બંદગીના ફાયદાઓ
|

બંદગીના ફાયદાઓ

ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

બંદગીને લગતા થોડાક કાયદાઓ

બંદગીને લગતા થોડાક કાયદાઓ

બંદગી દરમ્યાન ગફલતથી કોઈ પદ ચુકી ન જવાય યા એકને બદલે બીજું ભલતું નહીં ભણાય તેની ખૂબ કાળજી રાખવી. ભણતી વખતે ઉત્તર દિશાએ આપણું મોઢું આવે નહીં તેની ખૂબ સંભાળ રાખવી. બંદગી માટે બડી બામદાદનો વખત મુંબઈ ટાઈમ 3 વાગ્યાથી તે સુરજ ઉગ્યા પછી એક કલાક સુધીનો સૌથી મુબારક છે કારણ કે એ વખતે હવા…

બંદગીને લગતા થોડાક કાયદાઓ

બંદગીને લગતા થોડાક કાયદાઓ

ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ…

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

તન, મન અને ઉરવાનની બંદગીનું બળ ધરાવનાર શક્સ અણદીઠ રીતે આ દુનિયામાં પોતાની જન્મ લેવાની નેમ કેવી સરળ અને સરસ રીતે પાર પાડી પોતાને તેમજ કુદરતને કેટલો ફાયદો કરે છે તેનો ટૂંકમાં જ સાર આપ્યો છે. આપણી સૌથી ઉત્તમ અવસ્તા બંદગીની સાથે સાથે સચ્ચાઈ, ઉદારતા, નીતીરીતી, સંતોષ, નમ્રતા, સાદાઈ, પરમાર્થ, સાફ અંત:કરણ, નેક નીયત અને…

સાચ્ચી બંદગી અને તેની સાથે  થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે…

સાચ્ચી બંદગી અને તેની સાથે  થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી મનની બંદગી: તનની બંદગી પુર બહારમાં પળાતી હોવાને લીધે આપણે અહુ યાને તરીકત પાળી અશોઈથી ખીલવેલાં બાતેની અંત:કરણનો જાતી સ્વભાવ ખીલે છે અને તે ખીલવાના સબબે બાતેની અંત:કરણનો જાતી સ્વભાવ ખીલે છે અને તે ખીલવાના સબબે કુદરતમાં જે કાંઈ સાચ્ચુ પડેલું છે એટલે…

સાચ્ચી બંદગી અને તેની સાથે  થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે  1) તનની 2) મનની 3) રવાનની બંદગી તનની બંદગી: જે ચાર અનાસરો યાને મૂળ તત્વો આતશ, બાદ, આબ અને ખાનું આપણું શરીર બનેલું છે તે ચાલુ અનાસરોના ફેરફારોને આધીન હોવાથી તેમાંથી નીકળતા બધા પ્રવાહો મેહરે-અઈપી યાને મેગ્નેટીઝમના (ખોરેહ ખેંચનારી વાતાવરણના) સામટા નામે ઓળખાય છે, તે મેહરે-અઈપીના પ્રવાહોને સદા સ્વચ્છ અને…

યથા કયારે ભણવો?

યથા કયારે ભણવો?

ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો. અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે…

સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવતનાં કામો જેવા કે દુ:ખ દરદથી જે ગરીબ લાચારો પીડાતાં હોય તેઓને વાસ્તે હોસ્પિટલ યા આશ્રમો સેનેટોરિયમો માંથી ડોકટર તથા દવાદારૂની મદદ કરી આશરો આપવો. ગરીબ લાચારોને રહેવાને વાસ્તે સસ્તા ભાડાના સુખવાસી મકાનો બંધાવી આપવા. વિધવા લાચાર બાનુઓ જેઓ પોતાનું ગુજરાન કરવા તદ્દન અશકત હોય તેની હાલત તપાસી તેઓને ઘટતી મદદ કરવી. કોમના ટૂંક કમાઈવાલા…

સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવત વીશે ટૂંક ખુલાસો

કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…

મરણબાદ ડુંગરવાડીની બંગલીઓના ખાસ ઉપયોગ માટે સહેજ ખુલાસો

મરણબાદ ડુંગરવાડીની બંગલીઓના ખાસ ઉપયોગ માટે સહેજ ખુલાસો

ઘરમાં માસિક માંદગીની હાલત ઘણા મોટા ભાગે નહીં પળાતી હોવાને લીધે, તેમજ એકજ ઘરમાં બીજી કોમના લોકો સાથે વસવાથી મરણ વખતે ઘેરમાં સચકાર વિગેરેની ક્રિયા દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં એ તો સર્વને જાણીતું છે અને જો તે જાણવા છતાં કરે તો ઘણો મોટો ગુનાહ લાગે અને કીધેલી ક્રિયાની અસર રવાનને બરાબર ન મળતા…