જરથોસ્તી સંત દસ્તુરજી જમશેદજી સોરાબજી કુકાદારા

સંત પુષ જમશેદજી સોરાબજી કુકાદા‚નો જન્મ સુરત ખાતે રોજ જમીઆદ, માહ આવા ય.ઝ. ૧૨૦૦ના રોજ થયો હતો. એમનું મરણ મુંબઈ ખાતે રોજ બહેરામ, માહ ફરવર્દીન, ય.ઝ. ૧૨૭૦ના રોજ થયું હતું. જીવનના ૪૨ વર્ષ મુંબઈની કપાવાલા અગિયારીના પંથકી તરીકે ગાળ્યા હતાં. સાદું, સંયમી અને શિસ્ત ભર્યુ જીવન જીવી જનાર દસ્તુરજી શાકાહારી હતા. દિવસમાં એક વાર ખીચડી-ઘીનું ભોજન લેતા. ચોખાના વાસણને સૂર્યના તડકામાં મૂકી માંથ્રવાણીના બળથી તે ચોખાને પકવી શકતા. બહારનો ખોરાક કદી લેતા નહીં. પોતાના કપડાં પોતે જ ધોતાં.

દસ્તુરજી પાવમહેલની પવિત્ર ક્રિયાના જાણકાર હતા. બરસનુમની પાકી જાળવણી કરતા. માંથ્ર અને યસ્નના પ્રખર જ્ઞાની હોવાથી પોતાના વિચારોને આકૃતિ મરજી મુજબ દૂર મોકલી, પોતાનું દર્શન અન્ય હમદીનોને કરાવી શકતા. આવા દસ્તુરજી કુકાદા‚ પારસી કોમમાં એક સંત પુ‚ષ તરીકે પૂજાય તે યોગ્ય જ છે.

દસ્તુરજી જમશેદજી લગ્ન-નવજોત જેવી મીજલસમાં પધારે ત્યારે એમની તરફના માન-આદરને લીધે સમગ્ર મીજલસ ઉભી થઈ જતી હતી. દીની ક્રિયાઓ કરતી વખતે તેઓ હંમેશ ઘી અથવા કોપરેલનો દીવો રાખતા. તેઓના મત મુજબ અવસ્તા માંથ્રની કોઈપણ બંદગી અથવા કોઈપણ ક્રિયામાં ફેરફાર થઈ શકે નહીં.

મુંબઈ ખાતેનું અંજુમનનું આતશબહેરામ પારસી સમાજના ફાળાથી (સદ ૧૮૯૭માં) સ્થાપિત થયું હતું. તેની સ્થાપના માટે દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચહેર જામાસ્પઆશાએ દસ્તુરજી કુકાદા‚ને પોતાનો ફાળો આપવા વિનંતી કરી. દસ્તુરજી જમશેદજીએ એમ જણાવ્યું કે આપને યોગ્ય લાગે તે રકમ મારા નામે લખો. દસ્તુરજી જામાસ્પજીએ ‚ા. ૧૦ હજારની રકમ લખી (આ વાત સન ૧૮૯૭ની છે તે સમયે રાપિયાનું મુલ્ય કેટલું હતું?) દસ્તુરજી કુકાદા‚ ‚ા. ૧૦ હજારની રકમ વાંચી મૂંઝાયા પરંતુ એમણે આ રકમ માટે બીજે દિવસે આવવા જણાવ્યું. બીજે દિવસે દસ્તુરજી જામાસ્પજી ‚ા. ૧૦ હજારનો ફાળો લેવા આવ્યા. દસ્તુરજી કુકાદા‚ સાહેબે એમને કહ્યું, ‘આ બાજુના ઓરડામાંથી જે ચીજ મળે તે વેચીને મળતા નાણાં ફંડમાં જમા કરજો.’ દસ્તુરજી જામાસ્પજીએ બાજુના ઓરડામાં એક સોનાની પાટ જોઈ. તે બજારમાં વેચતાં બરાબર ‚ા. ૧૦ હજાર મળ્યા. સંત દસ્તુર કુકાદા‚ સાહેબની લાજ ખુદા પાકે રાખી! આ છે બંદગીનું બળ. આ છે સંત કક્ષાના દસ્તુરજી જમશેદજીની આત્મિક શકિતનું પરિણામ!

દસ્તુરજી કુકાદારા સાહેબે અનેક આગાહીઓ કરી હતી અને તે સાચી પડી હતી. દસ્તુરજીએ પારસી સમાજની ધાર્મિક દોરવણી પણ કરી હતી. પારસી લો કમીશન (સન ૧૮૬૨)સમક્ષ પાલક કરવાની ફરજ બાબતે નિવેદન આપ્યું હતુું. ‘યજદાપરસ્ત’ પત્રમાં ધાર્મિક બાબતોની ઝણાવટ કરી હતી. ધાર્મિક શિક્ષક તરીકે ઝંદ અવસ્તાની મદ્રેસામાં સેવા આપી હતી. જરથોસ્તી ધર્મ અને ક્રિયા ઉપર એતેકાદ વધારનારી મંડળી (સ્થાપના ૬.૬.૧૮૮૦)માં પ્રથમની કારોબારી તરીકે નીમાયા હતા. દસ્તુરજી પહેલવી ભાષાના પંડિત હતા. ભણતરની શુધ્ધિ માટે આગ્રહ રાખતા હતા. સમસ્ત આથ્રવન વર્ગ એમને ખૂબ માનપૂર્વક જોતો હતો. માંથ્રવાણીથી લોકોની માનસિક કે શારિરીક તકલીફ દૂર કરી શકતા હતા. દસ્તુર પેશોતન સંજાણા એમના સમકાલીન હતા. તેમના મરણના દિવસ તથા સમયની સચોટ આગાહી કરી હતી. ખુદ એમણે પોતાના મરણની પણ આગાહી કરી હતી, અને તે સત્ય પૂરવાર થઈ હતી.

(શતાબ્દી સ્મૃતિગ્રંથના સૌજન્યથી)

Similar Posts

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 February – 17 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મોજશોખ ખુબ વધી જશે. શુક્રની કૃપાથી જે પણ કામ કરતા હશો તેમાં તમને ભરપુર જશ મળશે. તમારૂં અશાંત મન શાંત થઈ જશે. તમારાથી નારાજ થયેલી વ્યક્તિ તમને સામેથી કોન્ટેકટ કરશે. તમને મળવા આવેલી વ્યક્તિનું…

  • મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

    નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને…

  • બંદગીને લગતા થોડાક કાયદાઓ

    બંદગી દરમ્યાન ગફલતથી કોઈ પદ ચુકી ન જવાય યા એકને બદલે બીજું ભલતું નહીં ભણાય તેની ખૂબ કાળજી રાખવી. ભણતી વખતે ઉત્તર દિશાએ આપણું મોઢું આવે નહીં તેની ખૂબ સંભાળ રાખવી. બંદગી માટે બડી બામદાદનો વખત મુંબઈ ટાઈમ 3 વાગ્યાથી તે સુરજ ઉગ્યા પછી એક કલાક સુધીનો સૌથી મુબારક છે કારણ કે એ વખતે હવા…

  • લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

    એક દિવસ અમારા ‘લેપટોપ બાપુ’ ટેબલ પરથી પડી ગયા. પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા. મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછું જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરીને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર લાગે અને દુખાવો સવારે થાઈ એમ લેપટોપનો દુખાવો પણ સવારે દેખાણો. સવારે ‘હાર્ડ ડિસ્ક રીડ…