આપવાવાળો કોઈ બીજો છે

આપણે બધા એમજ ચાહતા હોઈએ કે આપણા માટે કોઈ કંઈ કરે. અગર આપણે કોઈને મદદ કરી હોય કે કંઈ વસ્તુ ભેટ આપી હોય તો આપણે ચોકકસ ચાહીયે છીએ કે ભવિષ્યમાં એ મારસ આપણી મદદ જ‚ર કરે.

આપણે બધા જાણીયે છીએ કે ભગવાન છે પણ કેટલા લોકો તેના પર ભરોસે કરે છે. જો ભરોસો કરતા હોત તો એમ ભાઈ બીજા ભાઈ સાથે બાપની મિલ્કત પર ઝગડો નહીં કરતે. બધા લોકોને લેવાનું ગમે છે પણ આપવાનું કોઈને નહીં.

આપણે ગાય કે કુતરાને જ્યારે રોટલી ખવાવીયે છીેએ કે કોઈ ભિખારીને મદદ કરીએ છીએ તો શું આપણે એમની પાસેથી બદલમાં પાછું કંઈ માંગીએ છીએ? નહીં ને? કારણકે આપણે માનીયે છીએ કે ભગવાન આનો બદલો આપણને જ‚ર આપશે. આપણે હમેશા ભગવાનનો આભાર મનાવો જોઈએ. માંગવાવાળાની લાઈનો લાંબી હોય છે પણ આપવાવાળા ઘણા જ ઓછા હોય છે. તો શા માટે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ માટે કંઈ કરી નથી શકતા.

એકવાર એક વ્યક્તિ ગાડી સાફ કરી રહ્યો હતો. બીજી વ્યક્તિ ત્યાંથી પસાર થતા પૂછયું ‘આ ગાડી કોની છે’ તે વ્યક્તિએ જવાબ આપ્યો ‘આ ગાડી મારા ભાઈને છે અને એણે મને ભેટ આપી છે.’ તે વ્યક્તિ એ કહ્યું કે ‘કાશ મારો પણ ભાઈ મને ગાડી ભેટમાં આપતે.’

થોડીવાર પછી બીજો વ્યક્તિ ત્યાંથી પસાર થયો એણે પણ એજ સવાલ પૂછયો. તે વ્યક્તિ ફરી તે જ જવાબ આપ્યો, ‘મારા ભાઈએ મને ભેટ આપી છે.’

ત્યારે તે વ્યક્તિ બોલ્યો ‘કાશ મારો પણ કોઈ ભાઈ હતે અને હું પણ તેને ભેટમાં કાર આપતે જરા વિચાર કરો તમે કયાં વ્યક્તિ બનવા માંગો છો

Similar Posts

  • પુણેની પટેલ અગિયારીએ 180મી સાલગ્રેહની ઉજવણી કરી

    પુણેની સૌથી જૂની અગિયારી – સરદાર શેઠ સોરાબજી રતનજી પટેલ અગિયારી, તેની ભવ્ય 180મી વર્ષગાંઠ 2જી મે, 2023 (માહ આદર, રોજ બહેરામ)ની ઉજવણી સાંજે માચી અર્પણ અને જશન સાથે કરી હતી, જે પંદર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. પુણેના ભીડભાડવાળા નાનાપેઠ વિસ્તારમાં આવેલી પટેલ અગિયારી, જેને લોકપ્રિય રીતે ગામ-ની-અગિયારી તરીકે ઓળખવામાં આવે છે, તે મહત્ત્વપૂર્ણ…

  • શું તમે તમારા સંબંધની કદર કરો છો?

    સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે. મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે…

  • ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

    1991થી, ત્રણ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ સમુદાય સંબંધિત કલ્યાણ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય છે જેમના બે કેન્દ્રો મુંબઈ અને નવસારીમાં સ્થિત છે. 2007માં સોલીસીટર ફરઝાના મોઝગાનીને સામેલ કર્યા પણ બીજા ટ્રસ્ટીઓ સતત કાર્યરત છે. એક દાયકાથી સંસ્થાના ગતિશીલતા અને પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે યોગ્ય અનુગામી યોજનાની જરૂરિયાતને માન્યતા આપતા, ટ્રસ્ટ યોગ્ય ક્ષમતાઓ અને ટ્રસ્ટના સંચાલનમાં…

  • ભગવાનની કાબેલિયત

    એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને…

  •   મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા…

  • ડો. હોમી દારબશાહ દૂધવાલા એસપીપીના નવા પ્રમુખ

    સુરત પારસી પંચાયત (એસપીપી) ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં, 18મી ઓક્ટોબર 2022ના રોજ, જમશેદ દોટીવાલાના રાજીનામાને પગલે, વ્યક્તિગત કારણોસર, ત્રણ વર્ષ માટે, ડો. હોમી દારબશાહ દૂધવાલાને સર્વસંમતિથી એસપીપીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એમએસ (જનરલ સર્જરી), ડીએચએ અને એમટી (દિલ્હી) અને એફઆઈસીએસ (શિકાગો) સહિતની ડિગ્રીઓ સાથે ઉચ્ચ લાયકાત ધરાવતા ડો. દૂધવાલાએ નિવૃત્ત થતાં પહેલાં આડત્રીસ વર્ષ સુરત…