ગુશ્તાસ્પની બાનુ કેટાયુન
સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને…
