ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

Dr.Peshotan Dastur Hormazdyar Mirza copy શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર અને સૌ કોઈ મિત્રો, કુટુંબીઓ, દસ્તુરજીઓ, સહ-કર્મચારીઓ અને કોમ-પાસેથી પ્રેમ અને માન પ્રાપ્ત કર્યા છે.

1 copyવડા દસ્તુરજી ડો. પેશોતન મિરઝાંનો જન્મ ઉદવાડાના વિખ્યાત દસ્તુર કુટુંબમાં નવેમ્બર, ૧૯૪૪માં થયો હતો. પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે તેમણે દસ્તુર બનવાની ટ્રેનિંગ અંધેરીની એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટયૂટ ખાતે લીધી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં ગયા, અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે કેમેસ્ટ્રીમાં ડોકટરેટ મેળવી. ઈરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી, સમસ્ત અંજુમન, ઉદવાડાના પદે તેમની વરણી ૧૩મી મે, ૨૦૦૪ના રોજ થઈ હતી. પારસી ટાઈમ્સને અગાઉ આપેલી એક મુલાકાતમાં વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, ‘આપણી કોમ માટે મારી નિષ્ઠાપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના એ છે કે પારસીઓ સખત મહેનત કરીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સમૃધ્ધિને પ્રાપ્ત કરે; યોગ્ય ઉંમરે કોમમાં જ પરણે અને યોગ્ય પ્રમાણમાં કુટુંબને વિસ્તારે. આપણી ધાર્મિક ઓળખ જાળવી રાખવા આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ સાથે અન્ય કોમના લોકોને પણ પૂ‚ં માન, ન્યાય અને મિત્રતા આપવી જોઈએ, જેવું આપણા ન્યાગાનોએ કર્યુ હતું. દાદાર અહુરા મઝદા પારસી/ઈરાની જરથોસ્તી કોમના દરેક સભ્ય પર તેમના દિવ્ય આશિષો વરસાવે તથા સમસ્ત માનવ સમુદાયને પણ આ આશિષો પ્રાપ્ત થાય! આમીન!

વડા દસ્તુરજી પેશોતન મિરઝાંને

વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરની શ્રધ્ધાંજલિ

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 November – 19 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. ગુરુની કૃપાથી લીધેલા કામને પૂરા કર્યા વગર મુકશો નહીં. ઘરમાં વડીલવર્ગને માન પાન આપવાથી તેમના આર્શિવાદ મેળવશો. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14…

  • |

    ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

  • હસો મારી સાથે

    એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી… એક દિવસ તેની ડાયરી ચુપચાપ લઈ લીધી…. વિગત આ પ્રમાણે નિકળી:…

  • મટર કબાબ

    સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ,…

  • લવ યુ જીંદગી

    58 વર્ષની વયે કાલ મેં 57 વર્ષની પત્નીને કહ્યું, ચાલને, થપ્પો રમીએ. પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે! મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ. પત્નીએ પહેલો દાવ લીધો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 April – 22 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં દોસ્ત ઓછા દુશ્મન વધુ થશે. મિત્રોનો સાથ સમય પર નહીં મળે. માથાનો દુખાવો, તાવ, શરદી ખાસીથી પરેશાન થશો. ભાગદોડ બને તો ઓછી કરજો….