અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

તે હકીમે જવાબ દીધો કે “સાહેબ! તે કેતાબમાં ચમત્કારિક શક્તિઓ છે અને એક મુખ્ય અસર જે તેથી થશે તે એ છે કે જ્યારે મારૂં માથું ધડ ઉપરથી કાપી નાખવામાં આવશે તે વેળા જો તમો નામદાર પાદશાહ તસદી લઈ તે કેતાબ ખોલી તેનું છઠુ પાનું કહાડી તેના ડાબા હાથના સફા ઉપર લખેલી ત્રીજી સતર વાંચશો અને તેમાં મને જે સવાલ પુછ્યા માંગશો તેનો જવાબ મારૂં કાપેલું માથું તમને આપશે.” આ ચમત્કારિક પુસ્તક જોવાની શાહની ખાહેશ થઈ તેથી દુબાન હકીમને મારી નાખવાનું કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખી તેને મજબુત ચોકી પેહેરા સાથે તેને ઘર મોકલ્યો.

તે માઠાં ભાગ્યના કેદીએ પોતાને મકાને જઈ પોતાના કુટુંબની ભેટ લીધી, જેને જે યોગ્ય હતું તે આપ્યું. પોતાનાં કિમતી પુસ્તકખાનાનો સારો ઉપયોગ કરી શકે એવા ધણીઓને તે કિંમતી કેતાબો આપી, અને પોતાના વહિવટના સઘળો  બંદોબસ્ત કીધો. હકીમને ગરદન માર્યા પછી એક ઘણોજ અચરત સરીખો મોજેજો બનનાર છે, એવી ખબર ચોતરફ ફેલાયાથી પાદશાહના દિવાનખાનામાં વજીરો, તમામ અમીર ઉમરાવો, દરબારીઓ તથા બીજા અમલદારો તે જોવા માટે બીજે દિવસે ત્યાં એકઠા થયા.

હકીમ દુબાન ઠેરવેલે વખતે બરાબર હાજર થયો અને પોતાના હાથમાં એમ મોટું પુસ્તક લઈ પાદશાહનાં તખ્ત આગળ ગયો. પછી તે પુસ્તક એક વાસણ ઉપર મેલ્યું અને તેની ઉપર કીધેલું ‘કવર’ કાઢી નાખી તે પુસ્તક પાદશાહને આપ્યું અને પાદશાહને કહ્યું કે “તમો નામદાર આ કિંમતી પુસ્તક હું મરતી વખતે ભેટ આપું છું, એ ઘણુંજ ચમત્કારિક ગુણ ધરાવે છે. જ્યારે તમારો જલ્લાદ મારૂં માથું કાપી નાખે ત્યારે તમારા એક અમલદારને ફરમાવજો કે આ વાસણું ઉપર આ કવર મેલી તેની ઉપર મારૂં માથું મેલે. જેવું તે ઉપર મારૂં માથું મુકશે તેવુંજ તેમાંથી નિકળતું લોહી બંધ થઈ જશે. ત્યાર બાદ આ પુસ્તક તમો ઉઘાડશો કે તમે જે સવાલો મારા માથાંને પુછશો તેનો જવાબ મળશે. પણ સાહેબ એકવાર ફરીથી તમારી પાસે માગી લઉં છું કે મારા ઉપર દયા કરો. હું ખોદાના નામથી તમને કહું છું કે હું બેગુનાહ છું તે ઉપર તમો વિચાર કરો!” પાદશાહે જવાબ દીધો “તમારી અરજી નકામી છે. વળી અગર તારા મરણ પછી તારૂં ધડ બોલવા ચાહશે તો તે પણ હું કાપિ નખાવીશ.” એટલું બોલી તે પુસ્તક તેના હાથમાંથી લઈને જલ્લાદને તેનું કામ બજાવવાને ફરમાવ્યું.

તેનું માથું જલ્લાદે એટલીતો ચાલાકીથી કાપ્યું કે આબાદ તે પેલાં વાસણની ઉપર પડ્યું અને પડતાંને વાર તેમાંથી વેહતું લોહી બંધ થઈ ગયું અને તેજ વેળા તે માથાએ પોતાની આંખો ઉઘાડી! તે જોઈ પાદશાહ તથા સર્વે તમાશગીરો અચરત થયા. તે માથામાંથી અવાજ નિકળ્યો કે પાદશાહ! પેલી કેતાબ ઉઘાડ!” પાદશાહે તે કેતાબ ઉઘાડી અને તેણે તેનું પહેલું પાનું બીજા સાથે વળગી ગયલું જોયું તેથી પોતાનું આંગળું મોઢામાં લીધું અને તે ભીનવ્યું કે તે પાના વધારે સહેલાઈથી ઉલટાવી શકાય. એ પ્રમાણે જ્યાં સુધી તે છઠ્ઠે પાને આવ્યો ત્યાં સુધી કરયા કીધું અને તે કહેલાં પાના ઉપર કાંઈપણ લખેલું નજર ન પડ્યાથી તે બોલ્યો કે “ઓ હકીમ! હ્યાં લખેલું તો કાંઈ મળે નહી.” તે માથાએ જવાબ આપ્યો કે “થોડાએક પાનાં બીજાં ફેરવ!” તે પ્રમાણે રાજાએ કીધું અને વારંવાર આંગળું મોઢામાં લીધાથી હકીમે ધારેલી અસર થવા માંડી. કારણ કે પાનાંઓને વળગાડેલું ઝેર પિગલ્યું અને આંગળાં વાટે તેનાં શરીરમાં દાખલ થવા લાગ્યું. પાદશાહના આંગમાં ભારી ધ્રુજરી ચહડી આવી, તેની આંખે તમ્મર આવ્યાં અને તખ્ત ઉપરથી નીચે ગગડી પડી ભોંય ઉપર તરફડવા લાગ્યો.

જ્યારે તે હકીમના માથાએ જોયું કે પાદશાહનાં શરીર ઉપર તે ઝેરે પુરતી અસર કીધી અને તે ઝાઝો વાર જીવે એમ લાગ્યું નહી ત્યારે તે માથામાંથી અવાજ નીકળ્યો કે “ઓ જુલમગામ! તારા જેવા પાદશાહો જુલમી ચલાવે છે અને પોતાના હાથમાં ધરેલો અખત્યાર બદ રીતે વાપરે છે અને નિર્દોષ લોકોનો જાન લેછે તેઓનો હાલ કેવો થાય છે તે જો! મોડે વહેલે તેઓની બેદાદી તથા ઘાતકીપણાનો ફેજ ખોદા વાળી આપે છે.” તે માથામાંથી નીકળતા શબ્દો બંધ થયા તેજ વેળા પેલો મૂર્ખ પાદશાહ મરણ પામ્યો અને પેલા હકીમના માથામાં, હૈયતીનો જે થોડોક ચેરાગ બળતો રહ્યો હતો તે પણ બુજાઈ ગયો.

(ક્રમશ)

Similar Posts

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • શેરિંગ ઈઝ કેરીંગ

    ‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે…

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!

    ‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’ ‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં…

  • જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..   તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ…

  • ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

    જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન…