સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો સંદર્ભે વ્યવસ્થિત ઢબે તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પની પર્ણાહુતિ 29/04/2023 શનિવારના રોજ થઈ હતી. જે પ્રસંગે ભારત સરકારના રાષ્ટ્રીય લઘુમતિ પંચના વાઈસ ચેરમેન તથા અગ્રણી એડવોકેટ કેરસીભાઈ દેબુએ મુખ્ય મહેમાનપદ શોભાવ્યું હતું તથા જાણીતા એકવોકેટ અને સામાજીક કાર્યકર્તા શ્રી દારાભાઈ દેબુ અતિથિ વિશેષ પદ પર હતા. સુરત પારસી પંચાયતના શાહપોર ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ પૂર્ણાહુતિ સમારંભ દરમ્યાન તાલીમાર્થીઓને સર્ટીફીકેટથી નવાજવામાં આવ્યા હતા.
શ્રી જામાસ્પ પાત્રાવાલા અને શ્રી વિરાફ વરાછાવાલાએ કેમ્પ દરમ્યાન કોચ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પુર્ણાહુતિ પ્રસંગે સુરત પારસી પંચાયત સંચાલિત વિવિધ શાળાઓના આચાર્યાશ્રીઓ, સંબધિત શિક્ષકો તથા અગ્રણીઓ ઉપસ્થિત હતા.

Similar Posts

  • Theobroma Founder Kainaz Messman Writes ‘Baking A Dream’

    Kainaz Messman, the founder of the popular ‘Theobroma’ chain of cafés, has authored the book, ‘Baking a Dream’, published by HarperCollins. The book includes a thorough account of how she set up Theobroma; and the interesting journey comprising her travels, family, friends, mistakes and ramifications, all leading to her current standing.  What started out as…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12th September – 18th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. તમારા કોઈ પાસે લેવાના નાણા મળવાના ચાન્સ છે. જેની પાસે ઉધાર લીધા હોય તેની પાસે થોડો સમય માંગી લેજો. જે પણ પ્લાન બનાવો તે આ અઠવાડિયામાં પૂરા કરજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી…

  • દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ

    દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ…

  • બપોરની ઉંઘ

    સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું…

  • કોરોના યુગમાં પોઝીટીવ રીપોર્ટ

    સવારે 6 વાગ્યે મારા પાડોશીએ મારી બાઇકની ચાવી માંગી કહ્યું ‘મારે લેબમાંથી રિપોર્ટ લાવવાની જરૂર છે.’ મેં કહ્યું, ‘ઠીક છે ભાઈ લઈ જાઓ.’ થોડા સમય પછી, પડોશી રિપોર્ટ લીધા પછી પાછો આવ્યો, મને ચાવી આપી અને મને ગળે લગાવી અને ખૂબ ખૂબ આભાર કહીને તેના ઘરે ગયો. ગેટ પર ઉભો રહ્યો અને તેની પત્નીને કહેવા…