ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • ઘરડાંઓનું સન્માન કરો!

    નોશીરનું કુટુંબ સંજાણમાં હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબના દરેક સભ્યો જેમાં નોશીર, ખોરશેદ તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘરમાં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. નોશીરે પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના…

  • અર્દીબહેસ્ત મહિનો સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર

    ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં બીજો મહિનો અને ત્રીજો દિવસ અર્દીબહેસ્ત છે. તે ખૂબ મહત્વનું છે કારણ કે અર્દીબહેસ્ત એ અહુરા મઝદાના સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચારનું દૈવી લક્ષણ છે. અર્દીબહેસ્ત એ અહુરા મઝદાનું સત્ય, ન્યાયીપણું અને દૈવી હુકમ છે. જેની સાથે અહુરા મઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને તેને ટકાવી રાખી છે. અર્દીબહેસ્ત એ અમેશાસ્પન્દ (મુખ્ય પાત્ર)…

  • હસો મારી સાથે

    મમ્મી: બેટા,  નિશાળમા આજે શુ શીખવાડયું? ચીંટુ: લખતા શીખવાડયું. મમ્મી: શુ લખ્યું? ચીંટુ: ઈ વાંચતા નથી શીખવાડયું. **** દરદી : ડો. સાહેબ મને કાલથી પાતળા પાતળા ઝાડા થાય છે ડોક્ટર: તો થવા દે ને તારે ક્યા એના છાણા થાપવા છે **** જીવનમાં અપ્સરા એક જ મળી… પેન્સિલ…  

  • ચાલ જીવી લઈએ!

    થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    1 January – 7 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 June – 10 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા પોતાના અગત્યના કામ પુરા કરવામાં જરાય આળસ નહીં કરો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 05,…