શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે તે પસંદ કરશે નહીં. તેજ પ્રમાણે સામ નરીમાન પણ પોકાર કરી ઉઠશે. તે પણ હાથ અફાળશે અને મારી ઉપર ગુસ્સે થશે પણ મારા મનથી જાન અને તન વગર કિમતના છે. હું તેઓને હલકા ગણીશ અને મારૂં કફન પહેરીશ. પણ દાદગર દાવર આગળ કબૂલ થાઉ છું કે હરગેજ તારા પેમાનથી હું ફરીશ નહીં. હું ખોદાતાલાની સેતાયશ કરીશ, યજદાં પરસ્તોની માફક નીઆએશ કરીશ કે તે સાહેબ સામનું અને મારા દેશના પાદશાહનું દિલ નામરજી અને ગુસ્સા અને કિનાથી ધોઈ નાખે. જેહાનને પેદા કરનાર સાહેબ મારા સખુનો સાંભળશે અને તેથી તું મારી પ્રિયા તરીકે મશહૂર થશે.’

રોદાબે આ સખુનો સાંભળી કહ્યું કે ‘હું પણ યકીન અને દીનના દાવર ખોદા આગળ કબૂલ થાઉ છું અને મારા આ બોલવા ઉપર જહાનનો પેદા કરનાર સાહેબ સાથી છે કે જહાન પહેલવાન જાલેજર કે જે તાજ અને ગંજનો અને કિર્તી અને દબદબાનો સાહેબ છે, તે સિવાય મારી ઉપર કોઈપણ બીજો શખ્સ પાદશાહ થશે નહીં.’

બામદાદ થતાં જાલ પોતાની છાવણીમાં પાછો ફર્યો અને પછી પોતાના દરબારીઓને મિજલસમાં બોલાવ્યા. શરૂઆતમાં તેણે ખોદાતાલાને યાદ કર્યો કે કુલ જગત તેની પેદાયશ છે. તે ઈન્સાફ અને બખશેશનો ખાવિંદ છે. એક કીડી વટીક પણ તેના વગર પોતાનો પગ ઉંચકતી નથી. પછી કહ્યું કે ‘દાદારે આ દુનિયાની વૃધ્ધિ જોડાં મારફતે કીધી છે, કારણ કે એકથી (એટલે જોડાં વગર) વૃધ્ધિ થતી નથી. તે કેરદેગાર સિવાય કોઈપણ એકલો નથી. તેનેજ નથી કોઈ ભાગ્યો કે જોડયો કે યાર. તેણે જે પેદા કર્યુ છે તે જોડાં તરીકે પેદા કર્યુ છે. છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો, અને સઘળી ચીજો તેનાથી કિંમતી બની. અગર જો જેહાનમાં જોડું ન હતે, તો શક્તિ છુપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જેહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપાનો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ ચાલુ રહે છે. હવે હાલ એ સગળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યાં સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મેહરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે.

(ક્રમશ)

Similar Posts

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા. તમાશબીન…

  • દિના વાડિયાની આ દુનિયામાંથી વિદાય

    દિના વાડિયા ઉદ્યોગપતિ નસલી વાડિયાની માતા અને નેવિલ વાડિયાની પત્ની ગુરુવાર, 10 મી નવેમ્બર, 2017 ના રોજ લંડનમાં મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન ન્યૂઝના અહેવાલ મુજબ મોહમ્મદ અલી જિન્નાહ અને રત્તીના એકમાત્ર સંતાન દિના 98 વર્ષના હતા. પ્રખ્યાત કારોબારી ઉદ્યોગપતિ, નેવિલ વાડિયા સાથેના લગ્ન પછી, તે યુનાઈટેડ કિંગડમ જતા પહેલા ભારતમાં રહેતા હતા.

  • બ્રિટનની રાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે અવસાન

    રાણી એલિઝાબેથ II, વિશ્ર્વના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા અને યુકેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાણી તરીકે, જેમણે સાત દાયકાથી વધુ સમય સુધી તેમની પ્રજાનું નેતૃત્વ કર્યું, 8મી સપ્ટેમ્બર, 2022 ના રોજ 96 વર્ષની વયે, બાલમોરલમાં તેમની સ્કોટિશ એસ્ટેટમાં અવસાન થયું, જ્યાં તેમણે મોટાભાગનો ઉનાળો વિતાવ્યો હતો. તેમનું અસાધારણ શાસન, જે 1952માં…

  • ભય: કોવિડ-19 કરતા વધારે ઘાતક છે

    આપણે એક રોગચાળાની વચ્ચે છીએ, જેમાં શહેરો નહીં પણ સમગ્ર દેશ બંધ છે. કેટલાક એવા વિસ્તારોમાં રહે છે કે જે કોરોનાવાયરસથી પ્રભાવિત છે અને તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, તો બીજાઓ આગળ શું થશે તેના ડરથી જીવે છે. મોટાભાગના લોકો માટે, આ રોગચાળાની આસપાસની અનિશ્ચિતતાને નિયંત્રિત કરવી સૌથી મુશ્કેલ છે જો કુટુંબનો સભ્ય…

  • સ્ટેજ ઉપર નૃત્યકળાની શઆત કરનાર

    જવાનીની શ‚આતમાં સ્ત્રીના પાર્ટ કરવામાં જમશેદજી માદન ઘણા જ વિખ્યાત હતા. જવાનીમાં તેવણ અતિ ‚પાળા અને ચેહરેનુમન હતા. તમાશબીન આલમ હમેશા મરહુમને ‘જમશેદ માદન’ને લાડકા નામે ઓળખતી હતી. ગાયન કરવામાં, જાણીતા દાદી વર્કિંગબોક્ષવાળા નામના એક કાબેલ ગાયક એ મંડળને હાથ લાગી જવાથી, મરહુમને સંગીતની અચ્છી તાલિમ મળી ગઈ હતી. અલાઉદ્દીનના ખેલમાં, જે કઠણ પ્રકારના ગાયનો…

  • મળાવરોધમાં છાશ

    દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં…