પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો.

આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું છું. કે નાટકના ધંધામાં તે ઉલઠાપ અને ભુલઠાપનો જમાનો હતો. જે પરદા ચીતરાવ્યા હતા તે નાટકનું નામ ‘પરસ્તાનના પરીઆં’ આપેલું હતું. તે ખાસ રંગાવેલા હતા. ખેલાડીઓના ડ્રેસો વટીક નવા સીવડાવ્યા હતા અને ફરામજી દલાલે એવી ઉમેદ રાખી હતી કે દાદી ઠુંઠી પોતે ખેલમાં પાર્ટ કરશે અને તેનું નામ છાપામાં છપાયાથી આવકની દરેક ગણત્રી રાખી હતી. પણ હવામાં બાંધેલો ફરામજી દલાલે તે અમલો પહેલી બે ત્રણ નાઈટમાંજ જમીનદોસ્ત થઈ ગયો. દાદી ઠુંઠીએ પાર્ટ કીધો નહીં. ઓપેરા જેવો જોઈએ તેવો ગવાયો નહીં અને અધુરામાં પુરૂં ફરામજી દલાલનો ગાયનનો ભાગ ઘણોજ નબળો ગયો, એટલે ફરામજીની નાસીપાસીનો પાર રહ્યો નહીં.

ખુણે બેસીને કરેલા લખતમાં, ખુદાને ખબર કેવી રીતે દાદી ઠુંઠીએ, ફરામજી દલાલ જેવા બાહોશ અને શેર બજારના જાણીતા વહીવટદાર સાથ લેખિત કરાર કીધા હશે કે આ બન્ને ભાગીદારો એક બીજાથી છૂટા પડયા અને સૌથી વધારે અફસોસ કરવા જેવું છેવટ તો એ આવ્યું કે આખી નાટકશાળા ઉખડી ગઈ. એકટરોને એક મહીનાની નોટીસો મળી અને નાટક ઉત્તેજક મંડળીનો તમામ સામાન અને ડ્રેસો વિગેરે વિગેરે મરહુમ નાનાભાઈ રાણીનાની આલફ્રેડ નાટક મંડળી માટે તેવણે ખંડી લીધો હતો. જોયું! નાટક ઉત્તેજક મંડળીની કેવી સરજત! જેના નાટકો મુંબઈમાં ગર્વનરો અને આગેવાનોએ જોઈ વખાણેલા જેના મદદગારો અને સલાહકારો મુંબઈના આગેવાન અકાબરો થયેલા અને જેના નાટકોની વખાણો જાબજા થઈ રહેલી તેનું આખેરી છેવટે કેવું દુ:ખદાયક આવ્યું.

ગરીબ બીચારો ફરામજી! તેવણ પાછા શેર બજારમાં ધંધે લાગી ગયા અને ઉર્દુ કલબ કાઢવા જતાં પોતાની જૂની સોલ વરસની કલબના દાંડા વેચાઈ ગયા, અને દાદી ઠુંઠી! વળી કોઈ નવી કલબમાં જોડાવા ચાલ્યા! અલબત્તા બન્નેના દાઝી તો ગયા હશે ખરા!

(વધુ આવતા અંકે)

Similar Posts

  • શિરીન

    તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું. ‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’ ‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં ‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’ ‘તે છતાં તે મને એક વખત વચન…

  • સાચા તારણહાર

    આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ…

  • શિરીન

    પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • હસો મારી સાથે

    જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

  • અહમ!!

    મુરતિયા વિશે ઈલાએ સાંભળ્યું, પુરાતત્વ વિદ્યાનો પોફેસર વિદ્વાન ઉંડો અભ્યાસી, સતત સંશોધનશીલ, બાગ-બગીચાનો ભારે શોખીન ભલે ને ત્રીસી વટાવી ચૂકેલો પણ તેની સાથે સુખી થઈશ એમ ઈલાને લાગેલું લગ્નની પહેલી જ રાતે.. મારે ગમે ત્યારે પ્રવાસે જવું પડે તેથી ઘરની તમામ જવાબદારી તારી. છોકરા થાય તોયે ઠીક એકાદ-બે બસ, હું પુરેપૂરો આપકર્મ છું. આ બધુ…