મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને ગરબા ગવાય છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના-સાધના થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વ‚પો જાણીતાં છે. અને તેમની પૂજા કરતા મનગમતું ફળ મળે છે.

શૈલપુત્રી નવ દુર્ગાનું પ્રથમ સ્વ‚પ: હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે.

બ્રહ્મચારિણી નવ દુર્ગાનું બીજું સ્વ‚પ: નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વ‚પ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

ચન્દ્રઘંટા નવ દુર્ગાનું ત્રીજું સ્વ‚પ: ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વ‚પ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.

કુષ્માંડા નવ દુર્ગાનું ચોથું સ્વ‚પ:  કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વ‚પ છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કુષ્માંડા ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે.

સ્ક્ધદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વ‚પ: સ્ક્ધદમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વ‚પ છે. સ્ક્ધદમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુ‚ગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠું સ્વ‚પ: કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમું સ્વ‚પ: કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વ‚પ ધારણ કરેલું હતું.

મહાગૌરી નવ દુર્ગાનું આઠમું સ્વ‚પ: મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમ‚ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું નવમું સ્વ‚પ: સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે.

Similar Posts

  • કાસની રાણી સોદાબે

    કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી….

  • કાસની રાણી સોદાબે

    તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 September – 09 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં તમારી કદર થશે. નાણાકીય બાબતમાં બચત કરવાનું શીખી જશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. કનવંતી તા. 6, 7, 8, 9 છે. Under Mercury’s…

  • પાંદડામાં વીંટાળેલી ભુજેલી માછલી

    સામગ્રી: 2 છમણાં, બે નાના ચમચા ઘી, 7 લીલા મરચા, અર્ધી ઝુડી કોથમીર, 2 લીલા કોપરાના કટકા, અર્ધો કડો લસણ, 1 ચમચી જીરૂં, 1 મુઠ્ઠી આમલી, 1 ચમચી મીઠું, 1 ગાંગડો ગોળ, 3 કેળના પાંદડા. રીત: છમણાને ધોઈ સમારી કટકા કરી મીઠું લગાડવું. કોથમીર મરચા લસણ, જીરૂં, કોપરૂં, આમલી, ગોળ, 1 ચમચી મીઠું એ બધાને…

  • નવા વર્ષમાં કૃતજ્ઞતા!

    એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો…