મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને ગરબા ગવાય છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના-સાધના થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વ‚પો જાણીતાં છે. અને તેમની પૂજા કરતા મનગમતું ફળ મળે છે.

શૈલપુત્રી નવ દુર્ગાનું પ્રથમ સ્વ‚પ: હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે.

બ્રહ્મચારિણી નવ દુર્ગાનું બીજું સ્વ‚પ: નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વ‚પ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

ચન્દ્રઘંટા નવ દુર્ગાનું ત્રીજું સ્વ‚પ: ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વ‚પ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.

કુષ્માંડા નવ દુર્ગાનું ચોથું સ્વ‚પ:  કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વ‚પ છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કુષ્માંડા ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે.

સ્ક્ધદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વ‚પ: સ્ક્ધદમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વ‚પ છે. સ્ક્ધદમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુ‚ગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠું સ્વ‚પ: કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમું સ્વ‚પ: કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વ‚પ ધારણ કરેલું હતું.

મહાગૌરી નવ દુર્ગાનું આઠમું સ્વ‚પ: મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમ‚ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું નવમું સ્વ‚પ: સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 November – 12 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના-મોટા ચેરિટીના કામ કરવામાં સફળ થઈ શકશો. તમારા કરેલ કામના બીજા વખાણ કરવામાં કોઈ કસર નહીં રાખે. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી રહેશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ગુરુની…

  • હસો મારી સાથે

    એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે? મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે. **** એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે? તો કહે, મારી વાઈફનાં…

  • રાયતા કેરી

    સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું. રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું…

  • આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

    ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 December, 2018 – 28 December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરનો સાથ મળી રહેશે.  ગુરૂની દિનદશાને લીધે ચેરીટીનું કામ કરી શકશો. 25મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા ચાલુ થતા ખરાબ સમય રહેશે. જે પણ વિચાર કરો તેમાં સ્થિર નહીં રહો. ઘરમાં અશાંતિ વધી જશે….

  • હસો મારી સાથે

    મારા પગ દુ:ખે છે, મારા ઘુંટણ દુ:ખે છે, મારી કમર દુ:ખે છે, પગમાં કળતર થાય છે, પગના તળિયે બળતરા થાય છે, જેવા બહાના બનાવતી ઘરવાળીઓ હવે જો જો નવરાત્રિમાં કેવા કૂદી કૂદીને ગરબા રમશે. **** આજથી એ બધા દોસ્ત ખાસ છે જેની પાસે નવરાત્રીના પાસ છે.. **** કવિતા: તું દરરોજ નવા નવા ચણિયા-ચોળી કેવી રીતે…