ગોડ અને ગુસ્તાદ

ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને પછી જ સૂતી હતી.

‘જયારે પણ ખોદાયજી અને બહેરામ યઝદ આપણી પાસે મળવા આવે ત્યારે તેમના તેજના પ્રકાશથી ચારે બાજુ ઉજાશ ફેલાઈ જતો અને જ્યારે પણ એ લોકો પાછા જાય ત્યારે મને ઘણું મન થાય કે હું પાછી એક વાર એ લોકો સાથે જઈ જન્નતના દર્શન કરી લઉં. મને હજી પણ યાદ છે જ્યારે એવણ મને પહેલીવાર હવામાં ઉડવા માટે રાજી કરતા હતા ત્યારે હું ઘણો શોક ખાઈ બેશુધ્ધ જેવી થઈ ગયેલી. પેલો માણસ જે કૂતરાના બચ્ચાંને લાકડીથી મારતો હતો તેને મેં પકડીને કેવો માર્યો હતો’ જ‚એ ગુસ્તાદને કહ્યું અને ગુસ્તાદે એને વહાલથી કોટી કરી બોલ્યો અને યાદ છે પેલા પન્નાલાલને તે કેવી રીતે ઉંચકીને ચોપાટી પર કેવો ફેંકી દીધેલો તે? કારણ એણે ઘોડાને ચાબુકથી મારી મારીને ઘાયલ કરી દીધો હતો. તે  હજી સુધી વિચાર કરતો હશે કે એની આવી દશા કોણે કરી હશે કારણ કે તું એને દેખાતી જ નહોતી.’

ગુસ્તાદ ઉંડો શ્ર્વાસ લઈને બોલ્યો, ‘આમ વાત છે.’ જ‚ કહે છે ‘કેમ દાદારજી આપણા ‚મ પર આવીને ત્યાં એક પૂરી ખુરશી પર બેસી જતા હતા અને આપણા સંસારને પસવારતા જાય ને વાત કરતા જાય. મારા હાથની આદુ ફુદીનાની ચાય એ લોકને ઘણી જ ગમતી’ એમ જ‚એ કહ્યું. બન્નેજણ પાર્કની બેન્ચ ઉપર બેઠા હતા એટલામાંજ અવાજ આવ્યો ‘કેમ છો જ‚ અને ગુસ્તાદ મને યાદ કરી રહ્યા છો?’ પાછળ ફરીને જોય છે તો બેન્ચ ઉપર સાક્ષાત દાદારજી બેઠેલા છે અને એવણના ચારે તરફના પ્રકાશથી એવું લાગ્યું કે જાણે તેઓ મેળામાં ઉભા હોય. ગુસ્તાદ અને જ‚ એમને નમવા માટે ઉભા થઈ જાય છે. ‘તમો બન્ને મને એટલા

Similar Posts

  • વરસાદમાં ગોવાની ટ્રીપ

    મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે…

  • 19મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

    ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે ઈશુ ખ્રિસ્તના જન્મની ખુશી દર્શાવતા નાતાલના પર્વની યાદ તાજી થાય છે. નાતાલનું મુખ્ય આકર્ષણ એટલે ‘સાન્તાકલોઝ’ અને ‘ક્રિસમસ ટ્રી’. જીવનનું પ્રતિક તેવા લાલ અને લીલા રંગની ઉજવણી દર્શાવતું પર્વ. પશ્ર્ચિમી ગ્રંથોમાં આદમ અને ઈવની સફરજનના વૃક્ષ હેઠળ બેસીને એકબીજા પ્રત્યે આકર્ષાયા. તે ડિસેમ્બર માસ હતો. વિશ્ર્વમાં 24મી ડિસેમ્બરની રાતથી નાતાલની…

  • હોમાજીની બાજ

    આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે…

  • હસો મારી સાથે

    સાસુએ નવી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યું કે, ‘જો હું આ ઘરની ગૃહમંત્રી છું, પરંતુ સાથે સાથે નાણાં ખાતું પણ સંભાળુ છું. તારા સસરા ઘરના વિદેશ મંત્રી છે. મારો દિકરો અને તારો પતિ શ્રમ અને રોજગાર મંત્રી છે. મારી દિકરી અને તારી નણંદ યોજના મંત્રી છે. હવે તુજ કહે કે તને ક્યો વિભાગ લેવો ગમશે?’…

  • જે વિચારશો તે બનશો

    એક સંસ્કૃત કહેવત આ પ્રમાણે છે: ‘યદ ભવમ, તદ ભવતિ,’ અથવા ‘દુનિયા તમારી જેમ છે અને તમે જે વિચારો છો તે બની જશો.’ સજીવ અને નિર્જીવ વિશ્વમાં, આપણે સતત લયના દાખલાઓ શોધીએ છીએ, જેમાં દરેક વસ્તુ ઉર્જાના સતત સ્પંદનોની સ્થિતિમાં અસ્તિત્વમાં છે. મન એ આપણી વિચાર-શક્તિનો સંગ્રહ છે અને આપણે જે વિચારીએ છીએ, તે થાય…

  • આપણી જુન્ની તે સુન્ની પારસી કહેવતો!

    ગુજરાતી સાહિત્યમાં પારસી બોલી પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પારસી સાહિત્યકારોએ લોકગીત, કવિતા, ગરબા લોકસાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક ધાર્મિક અને ઐતિહાસિક સંશોધન, પત્રકારત્વ વગેરેમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. શ્રી જમશેદજી ન. પિટિટે ‘કહેવતમાળા’ નામે કહેવત સંગ્રહ બે વોલ્યુમમાં પ્રગટ કર્યો છે. એ ‘કહેવતમાળા’ની બરોબરીમાં ઉતરે એવા અન્ય કહેવતસંગ્રહ ગુજરાતી ભાષામાં આજ સુધી પ્રગટ…