ગોડ અને ગુસ્તાદ

ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને પછી જ સૂતી હતી.

‘જયારે પણ ખોદાયજી અને બહેરામ યઝદ આપણી પાસે મળવા આવે ત્યારે તેમના તેજના પ્રકાશથી ચારે બાજુ ઉજાશ ફેલાઈ જતો અને જ્યારે પણ એ લોકો પાછા જાય ત્યારે મને ઘણું મન થાય કે હું પાછી એક વાર એ લોકો સાથે જઈ જન્નતના દર્શન કરી લઉં. મને હજી પણ યાદ છે જ્યારે એવણ મને પહેલીવાર હવામાં ઉડવા માટે રાજી કરતા હતા ત્યારે હું ઘણો શોક ખાઈ બેશુધ્ધ જેવી થઈ ગયેલી. પેલો માણસ જે કૂતરાના બચ્ચાંને લાકડીથી મારતો હતો તેને મેં પકડીને કેવો માર્યો હતો’ જ‚એ ગુસ્તાદને કહ્યું અને ગુસ્તાદે એને વહાલથી કોટી કરી બોલ્યો અને યાદ છે પેલા પન્નાલાલને તે કેવી રીતે ઉંચકીને ચોપાટી પર કેવો ફેંકી દીધેલો તે? કારણ એણે ઘોડાને ચાબુકથી મારી મારીને ઘાયલ કરી દીધો હતો. તે  હજી સુધી વિચાર કરતો હશે કે એની આવી દશા કોણે કરી હશે કારણ કે તું એને દેખાતી જ નહોતી.’

ગુસ્તાદ ઉંડો શ્ર્વાસ લઈને બોલ્યો, ‘આમ વાત છે.’ જ‚ કહે છે ‘કેમ દાદારજી આપણા ‚મ પર આવીને ત્યાં એક પૂરી ખુરશી પર બેસી જતા હતા અને આપણા સંસારને પસવારતા જાય ને વાત કરતા જાય. મારા હાથની આદુ ફુદીનાની ચાય એ લોકને ઘણી જ ગમતી’ એમ જ‚એ કહ્યું. બન્નેજણ પાર્કની બેન્ચ ઉપર બેઠા હતા એટલામાંજ અવાજ આવ્યો ‘કેમ છો જ‚ અને ગુસ્તાદ મને યાદ કરી રહ્યા છો?’ પાછળ ફરીને જોય છે તો બેન્ચ ઉપર સાક્ષાત દાદારજી બેઠેલા છે અને એવણના ચારે તરફના પ્રકાશથી એવું લાગ્યું કે જાણે તેઓ મેળામાં ઉભા હોય. ગુસ્તાદ અને જ‚ એમને નમવા માટે ઉભા થઈ જાય છે. ‘તમો બન્ને મને એટલા

Similar Posts

  • હાસ્યની શક્તિ

    એવું કહેવાય છે કે, હસો અને દુનિયા તમારી સાથે હસે છે! પરંતુ આ દિવસોમાં આપણે આપણા માતા-પિતા અને દાદા-દાદી કરતા ઓછા હસીએ છીએ. આ એક સમાજમાં આધુનિક જીવનની ધમાલને કારણે છે જે સંપૂર્ણપણે તણાવગ્રસ્ત છે. હસવાથી અને સ્મિત કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ગંભીર સુધારો થાય છે. જો તમે સમાન સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા બે દર્દીઓને જુઓ, તો…

  • નમકહલાલ

    ભૂખ ન જુએ એઠો ભાત, પ્યાસ ન જુએ ધોભીઘાટ ઉંઘ ન જુએ તૂટી ખાટ, હવસ ન જુએ જાત કજાત. મારા પિતા સમાન કેતન શેઠને મારા હઝારો નમસ્કાર. શેઠ હું તમને મોઢામોઢ કહી નથી શકતો એટલે આખરે ચિઠ્ઠી લખીને તમને જણાવું છું કે સુહાની ભાભીની મારી પર નજર બગડી છે. તેઓ મને કહે છે ‘તું હવે…

  • લગ્નજીવન

    અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો….

  • વિન્ટેજ

    મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે…

  • Your Moonsign Janam Rashi This Week –
    12 February – 18 February 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખને જેટલા ઓછા કરવા માગશો એના કરતા વધુ મોજીલા બની જશો. જેટલો ખર્ચ કરશો એટલા નાણાં કમાઈ લેવામાં મુશ્કેલી નહીં આવે. માથા ઉપરનો બોજો ઓછો કરવા વધુ કામ કરવામાં કોઈ અચડણ નહીં આવે….

  • નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

    એક માણસ હતો, તે તેના જિંદગીમાં ખૂબ દુ:ખી હતો. નોકરી પણ સારી ન હતી, પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી પણ તે મજબૂરીમાં કરતો હતો, આ સિવાય પોતાની પાસે બચત ન હોવાને કારણે કાયમ દુ:ખી દુ:ખી રહેતો. અને મહિનાના અંતે જે પગાર આવતો તે બધો ઘર ખર્ચમાં જ વપરાઈ જતો, અને પોતાના કોઈ શોખ પૂરા કરી…