નાટક ઉત્તેજકના મૂળ માલેકો

મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા‚ અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ‚ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી ભાષામાં નાટકો થાય તે તો એક નવાઈ જેવું જ લાગ્યું! કુંવરજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા ‘કરણ ઘેલો’વાળો નાટક સ્ટેજ કરાવ્યો હતો પણ તે વખતે તે કેવળ નિષ્ફળ ગયો હતો.

પાછા આ ત્રણ સાહેબો કેખશ‚ની મદદ માંગવા દોડયા હતા! એ ત્રણે સાહેબોનો આ એક મુદ્રાલેખ હતો કે ‘કેખશ‚ વગર કોઈ નાટક ફત્તેહમંદ થઈ શકે જ નહીં.’ કેખશ‚ને નાટક લખવાનું અને સારા પાયા ઉપર નાટકો કરાવવાનું જનમથી ચેટક લાગેલું હોવું જોઈએ! કેમ કે બચપણથી જ મરહુમે એ હુન્નરને ખીલવવાની નેમથી જુદી જુદી કલબવાળાઓને પોતાની મદદ આપવી શ‚ કરી હતી અને તે પ્રમાણે આ ત્રણ સાહેબોની નવી યોજનાને સાંભળી લઈ પોતાથી બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને ઉભી કરી તેને માટે એક ધરખમ કમિટી ગોઠવી હતી, તેમ આ નવી કલબને માટે પણ તેવણે એક તેવીજ ધરખમ કમિટી ગોઠવી અને કાબરાજીએ જેમ પોતાની માનીતી ગાયન ઉત્તેજક મંડળીને ઉભી કરી તેનું નામ આપ્યું હતું, તેમ આ નવી નાટક કલબનું નામ પણ તેવણે નાટક ઉત્તેજક મંડળી આપી તેનું કામ શ‚ કીધું હતું.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    20 January, 2018 – 26 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી બુધ્ધિ ચાલશે નહીં. તમે તમારા વિચારમાં ખોવાયેલા રહેશો. કામ પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. રોકાણ કરશો નહીં. તમારા માથાનો બોજો વધી જશે. રાહુ…

  • શિક્ષણવિદ રતિ કૂપરની સ્મૃતિનું રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું

    રાજકોટમાં રાજકુમાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફે, 15મી ઓગસ્ટ, 2022ના રોજ, પ્રતિમાના અનાવરણ સાથે સુપ્રસિદ્ધ શિક્ષક – રતિ કૂપરની સ્મૃતિનું સન્માન કર્યું હતું. દાયકાઓથી, રતિ કૂપરે સમર્પિતપણે ભણાવ્યું હતું અને તેમના હેઠળ અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જીવનમા એક મોટો ફેરફાર કર્યો હતો. સમારંભની શરૂઆત કોલેજના ભાવસિંહજી હોલમાં વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હૃદયસ્પર્શી વખાણ કરીને કરવામાં…

  • બેજનની બાનુ મનીજેહ

    એક દિવસ પાદશાહ કેખુશરો ખુશીખુરમીની મિજલસમાં બેઠો હતો. એવામાં એક દરબાન આવી કહેવા લાગ્યો કે કેટલાક અમાનીય દરવાજા ઉપર આવ્યા છે અને તું પાદશાહને મળવા માંગે છે. શાહે તેઓને દરબારમાં બોલાવ્યા. તેઓ દાખલ થયા અને જારી અને મીનતજારી કરવા લાગ્યા અને રડીને અરજ કીધી, કે તેઓના મુલકમાં ભૂંડોનો ઉપદ્રવ ઘણો થયો છે, જે તેઓને પાયમાલ…

  • હસો મારી સાથે

    જીવનના સફરમાં ચુપચાપ ચાલી રહ્યા હતા અને રસ્તામાં મળી ગયા ફેસબુક, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને પછી જીંદગી બની ગઈ અબ્બા ડબ્બા જબ્બા!! *** ઉદવાડામાં 12 કેસ, સંજાણમાં 15 કેસ, વાપીમાં 20 કેસ, વલસાડમાં 21 કેસ, સુરતમાં 22 કેસ, આ આંકડા કોરોના ના નથી. પણ ગઈકાલે વરસાદમાં ઘરે ભજીયા નહીં બનાવી આપવાના કારણે થયેલ માથાકૂટ ના…

  • ગણેશજી એકદંત કેમ કહેવાયા?

    જ્યારે મહર્ષિ વેદ વ્યાસ મહાભારત લખવા બેઠા ત્યારે તેમને એવી વ્યક્તિની જરૂર હતી જે તેમના મોઢામાંથી નીકળતી મહાભારતની વાર્તા લખે. તેમણે આ કાર્ય માટે શ્રી ગણેશજીની પસંદગી કરી. ગણેશજી પણ આ માટે સંમત થયા પરંતુ તેમની એક શરત હતી કે સમગ્ર મહાભારત લેખન એક ક્ષણ માટે પણ અટક્યા વિના પૂર્ણ કરવું પડશે. ગણેશ જીએ કહ્યું…

  • સૌથી મોટી ટીપ

    ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા…