હોમાજીની બાજ

આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે છે.

ભ‚ચના વણકર જમશેદના પુત્ર જે હોમાજી હતા. જે ગુજરાતમાં વસનાર પારસી હતા. એમના પિતા કવિ અને ભ‚ચના અગ્રણી નાગરિક હતા. સુરતના નાનપૂરા જિલ્લામાં પાલિયા સ્ટ્રીટ ખાતે આવે લી અગિયારીને જમશેદ ઝાહિયા નામ આપવામાં આવ્યું છે.

૧૮મી સદીના મધ્યમાં હોમાજી કમનસીબે કાબીસેહ વિવાદના શિકાર બન્યા હતા જે સમુદાયને વિભાજીત કરી રહી હતી. ૧૭૮૨માં વિવાદ ગંભીરતાથી વકરવા પામ્યો હતો. કદમી સ્ત્રી જે ગર્ભવતી હતી  અને એને લાત મારવાથી તેની કસુવાવડ થતા ખોટી રીત આરોપ હોમાજી પર મૂકવામાં આવ્યો હતો.

હોમાજીને ભ‚ચના નવાબ તથા મુંબઈમાં બ્રિટીશ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. કાબિસેહના વિાવદને લીધે મહોજીએ પોતાની નિર્દોષતા સાબિત કરી શકયા નહી. વાડિયા કુટુંબના એક સભ્યે હોમાજી સામે ખોટી સાક્ષી આપી અને તેના લીધે તેમને મૃત્યુદંડ થયો.

૧૧૫૩ ય.ઝ (૧૭૮૩એડી), ગોવાદ રોજ અને દએ મહિનોને દિને બઝારગેટના ફોર્ટના ખૂણામાં તેમને ફાંસી આપવામાં આવી.

હોમાજીને ફાંસીએ લટકાવતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમની ઉપર જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને જે વ્યક્તિએ ખોટી સાક્ષી આપી છે તેનું (ચોરમના દિવસે) ચોથે દિવસ મોત થશે.  તેમણે વિશ્ર્વાસથી કહ્યું કે તેમને તેમની ઈમાનદારી અને નિર્દોષતા માટે જે લોકો યાદ કરશે તેમને તેમના આશિર્વાદ પ્રાપ્ત થશે. ઈતિહાસમાં જાણવા મળે છે કે તે સ્ત્રી અને તે વ્યક્તિ જેણે ખોટી સાક્ષી આપી હતી તે તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા એમના ચોરમના દિવસે અને ત્યાર પછી હોમાજીની યાદમાં ગોવાદ રોજ અને દએ મહિનાના દિવસે ‘હોમાજીની બાજ’નો દિવસ મનાવવામાં આવે છે.

Similar Posts

  • ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ…

  • ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

    તે વખતથી વાતચીત તરેહવાર બાબતો તથા ગમતોને લગતી તથા જીંદગી ભોગવવાની રીતો વિશેની હતી. તે ફકીરો ઉઠી ઉભા થઈ પોતાની રીત પ્રમાણે નાચવા લાગ્યા અને તેઓએ નાચવાના હુન્નરની ચાલાકી બતાવ્યા ઉપરથી તે બાનુઓએ તેઓ માટે બાંધેલા સારા વિચારોમાં વધારો થશે તેવુંજ નહીં પણ ખલીફ તથા તેના સોબતીઓ તેઓની ઘણીજ તારીફ અને વાખવાખી કરવા લાગ્યા તે…

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

    છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…

  • દશેરો: દ્રુષ્ટતા પર વિજયનો તહેવાર

    નવરાત્રી એટલે નવરાત અને દસમો દિવસે એટલે દશેરો. દશેરાને દશાહરા તથા દશેન (નેપાળમાં), દુગાષ્ટમી (ઈસ્ટ ઈન્ડિયામાં), નવરાત્રી (વેર્સ્ટન ઈન્ડિયા) વિજયા દશમી (દસમા દિવસે મળેલો વિજય) અશ્ર્વિન મહિનામાં હિન્દુઓ દ્વારા ઉજવાતો મોટો તહેવાર છે અને ભારતના જે દેશોમાં હિંદુઓ રહે છે ત્યાં અલગ અલગ રીતોથી દશેરો ઉજવવામાં આવે છે. દશેરા શબ્દનો મતલબ છે ‘દશ’ એટલે દસ…

  • સુખી રહેવાના છ રહસ્યો

    ટીવી ચાલુ કરો અને ત્યાં કરોના વાયરસના સમાચાર જોવા મળે છે. કોઈપણ અખબાર વાંચો – તે જ જૂના સમાચાર. કોઈની સાથે વાત કરો અને તેઓ પણ તેજ વાત કરશે વાયરસ કેવી રીતે આવે છે! પરંતુ, તે દરેક જણને લાગતો નથી. કેટલાક લોકોને, એવું લાગે છે કે, દરેક કીડો, સૂક્ષ્મજંતુ એ વાયરસને પકડે છે, જ્યારે અન્ય…