જરથોસ્તી સંત દસ્તુરજી જમશેદજી સોરાબજી કુકાદારા

સંત પુષ જમશેદજી સોરાબજી કુકાદા‚નો જન્મ સુરત ખાતે રોજ જમીઆદ, માહ આવા ય.ઝ. ૧૨૦૦ના રોજ થયો હતો. એમનું મરણ મુંબઈ ખાતે રોજ બહેરામ, માહ ફરવર્દીન, ય.ઝ. ૧૨૭૦ના રોજ થયું હતું. જીવનના ૪૨ વર્ષ મુંબઈની કપાવાલા અગિયારીના પંથકી તરીકે ગાળ્યા હતાં. સાદું, સંયમી અને શિસ્ત ભર્યુ જીવન જીવી જનાર દસ્તુરજી શાકાહારી હતા. દિવસમાં એક વાર ખીચડી-ઘીનું ભોજન લેતા. ચોખાના વાસણને સૂર્યના તડકામાં મૂકી માંથ્રવાણીના બળથી તે ચોખાને પકવી શકતા. બહારનો ખોરાક કદી લેતા નહીં. પોતાના કપડાં પોતે જ ધોતાં.

દસ્તુરજી પાવમહેલની પવિત્ર ક્રિયાના જાણકાર હતા. બરસનુમની પાકી જાળવણી કરતા. માંથ્ર અને યસ્નના પ્રખર જ્ઞાની હોવાથી પોતાના વિચારોને આકૃતિ મરજી મુજબ દૂર મોકલી, પોતાનું દર્શન અન્ય હમદીનોને કરાવી શકતા. આવા દસ્તુરજી કુકાદા‚ પારસી કોમમાં એક સંત પુ‚ષ તરીકે પૂજાય તે યોગ્ય જ છે.

દસ્તુરજી જમશેદજી લગ્ન-નવજોત જેવી મીજલસમાં પધારે ત્યારે એમની તરફના માન-આદરને લીધે સમગ્ર મીજલસ ઉભી થઈ જતી હતી. દીની ક્રિયાઓ કરતી વખતે તેઓ હંમેશ ઘી અથવા કોપરેલનો દીવો રાખતા. તેઓના મત મુજબ અવસ્તા માંથ્રની કોઈપણ બંદગી અથવા કોઈપણ ક્રિયામાં ફેરફાર થઈ શકે નહીં.

મુંબઈ ખાતેનું અંજુમનનું આતશબહેરામ પારસી સમાજના ફાળાથી (સદ ૧૮૯૭માં) સ્થાપિત થયું હતું. તેની સ્થાપના માટે દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચહેર જામાસ્પઆશાએ દસ્તુરજી કુકાદા‚ને પોતાનો ફાળો આપવા વિનંતી કરી. દસ્તુરજી જમશેદજીએ એમ જણાવ્યું કે આપને યોગ્ય લાગે તે રકમ મારા નામે લખો. દસ્તુરજી જામાસ્પજીએ ‚ા. ૧૦ હજારની રકમ લખી (આ વાત સન ૧૮૯૭ની છે તે સમયે રાપિયાનું મુલ્ય કેટલું હતું?) દસ્તુરજી કુકાદા‚ ‚ા. ૧૦ હજારની રકમ વાંચી મૂંઝાયા પરંતુ એમણે આ રકમ માટે બીજે દિવસે આવવા જણાવ્યું. બીજે દિવસે દસ્તુરજી જામાસ્પજી ‚ા. ૧૦ હજારનો ફાળો લેવા આવ્યા. દસ્તુરજી કુકાદા‚ સાહેબે એમને કહ્યું, ‘આ બાજુના ઓરડામાંથી જે ચીજ મળે તે વેચીને મળતા નાણાં ફંડમાં જમા કરજો.’ દસ્તુરજી જામાસ્પજીએ બાજુના ઓરડામાં એક સોનાની પાટ જોઈ. તે બજારમાં વેચતાં બરાબર ‚ા. ૧૦ હજાર મળ્યા. સંત દસ્તુર કુકાદા‚ સાહેબની લાજ ખુદા પાકે રાખી! આ છે બંદગીનું બળ. આ છે સંત કક્ષાના દસ્તુરજી જમશેદજીની આત્મિક શકિતનું પરિણામ!

દસ્તુરજી કુકાદારા સાહેબે અનેક આગાહીઓ કરી હતી અને તે સાચી પડી હતી. દસ્તુરજીએ પારસી સમાજની ધાર્મિક દોરવણી પણ કરી હતી. પારસી લો કમીશન (સન ૧૮૬૨)સમક્ષ પાલક કરવાની ફરજ બાબતે નિવેદન આપ્યું હતુું. ‘યજદાપરસ્ત’ પત્રમાં ધાર્મિક બાબતોની ઝણાવટ કરી હતી. ધાર્મિક શિક્ષક તરીકે ઝંદ અવસ્તાની મદ્રેસામાં સેવા આપી હતી. જરથોસ્તી ધર્મ અને ક્રિયા ઉપર એતેકાદ વધારનારી મંડળી (સ્થાપના ૬.૬.૧૮૮૦)માં પ્રથમની કારોબારી તરીકે નીમાયા હતા. દસ્તુરજી પહેલવી ભાષાના પંડિત હતા. ભણતરની શુધ્ધિ માટે આગ્રહ રાખતા હતા. સમસ્ત આથ્રવન વર્ગ એમને ખૂબ માનપૂર્વક જોતો હતો. માંથ્રવાણીથી લોકોની માનસિક કે શારિરીક તકલીફ દૂર કરી શકતા હતા. દસ્તુર પેશોતન સંજાણા એમના સમકાલીન હતા. તેમના મરણના દિવસ તથા સમયની સચોટ આગાહી કરી હતી. ખુદ એમણે પોતાના મરણની પણ આગાહી કરી હતી, અને તે સત્ય પૂરવાર થઈ હતી.

(શતાબ્દી સ્મૃતિગ્રંથના સૌજન્યથી)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 October – 15 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તમે જે ધારશો તેના કરતા કામ ઉલટા થશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો તેવા ગ્રહ છે. તમારા પોતાના જ પૈસા મેળવવા બીજા પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કોઈ સાથ…

  • ચણાના લોટનાં ઢોકળાં

    સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ,…

  • તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરો

    આપણા ઝોરાસ્ટ્રિયન ધર્મ મુજબ, સ્પેન્ટા મૈન્યુ ગુડ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને આંગ્રે મૈન્યુ એવિલ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર, આપણે આપણી જાતને નકારાત્મક અથવા પ્રતિકૂળ મનની સ્થિતિમાં શોધીએ છીએ, જે આપણને નકારાત્મક ઘટનાઓ તરફ દોરી જાય છે – કારણ કે આપણે બહાર કે અંદર પણ નકારાત્મક ઊર્જાથી ઘેરાયેલા હોઈએ છીએ. તેથી નકારાત્મકતાનું કારણ શું…

  • શિરીન

    તે દુકતીઓએ પણ કંઈક પોત પોતાનાંજ બહાના કાઢયા. હિલ્લાએ કહ્યું ‘જવાસે તો જઈશું,’ કરી ટૂંક જવાબ આપી દીધો, કે ફિરોઝ ફ્રેઝરે ત્યારે દુ:ખી થઈ ચુપકીદીજ અખત્યાર કરી દીધી. પણ શિરીન વોર્ડન તો ખુશીજ થઈ, કારણ કેમ કરી તેણી પોતાના વહાલાને બીજી છોકરી અને તે પણ મોલી કામા સાથ પરણતો નિહાળી શકે? અને બીજું એક અડવાડિયું…

  • |

    જમશેદી નવરોઝ મુબારક

    વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 October – 21 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી 27મી ઓકટોબર સુધી તમારે તમારી તબિયતની ખાસ કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેશો તો મોટી માંદગીના ચક્કરમાં આવી જશો. નાણાકીય બાબતની અંદર ખુબ ખેંચતાણ રહેશે. દવા-ડોકટર પાછળ ખર્ચ ખુબ વધી જશે. હાલમાં દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી…