જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો

તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમા‚ં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી વ્યક્તિઓને મળવાનું મન થશે. કોઈ પણ રાજદ્વારી કે સામાજિક સમસ્યાનો નિકાલ ખૂબ જ સરળતાથી લાવી શકશો. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મતભેદ થશે. તમને જ્યોતિષશાસ્ત્ર કે ગૂઢવિદ્યામાં પણ રસ રહેશે. તમે તમારા વિચારોમાં જ ખોવાયેલા રહેશો. તમને કોર્ટ કજિયા થશે. તમને ઔષધિનું જ્ઞાન લેવાનું મન થશે. સ્વભાવે જિદ્દી રહેશો. શરદી-કફથી સંભાળવું.

શુભ રંગ: લીલો, શુભ નંગ: ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૪, ૧૩, ૨૦, ૨૨, ૨૮, ૩૧, ૩૮, ૪૦, ૪૧, ૪૮, ૪૯, ૫૩, ૫૮, ૬૩, ૬૫, ૬૭, ૭૦, ૭૪, ૭૬.

Similar Posts

  • સાહેર અગિયારીની 175મી સાલગ્રેહની ઉજવણી

    હોરમસજી દાદાભોય સાહેર અગિયારીની ભવ્ય 175મી વર્ષગાંઠ પ્રસંગે, અગિયારી બિલ્ડિંગને સુંદર રીતે ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યા હતા. સવારે 10:00 કલાકે, પંથકી એ. આર. જાલ કાત્રક અને છ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. ત્યારબાદ હાજર મોબેદો અને હમદીનો દ્વારા હમબંદગી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સૌને ચાસનીનું વિતરણ કરાયું હતું. અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી,…

  • બહેરામ યઝાતા સફળતા અને વિજય આપનાર

    વેરેથ્રાગ્ના બહેરામ યઝાતા એ અવરોધો દૂર કરનાર છે જે આપણને સફળતા અને વિજય આપે છે. બેહરામ યશ્ત દસ સ્વરૂપોની ગણતરી કરે છે જેમાં દૈવીત્વ (બહેરામ યઝાતા) દેખાય છે: એક ઝડપી પવન તરીકે, સશસ્ત્ર યોદ્ધા તરીકે અને કિશોરવયના યુવાન તરીકે. બાકીના સાત સ્વરૂપમાં સોનાના શિંગડાવાળો બળદ, કાન અને સોનાની નાળવાળા સફેદ ઘોડા, ઊંટ, ભૂંડ, શિકારી પક્ષી,…

  • સુની તારાપોરનું ‘યે બેલે’ પ્રીમીયર નેટફિલિક્સ પર

    પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વખાણાયેલ ‘લિટલ ઝિઝો’ (2008)ના ડિરેકટર; ‘સલામ બોમ્બે!’ (1988)ના રાઈટર, ‘સચ અ લોન્ગ જર્ની’ (1998) અને ‘ધ નેમસેક’ (2006) – ના પ્રતિભાશાળી અને ગતિશીલ સુની તારાપોરેવાલા – બીજીવારના ડિરેકટર ‘યે બેલે’ સાથે ફરી આવ્યા છે. ‘યે બેલે’ શીર્ષકવાળી ટૂંકી દસ્તાવેજીનું એક કાલ્પનિક સંસ્કરણ, બે મુંબઇના છોકરાઓની સાચી વાર્તાથી પ્રેરિત છે, જેમણે પ્રતિષ્ઠિત…

  • શિરીન

     ‘હલો શું છે શિરીન?’ ‘તમો…તમો આયા તેથી થેન્કસ, પણ તમારા મધરની તબિયત ઘણી બગડી આવવાથી તમને હમણાં જ બોલાવે છે. ‘શું થયું મંમાને?’ ‘છાતીમાં ઘણી પેન મારેછ તેથી પ્લીઝ… પ્લીઝ ફીલ, તમો જલ્દી આવો કારણ મને એકલી હોવાથી બીક લાગે છે. તે કકળતો આરજુ કરતો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે મકકમતાથી જણાવી દીધું….

  • થોડો સમય કુટુંબ માટે…

    એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું. મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે…

  • ઘરડાંઓનું સન્માન કરો!

    નોશીરનું કુટુંબ સંજાણમાં હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબના દરેક સભ્યો જેમાં નોશીર, ખોરશેદ તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘરમાં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. નોશીરે પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના…