શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે તે પસંદ કરશે નહીં. તેજ પ્રમાણે સામ નરીમાન પણ પોકાર કરી ઉઠશે. તે પણ હાથ અફાળશે અને મારી ઉપર ગુસ્સે થશે પણ મારા મનથી જાન અને તન વગર કિમતના છે. હું તેઓને હલકા ગણીશ અને મારૂં કફન પહેરીશ. પણ દાદગર દાવર આગળ કબૂલ થાઉ છું કે હરગેજ તારા પેમાનથી હું ફરીશ નહીં. હું ખોદાતાલાની સેતાયશ કરીશ, યજદાં પરસ્તોની માફક નીઆએશ કરીશ કે તે સાહેબ સામનું અને મારા દેશના પાદશાહનું દિલ નામરજી અને ગુસ્સા અને કિનાથી ધોઈ નાખે. જેહાનને પેદા કરનાર સાહેબ મારા સખુનો સાંભળશે અને તેથી તું મારી પ્રિયા તરીકે મશહૂર થશે.’

રોદાબે આ સખુનો સાંભળી કહ્યું કે ‘હું પણ યકીન અને દીનના દાવર ખોદા આગળ કબૂલ થાઉ છું અને મારા આ બોલવા ઉપર જહાનનો પેદા કરનાર સાહેબ સાથી છે કે જહાન પહેલવાન જાલેજર કે જે તાજ અને ગંજનો અને કિર્તી અને દબદબાનો સાહેબ છે, તે સિવાય મારી ઉપર કોઈપણ બીજો શખ્સ પાદશાહ થશે નહીં.’

બામદાદ થતાં જાલ પોતાની છાવણીમાં પાછો ફર્યો અને પછી પોતાના દરબારીઓને મિજલસમાં બોલાવ્યા. શરૂઆતમાં તેણે ખોદાતાલાને યાદ કર્યો કે કુલ જગત તેની પેદાયશ છે. તે ઈન્સાફ અને બખશેશનો ખાવિંદ છે. એક કીડી વટીક પણ તેના વગર પોતાનો પગ ઉંચકતી નથી. પછી કહ્યું કે ‘દાદારે આ દુનિયાની વૃધ્ધિ જોડાં મારફતે કીધી છે, કારણ કે એકથી (એટલે જોડાં વગર) વૃધ્ધિ થતી નથી. તે કેરદેગાર સિવાય કોઈપણ એકલો નથી. તેનેજ નથી કોઈ ભાગ્યો કે જોડયો કે યાર. તેણે જે પેદા કર્યુ છે તે જોડાં તરીકે પેદા કર્યુ છે. છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો, અને સઘળી ચીજો તેનાથી કિંમતી બની. અગર જો જેહાનમાં જોડું ન હતે, તો શક્તિ છુપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જેહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપાનો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ ચાલુ રહે છે. હવે હાલ એ સગળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યાં સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મેહરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે.

(ક્રમશ)

Similar Posts

  • ભગવાને રાખી ભકતની લાજ

    એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 March, 2019 – 08 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો ત્યાં કદર થશે. લેતી-દેતીના કામ સમય પર પૂરા કરી શકશો. ધારેલી જગ્યાએથી ધન મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. મનગમતી વ્યકિતને મળી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના…

  • હસો મારી સાથે

    પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા. ત્યાં પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે. મેરા ઘર ખુલા હૈ ખુલ્લા હી રહેગા. એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..! ઝગડો એકાએક પૂરો થઈ ગ્યો..! પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ…

  • યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

    તા. 1લી જુલાઈ 2018ના દિને યંગ રથેસ્તારોએ ઘરની આવશ્યક વસ્તુ તથા અનાજ આપવા ફોર્મ વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું જે છેલ્લા ચાલીસ વરસોથી કરવામાં આવે છે. યંગ રથેસ્તાર્સના એક સભ્યએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘વરસોથી નવા વરસના પ્રસંગે સમુદાયના લાભાર્થીઓને જરૂરિયાતોની ચીજો આપતા ગૌરવનો અનુભવ થાય છે. મંચી કામાના ‘મેટ્રો જંકશન’માં જે…

  • નવા વર્ષમાં બધાને ખુશીઓ વહેંચીએ!

    સુખ એ અદભુત લાગણી છે જે આપણા પર આવે છે જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણું જીવન સારું છે અથવા સારું ચાલી રહ્યું છે અને આપણે કોઈ કારણ વગર માત્ર સ્મિત કરીએ છીએ. તે સુખાકારી, આનંદ, ઉલ્લાસ, સિદ્ધિ, સફળતા અથવા સંતોષની ભાવના છે. સુખ ઘણી વાર તે કરવામાં અને અર્થપૂર્ણ સંબંધો બાંધવામાં જોવા મળે છે,…

  • તંત્રીની કલમે

    તમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું….