ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

Dr.Peshotan Dastur Hormazdyar Mirza copy શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર અને સૌ કોઈ મિત્રો, કુટુંબીઓ, દસ્તુરજીઓ, સહ-કર્મચારીઓ અને કોમ-પાસેથી પ્રેમ અને માન પ્રાપ્ત કર્યા છે.

1 copyવડા દસ્તુરજી ડો. પેશોતન મિરઝાંનો જન્મ ઉદવાડાના વિખ્યાત દસ્તુર કુટુંબમાં નવેમ્બર, ૧૯૪૪માં થયો હતો. પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે તેમણે દસ્તુર બનવાની ટ્રેનિંગ અંધેરીની એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટયૂટ ખાતે લીધી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં ગયા, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડોકટરેટ મેળવી. ઈરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી, સમસ્ત અંજુમન, ઉદવાડાના પદે તેમની વરણી ૧૩મી મે, ૨૦૦૪ના રોજ થઈ હતી. પારસી ટાઈમ્સને અગાઉ આપેલી એક મુલાકાતમાં વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, ‘આપણી કોમ માટે મારી નિષ્ઠાપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના એ છે કે પારસીઓ સખત મહેનત કરીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સમૃધ્ધિને પ્રાપ્ત કરે; યોગ્ય ઉંમરે કોમમાં જ પરણે અને યોગ્ય પ્રમાણમાં કુટુંબને વિસ્તારે. આપણી ધાર્મિક ઓળખ જાળવી રાખવા આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ સાથે અન્ય કોમના લોકોને પણ પૂ‚ં માન, ન્યાય અને મિત્રતા આપવી જોઈએ, જેવું આપણા ન્યાગાનોએ કર્યુ હતું. દાદાર અહુરા મઝદા પારસી/ઈરાની જરથોસ્તી કોમના દરેક સભ્ય પર તેમના દિવ્ય આશિષો વરસાવે તથા સમસ્ત માનવ સમુદાયને પણ આ આશિષો પ્રાપ્ત થાય! આમીન!

વડા દસ્તુરજી પેશોતન મિરઝાંને

વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરની શ્રધ્ધાંજલિ

Similar Posts

  • શિરીન – 29 October 2016

    ‘પણ… પણ જી, ડોકટરનો હોકમ હતો તમોને સ્પંજ કરવાનો.’ ‘એ પરવારતા ડોકટરો તો બધું કહ્યા કરે તે ઘણું મન પર નહીં લેવું જોઈએ. મુવાં બે બિલ્સના ચીથરામાં તે આખું આંગ કંઈ બરાબર સાફ થતું હશે?’ તે ગરીબ બાળા કશો જ જવાબ આપ્યા વગર મૂગી નીચી મૂંડીએ ઉભી જ રહી કે એકાએક ઝરી જુહાકના એક સવાલથી…

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • કાસની રાણી સોદાબે

    કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી….

  • રંગ

    હોળીમાં રંગાઈ વિવિધ રંગે, સહેલીઓની ટોળી સાથે સામે સામે રંગ ઉડાડતા, ઉંચકીને નીચે પટકતા હોળીના રંગમાં રંગાવાની, ખૂબ મઝા આવી પણ મારી મમ્મી બરાડી ઉઠયા અને ના કહેવાનું કહ્યું છતાં મને જરાય અફસોસ નહીં કારણ મારી ઉપર તો હોળીના રંગોનો નશો ચઢેલો હતો.

  • હેપી ન્યુ ઈઅર

    હેપી ન્યુ ઈઅર, રહેજો સુખી તનમનધનથી પી-ખાય, હરજો ફરજો ખૂબ અમનચમનથી ન્યુ વર્ષની ફેલાઈ સર્વત્ર ખુશીભરી હવા ઈચ્છા, બધી તમારી ફળે એવી દુવે અધુરા કામ તમારા, પૂરા કરજો તમામ રહેજો હળીમળી સૌ રાખજો ભલાઈના કામ

  • ગુજરાત હાઇકોર્ટે પારસીઓના અંતિમ વિધિ કેસમાં ઓર્ડર અનામત રાખ્યો છે

    3જી જુલાઇ, 2021 ના રોજ, ગુજરાત હાઇકોર્ટે સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ અને ડો. હોમી દુધવાલા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરી, અને પારસી મુજબ, કોવિડ પીડિતોના મૃતદેહોનો નિકાલ કરવાની મંજૂરી આપવાની માંગ પર પોતાનો હુકમ અનામત રાખ્યો. ધાર્મિક પરંપરાઓ, અને શરીરના અંતિમ સંસ્કાર માટે દબાણ ન કરવું. તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો કે સત્તાધિકારીઓ પારસી…