પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો.

આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું છું. કે નાટકના ધંધામાં તે ઉલઠાપ અને ભુલઠાપનો જમાનો હતો. જે પરદા ચીતરાવ્યા હતા તે નાટકનું નામ ‘પરસ્તાનના પરીઆં’ આપેલું હતું. તે ખાસ રંગાવેલા હતા. ખેલાડીઓના ડ્રેસો વટીક નવા સીવડાવ્યા હતા અને ફરામજી દલાલે એવી ઉમેદ રાખી હતી કે દાદી ઠુંઠી પોતે ખેલમાં પાર્ટ કરશે અને તેનું નામ છાપામાં છપાયાથી આવકની દરેક ગણત્રી રાખી હતી. પણ હવામાં બાંધેલો ફરામજી દલાલે તે અમલો પહેલી બે ત્રણ નાઈટમાંજ જમીનદોસ્ત થઈ ગયો. દાદી ઠુંઠીએ પાર્ટ કીધો નહીં. ઓપેરા જેવો જોઈએ તેવો ગવાયો નહીં અને અધુરામાં પુરૂં ફરામજી દલાલનો ગાયનનો ભાગ ઘણોજ નબળો ગયો, એટલે ફરામજીની નાસીપાસીનો પાર રહ્યો નહીં.

ખુણે બેસીને કરેલા લખતમાં, ખુદાને ખબર કેવી રીતે દાદી ઠુંઠીએ, ફરામજી દલાલ જેવા બાહોશ અને શેર બજારના જાણીતા વહીવટદાર સાથ લેખિત કરાર કીધા હશે કે આ બન્ને ભાગીદારો એક બીજાથી છૂટા પડયા અને સૌથી વધારે અફસોસ કરવા જેવું છેવટ તો એ આવ્યું કે આખી નાટકશાળા ઉખડી ગઈ. એકટરોને એક મહીનાની નોટીસો મળી અને નાટક ઉત્તેજક મંડળીનો તમામ સામાન અને ડ્રેસો વિગેરે વિગેરે મરહુમ નાનાભાઈ રાણીનાની આલફ્રેડ નાટક મંડળી માટે તેવણે ખંડી લીધો હતો. જોયું! નાટક ઉત્તેજક મંડળીની કેવી સરજત! જેના નાટકો મુંબઈમાં ગર્વનરો અને આગેવાનોએ જોઈ વખાણેલા જેના મદદગારો અને સલાહકારો મુંબઈના આગેવાન અકાબરો થયેલા અને જેના નાટકોની વખાણો જાબજા થઈ રહેલી તેનું આખેરી છેવટે કેવું દુ:ખદાયક આવ્યું.

ગરીબ બીચારો ફરામજી! તેવણ પાછા શેર બજારમાં ધંધે લાગી ગયા અને ઉર્દુ કલબ કાઢવા જતાં પોતાની જૂની સોલ વરસની કલબના દાંડા વેચાઈ ગયા, અને દાદી ઠુંઠી! વળી કોઈ નવી કલબમાં જોડાવા ચાલ્યા! અલબત્તા બન્નેના દાઝી તો ગયા હશે ખરા!

(વધુ આવતા અંકે)

Similar Posts

  • એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

    વજીરના ઉપર તેનો પૂરતો ઈતબાર હોવાથી પાદશાહે તેની હકીકત ખરી માની વધુ શોધખોળ કીધી નહી. સારા ભાગ્યે શાહજાદાને પાધરો રસ્તો જડ્યો, તેથી પોતાનો મકાન તે સલામત જઈ પહોંચ્યો અને તે વજીરની ગફલતીથી તેની ઉપર જે જફા આવી પડી હતી તેનો ટુલોટવિલ હેવાલ પોતાના બાપ આગળ કહી સંભળાવ્યો. તે પાદશાહે પોતાના વજીર ઉપર એટલો તો રીસે…

  • અમારા મા-બાપ જ અમારી ધરોહર!

    સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…

  • કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

    આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો. ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17April – 23rd April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને સુર્યની દિનદશા 4થી મે સુધી ચાલશે. સરકારી કામમાંં મુશ્કેલી ઉભી કરાવીને રહેશે. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહી. આંખમાં બળતરા તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં બેદરકારી કરશો નહીં. ઘરના લોકો તમારાથી નારાજ થશે ઘરમાં…

  • યથા

    ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ…