ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • સમુદાયને શાંતિ અને એકતાની જરૂર છે

    ભયથી સ્વતંત્રતા, દુશ્મનાવટ અને વેરની ગેરહાજરી જ્યાં હોય ત્યાં શાંતિ આવે છે. પરંતુ, બધાથી ઉપર, શાંતિ માટે સમાધાન નિષ્ઠા અને પુનરાવર્તિત પ્રયત્નોની જરૂર છે. જો કે, કમનસીબે, આપણે આપણી જાતને સમુદાયમાં વિભાજિત કરવાનું ચાલુ રાખીએ છીએ વર્ચ્યુઅલ રીતે દરેક વસ્તુ પર, પછી ભલે તે આપણી સામુદાયિક સંસ્થાઓને પુનર્જીવિત કરવા અથવા ટકાવી રાખવાના પ્રયત્નો હોય કે…

  • જીવન એક સંઘર્ષ

    એક ખુબજ ગરીબ ગામડામાં રેણુકાનો જન્મ થયો હતો. મા-બાપ મજૂરી કરી બે ટંકનું જમવાનું મેળવતા હતા. કોઈ દિવસ કામ ન મળે તો ભુખ્યા પેટે પણ સુવું પડે. આવી કારમી ગરીબાઈમાં રેણુકા ધીમે ધીમે મોટી થવા માંડી અને માતાપિતાએ એને પણ મજૂરીમાં રોકી લીધી. રેણુકાને શાળાએ જવું હતું ખૂબ ભણવું હતું, સારા કપડા પહેરવા હતા, પેટ…

  • ઘરમાં મુક્તાદની ઉજવણી

    સમગ્ર વિશ્વમાં પારસીઓ તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દસ દિવસને મુક્તાદ તરીકે ઉજવે છે. સામાન્ય રીતે મુક્તાદને મૃતકોને યાદ કરવાના દિવસો તરીકે જોવામાં આવે છે. આ દુનિયા અને આપણા ઘરોમાં આત્માઓ અને ફ્રવસીઓને આવકારવા, તેમને યાદ કરવા અને તેમને આતિથ્ય આપવા માટે મુક્તાદ એક આનંદદાયક પ્રસંગ છે. તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો આ…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો…

  • કાસની રાણી સોદાબે

    કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી….

  • કુમી ઇલાવિયાને 105માં જન્મદિવસની શુભેચ્છાઓ!

    સમુદાય વતી, પારસી ટાઇમ્સ, કુમી અદી ઇલાવિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આનંદ અનુભવે છે, જેમણે હાલમાં 105માં વર્ષનો જન્મદિન ઉજવ્યો! કોલકાતામાં 8મી જુલાઈ, 1917ના રોજ જન્મેલા, શતાબ્દીના વતની મધ્ય પ્રદેશમાં રહેતા કુમીના લગ્ન મરહુમ અદી ઇલાવીયા સાથે થયા હતા અને બરોડામાં સ્થાયી થવા પહેલા તેઓ તેમના કુટુંબના માર્ગદર્શિકા હતા. પારસી ટાઇમ્સ સાથે વાત કરતા, કુમી ઇલાવિયા…