મહુવા પારસી અંજુમનની સાલગ્રેહ અગિયારીના દાતાઓ તથા શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનાર યુવા પેઢીનું સન્માન

pg_07રોજ સરોશ, માહ અરદીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારીનો સાલગ્રેહનો દિવસ હોવાથી અંજુમન તે દિવસે જશન કર્યા બાદ મહુવાની યુવા પેઢીના સન્માનનો કાર્યક્રમ રાખે છે. આ વરસે આ શુભ અવસર તા. ૨જી ઓકટોબરના દિવસે હતો કે જે દિવસ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ તરીકે સમગ્ર દેશમાં

ઉજવાય છે.

આ શુભ દિને સવારના સ્ટે.ટા. ૧૦.૦૦ કલાકે જશનની પવિત્ર ક્રિયા નવસારીથી પધારેલા મોબેદ સાહેબો કેકી દસ્તુર તથા ફિરદોશ દસ્તુરે કરી હતી. જશનની પવિત્ર ક્રિયા પૂર્ણ થયા બાદ અગિયારીના હોલમાં મુકાયેલી નવી તકતીનું અનાવરણ નરીમાન બચએ કર્યુ હતું. આ તકતીમાં અંજુમનની અગિયારીનું સંપૂર્ણ મરામત કામ થયું અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુની સખાવત કરનાર દાતાઓનો ઉલ્લેખ થયો હતો. અનાવરણની આ વિધિ બાદ અંજુમનના સભ્યો તથા આમંત્રિતો માણેકવાડી ખાતે ભેગા થયા હતા. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ નરીમાન બચા હતા. બચાના માતા-પિતાનું મૂળ વતન જ મહુવા હોવાથી અંજુમનના આમંત્રણને માન આપીને નરીમાન એમના મહોરદાર શાહનિ સાથે મહુવા પધાર્યા હતા. વ્યારા, માંડવી, ગણદેવી, બિલિમોરા અને ચીખલી અંજુમનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નરીમાન બચા તેમ જ અંજુમનના સભ્યો તથા આમંત્રિતોનું સ્વાગત પ્રમુખ હોશી બજીનાએ કર્યુ હતું. મંચ પર ઉપસ્થિત અન્ય મહેમાનોમાં મરઝબાન બારિયા (પ્રમુખ બિલિમોરા પારસી અંજુમન) તથા સામ ચોથીયા (પ્રમુખ વલસાડ પારસી અંજુમન) અને શાહિન બચા હતા. સર્વે મહેમાનોને આવકાર આપી પ્રમુખે અગિયારીની મરામતની વિગત આપી હતી અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુ ખર્ચ કરનાર દાતાઓ પોરસ મોગલ, પર્લ મોગલ તથા શે‚ જેમી મોગલના ઉદાર અભિગમને બિરદાવ્યો હતો. મરહુમ જેમી ફરામજી મોગલની યાદમાં આ દાન મળ્યું હતું અને મોગલ પરિવાર હમેશ અગિયારીના કાર્યમાં તન, મન અને ધનથી સહકાર આપે છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. માણેકવાડીમાં લગભગ ૧૫૦ હમદીનોની હાજરી ધ્યાન ખેંચતી હતી. તમામ અંજુમનના પ્રતિનિધિઓનું મહુવા અંજુમનના ટ્રસ્ટીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તમામ દાતાઓનું સન્માન નરીમાનના વરદ હસ્તે થયું હતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર પિનાઝ મોગલ તથા પિઝાન કોદિઆની શૈક્ષણિક કારકીર્દિનો પરિચય ડો. હોસંગ મોગલે આપ્યો હતો. ડો. મોગલે એમને મળનાર સન્માનપત્રનું વાંચન કર્યુ હતું. ત્યારબાદ મુખ્ય મહેમાને બન્નેનું સન્માન કર્યુ હતું.

મહુવા અંજુમનને અંજુમનના સભ્યો તરફથી જે આર્થિક સહકાર મળે છે તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી પ્રતિવર્ષ કાઠી આપનાર ફિરોઝ ટંપાલ, ધનજીશા બેસાનિઆ તથા કાલી બેસાનિઆનો ઉલ્લેખ કર્યો હતો અને એ ત્રણે હમદીનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

બિલિમોરા અંજુમનના પ્રમુખ બારિયાએ મહુવા અંજુમનની કામગીરી બિરદાવી હતી અને અંજુમનની પ્રગતિ થતી રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સામ ચોથીયાએ ફેડરેશનની કામગીરી પર પ્રકાશ ફેંકયો હતો અને એમણે આ દિશામાં જે રચનાત્મક કામ થયું છે તેની થોડી હકીકત જણાવી હતી.

ચીફ ગેસ્ટ નરીમાન બચાએ ગાંધીજીને યાદ કર્યા હતા અને સમાજમાં નૈતિકતાનું મહત્વ સમજાવી સમાજની યુવા પેઢી પોતાની સંસ્થાઓને કદી ભૂલે નહીં તેવી અપીલ કરી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ ટ્રસ્ટી ડો. હોસંગ મોગલે કરી હતી. એમણે બહારગામથી પધારેલા જુદી જુદી અંજુમનના સભ્યો અને અન્ય આમંત્રિતોનો આભાર માન્યો હતો. અંતે ‘છૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ થયો હતો. બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા સુન્નુ કાસદે કરી હતી અને સઘળા હમદીનોએ ખુશીથી તેમાં ભાગ લીધો હતો.

Similar Posts

  • Kudos Garshasb Saroosh!

    (Courtesy www.parsikhabar.net) Garshasb Saroosh, member of ‘Zarathushti Youth Without Borders Program’, did our global Zoroastrian community proud by representing FEZANA at the United Nations at the High Level Meeting of the World Summit on the Information Society (WSIS+10) in December 2015 at the UN Headquarters in New York, where he presented his NASA Project –…

  • આપણી ધાર્મિક વિધિઓને સમજીએ!

     ‘બોય’ આપવાનું મહત્વ શું છે અને કેબલામાં નવ વખત ઘંટડી કેમ વગાડવામાં આવે છે? એરવદ હરવેસ્પ: બોય આપવાની ક્રિયા એ ઘણી મહત્વની છે જેનાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. બોય આપતી વખતે આતશ નીન્યાએશ ભણાય છે અને દુશ્માતા, દુઝુકતા, દુઝવરશ્તા (ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કર્મો) ભણતા દુષ્ટતા અને નકારાત્મક શક્તિને દૂર કરવા એક…

  • લોટવાળાં ભરેલાં શિમલા મરચાં

    સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી‚ પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી‚, ચપટી હિંગ, જ‚ર મુજબ મીઠો લીમડો. બનાવવાની રીત: ચણાના લોટને શેકીને…

  • પારસી ગેટ: બીએમસી ડિઝાઇનને ફાઇનલ કરે છે

    સમાચારના અહેવાલો મુજબ, મુંબઈની નાગરિક સંસ્થા, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ મરીન ડ્રાઇવ પર પારસી ગેટને સંરક્ષણ આપવા માટે આખરી રૂપ નક્કી કર્યું છે. બીએમસીએ બે વિકલ્પ સાથે બોમ્બે પારસી પંચાયતને મંજૂરી માટે દરખાસ્ત રજુ કરી છે – કાં તો મરીન ડ્રાઇવ ખેંચાણની દક્ષિણ બાજુ (અલ-સબાહ કોર્ટ બિલ્ડિંગની નજીક) તરફ સ્મારક સ્થળાંતર કરવા અથવા બે…

  • લીલવાની કચોરી

    સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા…

  • સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

    ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા….