શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નવરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે, કે ‘ફલાણો જાલનો છોકરો છે અને ફલાણો સામનો છોકરો છે. તેનાથી (એટલે ફરજંદથી) તાજ તખ્ત સિંગાર પામેલું રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ  ચાલુ રહે છે. હવે હાલ એ સઘળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યા સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મહેરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે. મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ એ દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે.

જાલના આ સખુનો સાંભળી, મિજલસમાં મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મેહરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચેરશાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે તે જોહાકના ટોળાનો છે, તો પણ તે આરબોનો સરદાર છે માટે તું સામ ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે, ‘હું મહેરાબની બેટીની(મહોબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓને જોયા કરૂં છું) મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે (એટલે મહોબતના દુ:ખના મોજાઓ મારી ઉપર માર પડે છે) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રડે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાંઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્ઝ પહાડ પરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો, ત્યારે ખોદાતાલા હજૂર કબૂલાત આપી હતી કે પોતે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધુ, કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28th December – 3rd January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે પરેશાન થઈ જશો. ઘરવાળા કે અંગત માણસો તમને માન નહીં આપે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. મન સ્થિર નહીં રહે. નેગેટીવ વિચાર વધારે આવશે. દરરોજ ‘મહાબોખ્તાર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01 April – 07 April 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખ ઘટવા નહી દે. ધણી ધણીયાણીમાં ખુબ સારા સારી રહેશે. તેઓ એકબીજાના મનની વાત સમજી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બીજાના મદદગાર બની તેમની ભલી દુવાઓ મેળવી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….

  • ગોડ અને ગુસ્તાદ

    ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને…

  • યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

    દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે. તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ…

  • જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા

    મુંબઈ સ્થિત, 22 વર્ષના જેહાન ઈરાનીએ પ્રતિષ્ઠિત આઈ કોમ્પિટ નેચરલ (આઈસીએન) ઈન્ડિયા, બોડી-બિલ્ડિંગ અને ફિટનેસ સ્પર્ધાના ભારતીય ચેપ્ટરમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા, જે સ્પર્ધા 5મી નવેમ્બરે 2022, યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, નરીમાન પોઈન્ટ, દક્ષિણ મુંબઈમાં યોજાઈ હતી. સમગ્ર ભારત અને અન્ય દેશોમાંથી 60 પ્રતિભાગીઓએ વિવિધ કેટેગરીમાં જીતવા સ્પર્ધા કરી હતી, જ્યાં કુદરતી રમતવીર,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30 October – 05 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમોનેબી 25મી ડિસેમ્બર સુધી ગુરુની દીનદશા ચાલશે તેથી હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાંડ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બગડેલા સંબંધને સુધારવા માટે તમે બુધ્ધી વાપરી સંબંધ સુધારી લેશો. નાણાંકીય મુશ્કેલી દૂર કરી શકશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ધનની ચિંતા…