પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

IMG_20160609_124823 copy‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ‚, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી.

દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને પૂરાના કંડિયરોની શોધખોળ પાછળ પોતાની જિંદગી પૂરી કરી નાખનારા અથંગ મુસાફર.

સર જીવનજી, શેઠ જમશેદજી જીવનજી મોદીના એક પૂરા બેટા હતા. તેમનો જન્મ તા. ૨૬મી ઓકટોબર ૧૮૫૪ને દિને થયો હતો. તેવણે કોલાબા મધે આવેલી જીજીભાઈ દાદાભાઈની નિશાળ તથા ત્યારપછી જનબાવા મહોલ્લામાં આવેલી એરવદ ‚સ્તમજી દાદાચાનજીની ખાનગી સ્કુલમાં શ‚આતની કેળવણી લીધી હતી. ૧૮૭૨માં તેવણે મેટ્રિકયુલેશનની પરિક્ષા પસાર કરી, એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાઈ, ૧૮૭૭માં તેવણ બી.એ થયા હતા.

એવણના લગ્ન ૧૧ વરસની વયે શેઠ હોરમસજી નવરોજી સકલાતવાલાના બેટી બાઈ આઈમાય સાથે થયા હતા. ૧૮૭૧માં તેમના પિતાજી મરણ પામવાથી ૧૭ વરસની વયે તેમની જગાએ તેવણ કોલાબાની શેઠ જીજીભાઈ દાદાભાઈવાળી અગિયારીના પંથકી નિમાયા હતા જે ઓધ્ધો લગભગ ૪૦ વરસ ભોગવી તેમણે ૧૯૧૦માં તે છોડયો હતો.

જે સાલમાં તેવણના લગ્ન થયા તે જ સાલમાં તેવણ નાવર પણ થયા હતા. તેવણે મુલ્લાફીરોજ તથા સર જમશેદજી જીજીભાઈ મદ્રેસામાં અવસ્તા, પહેલવી અને ફાર્સીનો અભ્યાસ કીધો હતો.

‘નામ તેનો નાશ’ એ આ જહાનનો હરદમ નજરે પડતો હરેક ગમ વ્યાપિ રહેલો હમેશા ચાલુ રહેલો, કુદરતના મહાન કાયદાઓમાનો એક કાયદો છે. ગમે એવી મહાન ચીજ પણ પોતાની મોટાઈ ૈને મહત્વતા થોડો કે ઘણો વખત બતાવી આખરે કુદરતના મહાન કાયદાને માન આપી નાશ પામે છે. ‘નામ તેનો નાશ’ એ કહેવત પોતાની સચ્ચાઈ સદા પૂરવાર કરતી આવી છે. તવારિખનો એક સાચો સેવક એ અચૂક કહેવતની સચ્ચાઈ તવારિખના પાને પાને રજૂ થતી જોય છે. તે એક પ્રજાને આ નાપાયદાર જહાનમાં જન્મ લેતી, પ્રગતિકરણના કાયદાને માન આપી આ ફાની દુનિયામાં આગેવાન ભાગ મજવતી આખરે મોટાઈ, મરતબા, સત્તા, વિખ્યાતી અને જાહોજલાલીના જશવંતા શિખરે પૂગતી, પણ છેવટે કુદરતના એજ મહાન કાયદાને નમી જઈ તેની સરજતના સિતારાને અસ્ત પામતો જોય છે. એ એસિર્યન જેવી પ્રજાની જાલિમ જુલ્મી જોરેમંદીને કે બળવાન બેબિલોનિયન પ્રજાની ધરતી ધ્રુજાવનારી ધમાધમીને થોડો વખ્ત આ જહાનને જેર કરતી જોઈ આખરે તેમને ફનાઈના ફાસામાં ફસતી જોય છે. રોમન જેવી મહાન પ્રજા કે જેણે એક વખતે પ્રાચીન દુનિયાનો મોટો ભાગ જીતી લીધો હતો જે પ્રજાનું ુત્તમ રાજ બંધારણ આજની સુધરેલી દુનિયાની શાબાશી મેળવે છે. જે પ્રજાની શમશેરના સપાટાએ સેંકડો શત્રુઓનાં સરોને એક સપાટે સાફી કીધાં હતાં, જેના શૂરવીર શેરનરોએ પોતાના શૂરાતનથી સારી જેહાનનાં જંગી જોધ્ધાઓને જેર કીધા હતા તેજ રોમન પ્રજાને તે આજે આ ધરતીપરથી નાબૂદ થયેલી જોય છે. તે તુરાની પ્રજાના તુફાની ટોળાને હન પ્રજાના હથિયાર બંધ હાથોને કે ગોથ અને વન્ડલ લોકોના દહેશતનાક દસ્તોને આ દુનિયામાં દોર મચાવી દયા અને દાનના આ દયાહિણ દુશ્મનોને થોડો વાર ફાવી જતા પણ આ સૃષ્ટિના આ સામન્ય નિયમને આખરે શરણ થતા જોય છે. ભલે સિકંદર જેવો શૂરવીર શેરનર પોતાના શૂરાતનથી આ સૃષ્ટિને સર કરવા માંગે, ભલે હેનિબલ જેવો યાદગાર યોધ્ધો પોતાની હિંમતથી હામથી આપણને હેરત કરે ભલે સીઝર જેવો જહાંજોય જોધ્ધો આ જહાનને જેર કરે કે નેપોલિયન જેવો નામીચો નરશેર પોતાના જગપ્રસિધ્ધ જંગોથી પોતાને જગ આશ્કાર કરે પણ આખરે તેજ નામદારો જગતના આ જગપ્રસિધ્ધ કાયદાને કદમબોશી કરી માટીમાં મળી ગયા છે. (અમર ઈરાનમાંથી)

Similar Posts

  • આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

    ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ…

  • |

    ઈરાનમાં શોધાયેલ સસાનીદ યુગનું ઝોરાસ્ટ્રિયન ફાયર ટેમ્પલ

    તાજેતરમાં, ઉત્તર-પૂર્વ ઈરાનમાં બાઝેહ હુર ગામ પાસેની ખીણમાં ચાલી રહેલા પુરાતન ખોદકામ દરમિયાન સસાનીદ યુગનું ત્રીજું સૌથી મોટું પારસી મંદિર મળી આવ્યું છે. ખોદકામનું નેતૃત્વ કરી રહેલા પુરાતનવિદ મેસમ લબ્બાફ-ખાનિકીના જણાવ્યા મુજબ, અમે ત્રીજું સૌથી મોટું ફાયર ટેમ્પલ શોધી કાઢ્યું છે જે કદાચ પ્રાચીન ઈરાનમાં બાંધવામાં આવ્યું હતું. આ પુરાતન મોસમ દરમિયાન, અમે નોંધપાત્ર પુરાવા…

  • Your Moonsign Janam Rashi This Week –
    29th February – 06th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. ત્યાં જવાથી મનને શાંતિ તથા નાણાકીય ફાયદો પણ મળશે. બીજાના મદદગાર બની શકશો. તમારી મનપસંદ વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 29, 1, 3, 4 છે….

  • અસ્પન્દાદ ની નિરંગ

    સ્પેન્તા આરમઈતી, સ્પેન્દારમદ અથવા અસ્પન્દાદ એ પૃથ્વીના દેવદૂતો છે. ઘણી શક્તિશાળી પ્રાર્થનાઓમાંથી આપણને આશીર્વાદ મળે છે, તેમાંથી અસ્પન્દદાદની નિરંગ કદાચ સૌથી અનન્ય છે. તેનું ટૂંક અનુવાદ નીચે મુજબ છે: નામ અને દાદાર અહુરા મઝદાની મદદ હોજો! સ્પેન્દારમદ મહિનાના સ્પેન્દારમદને દિવસે યઝદ, ફરિદૂન, તાગીને ધારણ કરનાર, સ્ટાર્સ તેશતર તીરની મદદથી સતાયશ, વનન્ત,અને હફતોરીંગની મદદ દ્વારા હું…

  • બેજનની બાનુ મનીજેહ

    બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો,…

  • શિરીન

    પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…