ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

Dr.Peshotan Dastur Hormazdyar Mirza copy શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર અને સૌ કોઈ મિત્રો, કુટુંબીઓ, દસ્તુરજીઓ, સહ-કર્મચારીઓ અને કોમ-પાસેથી પ્રેમ અને માન પ્રાપ્ત કર્યા છે.

1 copyવડા દસ્તુરજી ડો. પેશોતન મિરઝાંનો જન્મ ઉદવાડાના વિખ્યાત દસ્તુર કુટુંબમાં નવેમ્બર, ૧૯૪૪માં થયો હતો. પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે તેમણે દસ્તુર બનવાની ટ્રેનિંગ અંધેરીની એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટયૂટ ખાતે લીધી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં ગયા, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડોકટરેટ મેળવી. ઈરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી, સમસ્ત અંજુમન, ઉદવાડાના પદે તેમની વરણી ૧૩મી મે, ૨૦૦૪ના રોજ થઈ હતી. પારસી ટાઈમ્સને અગાઉ આપેલી એક મુલાકાતમાં વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, ‘આપણી કોમ માટે મારી નિષ્ઠાપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના એ છે કે પારસીઓ સખત મહેનત કરીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સમૃધ્ધિને પ્રાપ્ત કરે; યોગ્ય ઉંમરે કોમમાં જ પરણે અને યોગ્ય પ્રમાણમાં કુટુંબને વિસ્તારે. આપણી ધાર્મિક ઓળખ જાળવી રાખવા આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ સાથે અન્ય કોમના લોકોને પણ પૂ‚ં માન, ન્યાય અને મિત્રતા આપવી જોઈએ, જેવું આપણા ન્યાગાનોએ કર્યુ હતું. દાદાર અહુરા મઝદા પારસી/ઈરાની જરથોસ્તી કોમના દરેક સભ્ય પર તેમના દિવ્ય આશિષો વરસાવે તથા સમસ્ત માનવ સમુદાયને પણ આ આશિષો પ્રાપ્ત થાય! આમીન!

વડા દસ્તુરજી પેશોતન મિરઝાંને

વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરની શ્રધ્ધાંજલિ

Similar Posts

  • ક્રીસમસનો વાસ્તવિક અર્થ

    બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટો થઈને રાજાઓનો રાજા બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તના જીવનનો ઉદ્દેશ્ય તમારા પાડોશીને તમારી જાતની જેમ પ્રેમ કરોના સંદેશને લાગુ કરવાનો હતો, જે સાંભળશે અને સમજશે…

  • નૂડલ્સ કટલેટ

    સામગ્રી: નૂડલ્સ, બ્રેડ સ્લાઇસ, મેંદો, ડુંગળી, લીલા મરચાં, આદુ, મીઠું, કાળા મરીનો પાઉડર. બનાવવાની રીત: નૂડલ્સને ઉકાળીને તેમાંથી પાણી કાઢીને તેને બાજુએ મૂકી દો. હવે મેંદામાં કાપેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, કાળા મરીનો પાવડર અને મીઠું નાંખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઉકાળેલા નૂડલ્સ નાંખી મસાલો મિક્સ કરો. હવે સૂકી બ્રેડ સ્લાઇસને મિક્સીમાં પીસીને તેનો…

  • Your Moonsign Janam Rashi This Week –
    03 February, 2018 – 09 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 70 દિવસ ચાલનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઓછો કરી શકશો. જે પરેશાની હશે તે ઓછી કરવા સીધો રસ્તો મળી જશે. નાણાકીય મુસીબત ઓછી થવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. લગ્ન કરવા માંગતા હશો તો લાઈફ પાર્ટનર…

  • જીન પણ ઠગાયો!

    આ નાપાક જીન મને જરાક પણ છૂટી મુકતો નથી તે મને આ મીલોરી સંદુકમાં બંધ કરે છે અને એને જોઈએ તો મને ઉંડા સમુદ્રમાં જઈ મેલી આવે તે પણ યુક્તિથી તેને ઠગયા વગર  હું રહેવાની નથી. આ વીટીંઓ ઉપરથી તમો જોઈ લેવો કે જ્યારે હરેક સ્ત્રી પોતાના પરાક્રમ કરવાને ખંતી થાય છે ત્યારે તે પાર…

  • ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

    16મી ઈન્ટરનેશન કોમર્સ અને મેન્જમેન્ટ કોન્ફરન્સમાં 5મી ઓક્ટોબર, 2018 ના રોજ, મુંબઇ યુનિવર્સિટી દ્વારા ડો. ઝુલેકા અને ડો. માલ્કમ એફ. હોમાવઝીરનું ‘ગ્લોબલ ઈકોનોમી, ઈનસોલ્વન્સી અને બેન્કરપ્ટસી કોડ’ના રીસર્ચ માટે સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન ડો. વિવેક દેવોલંકર દ્વારા વિલ્સન કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. ઝુલેકાને હુકમપત્ર પ્રદાન કરવામાં આવ્યું…

  • શિશુઓ અને આપણી શ્રદ્ધા

    હાલનાં સમયમાં, યુવા યુગલો માટે પેરેંટિંગ એ એક મોટો પડકાર બની ગયો છે. કહેવત છે એક બાળકને આખુ ગામ ઉછેરે છે, તે લાંબા સમયથી આપણે ભૂલી ગયા છીએ કારણ કે આપણે બધા પરમાણુ અસ્તિત્વમાં જીવીએ છીએ. તે દિવસોમાં જ્યારે મોટા પરિવારો સાથે મળીને રહેતા હતા તે પહેલાના સમયની વાત છે. આપણી પ્રાયવસી આપણને વધુ ગમતી…