શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે તે પસંદ કરશે નહીં. તેજ પ્રમાણે સામ નરીમાન પણ પોકાર કરી ઉઠશે. તે પણ હાથ અફાળશે અને મારી ઉપર ગુસ્સે થશે પણ મારા મનથી જાન અને તન વગર કિમતના છે. હું તેઓને હલકા ગણીશ અને મારૂં કફન પહેરીશ. પણ દાદગર દાવર આગળ કબૂલ થાઉ છું કે હરગેજ તારા પેમાનથી હું ફરીશ નહીં. હું ખોદાતાલાની સેતાયશ કરીશ, યજદાં પરસ્તોની માફક નીઆએશ કરીશ કે તે સાહેબ સામનું અને મારા દેશના પાદશાહનું દિલ નામરજી અને ગુસ્સા અને કિનાથી ધોઈ નાખે. જેહાનને પેદા કરનાર સાહેબ મારા સખુનો સાંભળશે અને તેથી તું મારી પ્રિયા તરીકે મશહૂર થશે.’

રોદાબે આ સખુનો સાંભળી કહ્યું કે ‘હું પણ યકીન અને દીનના દાવર ખોદા આગળ કબૂલ થાઉ છું અને મારા આ બોલવા ઉપર જહાનનો પેદા કરનાર સાહેબ સાથી છે કે જહાન પહેલવાન જાલેજર કે જે તાજ અને ગંજનો અને કિર્તી અને દબદબાનો સાહેબ છે, તે સિવાય મારી ઉપર કોઈપણ બીજો શખ્સ પાદશાહ થશે નહીં.’

બામદાદ થતાં જાલ પોતાની છાવણીમાં પાછો ફર્યો અને પછી પોતાના દરબારીઓને મિજલસમાં બોલાવ્યા. શરૂઆતમાં તેણે ખોદાતાલાને યાદ કર્યો કે કુલ જગત તેની પેદાયશ છે. તે ઈન્સાફ અને બખશેશનો ખાવિંદ છે. એક કીડી વટીક પણ તેના વગર પોતાનો પગ ઉંચકતી નથી. પછી કહ્યું કે ‘દાદારે આ દુનિયાની વૃધ્ધિ જોડાં મારફતે કીધી છે, કારણ કે એકથી (એટલે જોડાં વગર) વૃધ્ધિ થતી નથી. તે કેરદેગાર સિવાય કોઈપણ એકલો નથી. તેનેજ નથી કોઈ ભાગ્યો કે જોડયો કે યાર. તેણે જે પેદા કર્યુ છે તે જોડાં તરીકે પેદા કર્યુ છે. છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો, અને સઘળી ચીજો તેનાથી કિંમતી બની. અગર જો જેહાનમાં જોડું ન હતે, તો શક્તિ છુપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જેહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપાનો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ ચાલુ રહે છે. હવે હાલ એ સગળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યાં સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મેહરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 January – 03 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી તમારા કામકાજમાં જરા પણ હીંમત નહીં આવે. ખોટા ડરથી પરેશાન થશો. ઉતરતી રાહુની દિનદશા તમને ડોકટરના દરવાજા બતાવશે. અગત્યની વાતો 3જીથી શરૂ કરજો. થોડા સમય પછી સારૂં રીજલ્ટ મેળવી લેશો. હાલમાં મિત્રો તમને દગો આપી શકે છે તેમનાથી સંભાળજો….

  • કોવિડ19- આપણા માટે સબક!

    પ્રકૃતિ અને તેના ઇકોસિસ્ટમ્સ માટે આદર: પૃથ્વી, આપણું ઘર, કાળજીપૂર્વક કુદરતની એક અનન્ય કૃતિ તરીકે બનાવવામાં આવ્યું છે આ આશામાં કે બધા જીવો એક બીજા માટે પ્રેમ અને વિશ્વાસ સાથે સહ અસ્તિત્વમાં છે. માણસને વધુ બુદ્ધિ સંપન્ન કરવામાં આવી કે જેનાથી તે લાંબા ગાળેની દ્રષ્ટિ અને નેતૃત્વના ગુણો સાથે ઉપયોગ કરી શકશે, કુદરતની જટિલ અને…

  • શિરીન

    ‘ચાલ સ્વીટ હાર્ટ, હવે તારે માટે મે એક ગુડ ન્યુસ રાખીછ.’ ‘શું એ ફીલ?’ પોતાનો નિર્દોષ ચહેરો તે ધણી સામે ઉચકતાં તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘તારા ભાઈને નેવીમાં નોકરી કરવા ગમતી હતી તે મેં બધો બંદોબસ્ત કરાવી આપી ત્યાં રખાવ્યો છે.’ ‘થેંકસ, થેંકસ ફિલ’ તે જવાનને વધુ જ વહાલથી વળગી પડતાં તેણીએ ખરા જીગરથી બોલી…

  • બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

    ‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’ કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી….

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    13 August 2022 – 12 August 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસ તમારી માટે મધ્યમ જશે. વરસની અંતમાં જ્યાંના ત્યાં હશો. જે પણ કામ કરતા હશો તેમાં મહેનત ખૂબ કરવી પડશે. જાન્યુઆરી 2023 બાદ મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આવતા જુલાઈ 2023 બાદ જીવન સાથી મળી રહેશે….

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ…