ગોડ અને ગુસ્તાદ

ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને પછી જ સૂતી હતી.

‘જયારે પણ ખોદાયજી અને બહેરામ યઝદ આપણી પાસે મળવા આવે ત્યારે તેમના તેજના પ્રકાશથી ચારે બાજુ ઉજાશ ફેલાઈ જતો અને જ્યારે પણ એ લોકો પાછા જાય ત્યારે મને ઘણું મન થાય કે હું પાછી એક વાર એ લોકો સાથે જઈ જન્નતના દર્શન કરી લઉં. મને હજી પણ યાદ છે જ્યારે એવણ મને પહેલીવાર હવામાં ઉડવા માટે રાજી કરતા હતા ત્યારે હું ઘણો શોક ખાઈ બેશુધ્ધ જેવી થઈ ગયેલી. પેલો માણસ જે કૂતરાના બચ્ચાંને લાકડીથી મારતો હતો તેને મેં પકડીને કેવો માર્યો હતો’ જ‚એ ગુસ્તાદને કહ્યું અને ગુસ્તાદે એને વહાલથી કોટી કરી બોલ્યો અને યાદ છે પેલા પન્નાલાલને તે કેવી રીતે ઉંચકીને ચોપાટી પર કેવો ફેંકી દીધેલો તે? કારણ એણે ઘોડાને ચાબુકથી મારી મારીને ઘાયલ કરી દીધો હતો. તે  હજી સુધી વિચાર કરતો હશે કે એની આવી દશા કોણે કરી હશે કારણ કે તું એને દેખાતી જ નહોતી.’

ગુસ્તાદ ઉંડો શ્ર્વાસ લઈને બોલ્યો, ‘આમ વાત છે.’ જ‚ કહે છે ‘કેમ દાદારજી આપણા ‚મ પર આવીને ત્યાં એક પૂરી ખુરશી પર બેસી જતા હતા અને આપણા સંસારને પસવારતા જાય ને વાત કરતા જાય. મારા હાથની આદુ ફુદીનાની ચાય એ લોકને ઘણી જ ગમતી’ એમ જ‚એ કહ્યું. બન્નેજણ પાર્કની બેન્ચ ઉપર બેઠા હતા એટલામાંજ અવાજ આવ્યો ‘કેમ છો જ‚ અને ગુસ્તાદ મને યાદ કરી રહ્યા છો?’ પાછળ ફરીને જોય છે તો બેન્ચ ઉપર સાક્ષાત દાદારજી બેઠેલા છે અને એવણના ચારે તરફના પ્રકાશથી એવું લાગ્યું કે જાણે તેઓ મેળામાં ઉભા હોય. ગુસ્તાદ અને જ‚ એમને નમવા માટે ઉભા થઈ જાય છે. ‘તમો બન્ને મને એટલા

Similar Posts

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 June, 2018 – 29 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજ ને કાલનો દિવસજ શાંતિમાં પસાર કરી શકશો. બાકી તો 25મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારી તબિયતને સારી નહીં રખાવે. થોડીઘણી બેદરકારી તમને લાંબી બીમારી આપી જશે. ભાઈ-બહેનની સાથે મતભેદ પડતા રહેશે. તમે શાંતિથી બેસવા માંગતા હશો તો મનની શાંતિ નહીં…

  • ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ પારસી વ્યક્તિત્વને સન્માનિત કરે છે

    પાછલા દાયકામાં, ડી. ડી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરથોસ્તીઓનું તેમના સિદ્ધાંતો માટે તેમના યાદગાર અને પ્રેરણાદાયક પરાક્રમો અને સિદ્ધિઓને સ્વીકારવા માટે અને આપણા ગૌરવને આગળ વધારવા માટે તેમનું સન્માન થયું હતું. ‘પ્રતિષ્ઠિત દારબશા અચીવમેન્ટ એવોર્ડ’ જરથોસ્તીઓને પ્રસ્તુત કરવામાં આવે છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેમના પગલે ચાલવા માટે અન્યો માટે એક…

  • શિરીન

    મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી. એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા. ‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’ કે તેનાં જવાબમાં…

  • કાયમની કબજિયાત

    અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે…

  • આપણા ધર્મગુરૂઓના યોગ્ય શીર્ષકોને સમજવું

    આપણામાંના મોટાભાગના લોકો યોગ્ય રીતે સમજ્યા વિના આપણા ધર્મગુરૂઓને મોબેદ સાહેબ અથવા દસ્તુરજી કહે છે. અહીં તેમની સમજણ માટે રજૂ કરેલ છે: મોબેદ: ખૂબ જ ઉચ્ચ પ્રાપ્ત કરેલ આધ્યાત્મિક પદ છે. એક મગવન, મગોપત. મોઘુ-પૈતિ – ગુપ્ત જ્ઞાનનો ખજાનો (બાતેં જ્ઞાન) ધરાવતો. તેથી આપણે મોબેદને મુ=આબેદ એક આબેદ તરીકે પરિભાષિત કરી શકીએ છીએ; એક ખૂબ…