આહમદ મા-બાપને ભુલ્યો
આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો…
