તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા માટે જ જન્મે છે તથા દરેક જગ્યાએ સતત બદલાતી ઘટનાનું સાક્ષી છે. તમે એકલા જ એવા છો જે કયારેય બદલાતા નથી હે નિર્વિકાર (અચળ-સ્થિર) ઈશ્ર્વર!

દિવસ પછી રાત આવે છે. વસંત પછી ઉનાળો આવે છે. સ્વસ્થતા પછી માંદગી આવે છે. સમૃધ્ધિ પછી પડતી, જવાની પછી બુઢાપો, જીવન પછી મૃત્યુ.

નામ અને કિર્તી, મહાનતા અને ગોૈરવ, થોડા સમય માટે તેજ અને પછી ઝાંખપ, કિલ્લાઓ અને મહેલો, કિલ્લા પરના મિનારા અને ઉંચુ મકાન તેમનું માથું સ્વર્ગ સામે ઉંચુ કરે છે. અસ્થિર થઈ અને પછી ગબડી પડવા માટે જ સિંહાસનો (તખ્ત) અને સામ્રાજ્યો તેમની ઉન્નતિમાં ભયંકર થઈ જાય છે. પણ છેલ્લે તો માટીમાં મળી જઈ ભુલાઈ જવા માટે જ.

પરિવર્તનો વચ્ચે પરિવર્તન વિહિન છો તમે..પોતે ચલિત ન થઈને બધાને ચલાવનાર છો તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો તમે. અંતવિહિન સમય માટે પણ તમે એ જ છો હમેશા એક સમાન અને સર્વદા તમે તો તમે જ છો, હે નિર્વિકાર (અચળ-સ્થિર) અહુરા મઝદા!

Similar Posts

  • કરાચીમાં દિનશા બી. અવારી રોડનું ઉદ્ઘાટન થયું

    4ઠ્ઠી ડિસેમ્બર, 2021 ના રોજ કરાચી સ્થિત પારસી નિવાસી બહરામ અવારીએ, સિંધના મુખ્ય પ્રધાન – સૈયદ મુરાદ અલી સાથે પાકિસ્તાનના કેમારીમાં પદિનશા બી. અવારી રોડથનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં પારસી સમુદાયના નોંધપાત્ર સભ્યો અને અન્ય સરકારી અધિકારીઓની સાથે સમગ્ર અવારી પરિવાર પણ હાજર રહ્યો હતો. દિનશો બી. અવારી માર્ગ તેના ઔદ્યોગિક વિસ્તારો અને અપ-ક્ધટ્રી આયાત…

  • દસ્તુરજી અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન

    22મી ઓક્ટોબર, 2021ના રોજ, સમુદાયે તેના આદરણીય ધાર્મિક નેતા અને વિદ્વાન – દસ્તુરજી એરવદ અસ્પંદિયાર દાદાચાનજીને ગુમાવ્યા – જેઓ આપણા ગૌરવશાળી ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સેવા માટે જાણીતા હતા. પારસી વિદ્વાન અને ઇતિહાસકાર, નોશીર દાદરાવાલાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એરવદ અસ્પંદિયાર દાદાચાનજીનું નિધન પારસી જરથોસ્તી સમુદાય માટે દુ:ખદ ખોટ છે. તેઓ પારસી ધર્મના ઉચ્ચ…

  • સ્પ્રાઉટ પુલાવ

    સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી…

  • શિરીન

    શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝી ચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ…

  • દાદાભાઈ નવરોજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ

    દાદાભાઈ એન. દોરડીનો જન્મ 4 સપ્ટેમ્બર, 1825ના રોજ માણેકબાઈ અને નવરોજી પાલનજી દોરડીના પુજારી પરિવારમાં થયો હતો. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમના પિતાને ગુમાવ્યા હતા અને તેમની માતા દ્વારા તેમનો ઉછેર થયો હતો જેમણે તેમને ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ ગતિશીલ વ્યક્તિઓમાંના એક તરીકે ઉછેર્યા હતા – દાદા, પિતામહ, રાષ્ટ્રના ગ્રાન્ડ ઓલ્ડ મેન, બ્રિટિશ સંસદના ઓગસ્ટ…

  • સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

    જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો. બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની…