના ગાયનો સાંભળી મરહુમ ફરામજી કાવસજી મહેતાએ પોતાની તરફથી ખર્ચ કરી, સઘળા ગાયનોની એક ફાંકડી ચોપડીની એક હજાર નકલ તેના કરતા ડો. ધનજીભાઈ પટેલને ભેટ કરી હતી. આ ચોપડીની એક એક નકલ મરહુમ મી. મહેતાએ તે વખતના સઘળા જાહેર છાપાઓ ઉપર રિવ્યું માટે મોકલાવી હતી. હવે બનાવ એવો બન્યોે કે મરહુમ બેરામજી મલબારીનું અઠવાડિક પત્ર ‘ઈન્ડિયન સ્પેકટેટર’ ફરામજીના કયસરે હિન્દ પ્રેસમાં છપાતું હતું. તેવણ એ ગાયનનું પુસ્તક વાંચી એક રાત્રે ‚સ્તમ સોહરાબ જોવા આવ્યા હતા અને તે ગાયનો વગેરે સાંભળી તેવણે પોતાના છાપામાં સીફારસના બે બોલ લખ્યા હશે તે વાંચી મરહુમ કેખશ‚ કાબરાજી ‚સ્તમ સોહરાબ સાંભળવા આવ્યા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 August – 27 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન…

  • ચણાના લોટનાં ઢોકળાં

    સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ,…

  • આદર પુનાવાલાએ ‘એશિયન્સ ઓફ ધ યર’માં સ્થાન મેળવ્યું

    વિશ્ર્વના સૌથી મોટા રસી ઉત્પાદક – સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઇઓ આદર પુનાવાલાને તાજેતરમાં સિંગાપોરના અગ્રણી દૈનિક ધ સ્ટ્રેટસ ટાઇમ્સ દ્વારા એશિયન ઓફ ધ યર તરીકે ઓળખવામાં આવતા છ લોકોમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત માન્યતાના અન્ય પાંચ પ્રાપ્તકર્તાઓમાં ડો. રીઉચી મોરીશીતા (જાપાન), પ્રોફેસર ઉઇ એન્ગ ઇઓંગ (સિંગાપોર); ફાર્માકોના સ્થાપક અને…

  • શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

    ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે જણાવી રહ્યા…

  • ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

    એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…